SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ हेत्वहेतवः अनुत्तराणि च केवलिनः ४१० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મિથ્યાષ્ટિજીવને આશ્રયીને કુત્સા-અયથાર્થ દ્વાર વડે કહે છે-હેતુ પ્રત્યે નથી જાણતો અર્થાત્ વિશેષતઃ યથાર્થ ગ્રહણ કરતો નથી. 'ન' શબ્દનો કુત્સિત અર્થ હોવાથી બરાબર-જાણતો નથી, એવી રીતે સામાન્યતઃ દેખતો નથી, ર વધ્યતે' શ્રદ્ધા કરતો નથી. બોધિ શબ્દને શ્રદ્ધાનનું પર્યાયપણું છે. તે સમfમાચ્છતિ–સંસારથી પાર પામવાના કારણપણાએ પ્રાપ્ત કરતો નથી. એવી રીતે આ ચતુર્વિધ હેતુઓ થાય છે. તથા દેતુ–અધ્યવસાન વગેરે (ઉપક્રમરૂપ) મરણના હેતુઓથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી અજ્ઞાનમરણ, મિથ્યાષ્ટિપણાએ નથી જાણેલ હતું અને હેતુઓ વડે જાણવા યોગ્ય ભાવ જેણે તેના મરણરૂપ હેતુવાળા અજ્ઞાન મરણ કરે છે. આવા પ્રકારનો જે જીવ છે તે પણ હેતુ જ છે માટે પાંચમો હેતુ વિધિથી જ કહેલ છે ૧, પાંચ હેતુઓમાં હેતુના' ધૂમાદિ હેતુઓ વડે જે અનુમેય પદાર્થને જાણે છે તે હેતુ જ છે, એવી રીતે જે દેખે છે વગેરે જાણવું. તે જ કુત્સદ્ધાર વડે મિથ્યાદષ્ટિને આશ્રયીને હેતુચતુષ્ટયને કહે છે-હેતુઓ વડે અનુમેય-શેય પદાર્થને નથી જાણતો ('ન' શબ્દ કુત્સિત અર્થવાળો હોવાથી યથાર્થ જાણતો નથી.) એવી રીતે દેખતો નથી ઇત્યાદિ તથા હેતુના—મરણના ઉપક્રમરૂપ) કારણ વડે જે અજ્ઞાન મરણ કરે છે તે હેતુ જ છે-આ પાંચમો હેતુ ૨, તથા પાંચ હેતુઓ, જે સમ્યગ્દષ્ટિપણાએ હેતુઓને યથાર્થ જાણે છે તે હેતુ જ છે, એવી રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે–દેતું–હેતુવિશિષ્ટ છમસ્થ મરણને કરે છે પરંતુ સમ્યગ્દષ્ટિપણાથી અજ્ઞાન મરણ નથી તેમ અનુમાનનો કરનાર હોવાથી કેવલીમરણ નથી. ૩. એવી રીતે તૃતીયા વિભક્તિવાળું 'હેતુના' સૂત્ર પણ જાણવું. અહિં બે સૂત્રોને વિષે હેતુઓ સ્વરૂપથી કહેલા છે (મિધ્યાદેષ્ટિ અને સમ્યગ્દષ્ટિના યુગલની અપેક્ષાએ અહિં બે સૂત્ર જાણવા, નહિંતર સૂત્રચતુષ્ટય છે.] ૪, તથા પાંચ અહેતુઓ સર્વશપણાએ જે અનુમાનની અપેક્ષા રહિત છે તે “આ હેતુ મને અનુમાનનો સાધક થતો નથી' એવી રીતે ધૂમાદિક હેતુઓને જાણે છે. આ કારણથી તે હેતુઓને અહેતુભૂત જાણતો થકો આ અહેતુ જ કહેવાય છે. એવી રીતે દર્શન, બોધ અને પ્રાપ્તિની અપેક્ષાએ પણ અહેતુઓ જ છે. તે જ અહેતુચતુષ્ટયને છvસ્થ પ્રત્યે આશ્રયીને દેશ વડે નિષેધથી કહે છે–દેતુમ' ધૂમાદિક હેતુ પ્રત્યે, અનુભાવ વડે નથી જાણતો અર્થાત્ સર્વથા જાણતો નથી પરંતુ કથંચિત્ જ જાણે છે કારણ કે ના' શબ્દ દેશનિષેધના અર્થવાળો છે. અવધિ વગેરે કેવલીપણાએ અર્થાત્ સંપૂર્ણ અવધિજ્ઞાનાદિપણાએ અનુમાનપ્રમાણ વડે વ્યવહાર ન કરતો હોવાથી જ્ઞાતા-જાણનાર સંબંધી આ એક હેતુ, દેશ વડે પ્રતિષેધથી કહ્યો. એવી રીતે અહેતુને કરીને-અહેતુપણે ધૂમાદિક હેતુઓને દેખતો નથી તે બીજો, શ્રદ્ધાન કરતો નથી તે ત્રીજો, સાધ્યની સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી તે ચોથો અને મહેસુમ–નિરુપક્રમપણાએ અધ્યવસાનાદિ હેતુની અપેક્ષા રહિત છદ્મસ્થ મરણ-અનુમાન વડે વ્યવહાર કરનારાણામાં પણ કેવલી ન હોવાથી તેનો કહેલ છે તે પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો છે. ૫. - પાંચ અહેતુઓ મહેતુના—હેતુના અભાવ વડે કેવલીપણાથી જે જાણે છે તે અહેતુ જ છે. એવી રીતે દેખે છે વગેરે પ્રકારો પણ જાણવા. એમ છદ્મસ્થને આશ્રયીને ચાર પદ વડે અહેતુચતુષ્ટને દેશ વડે પ્રતિષેધથી કહે છે તથા મહેતુના–ઉપક્રમના અભાવ વડે છ0 મરણને કરે છે, આ પાંચમો અહેતુ સ્વરૂપથી જ કહ્યો ૬, તથા પાંચ અહેતુઓ, મહેતું—હેતુના ભાવ વડે વિકલ્પ નહિં કરાયેલ ધૂમાદિકને જાણે છે, કારણ કે કેવલીપણાને લઈને જે અનુમાનનો વ્યવહાર કરનાર નથી તે અહેતુ જ છે. એમ જે દેખે છે વગેરે જાણવું. અતુમ–નિરુપક્રમપણાથી હેતુ રહિત અને અનુમાન વડે વ્યવહાર કરનાર ન હોવાથી કેવલી મરણને જે કરે છે તે આ પાંચમો અહેતુ જ છે. અહિં આ પાંચે પણ અહેતુઓ સ્વરૂપથી કહેલા છે ૭. એવી રીતે તૃતીયા વિભક્તિવાળું ('ગદેખI') સૂત્ર પણ પૂર્વોક્ત રીતે અનુસરવું ૮, શબ્દાર્થ માત્ર આ વ્યાખ્યા કરેલ છે, તત્ત્વ તો યથાયોગ સર્વથા આવરણનો ક્ષય થવાથી બહુશ્રુતો જાણે. જેઓથી ઉત્તર-પ્રધાન બીજા નથી તે અનુત્તરો, તેમાં પ્રથમના બે (જ્ઞાન અને દર્શન) ક્રમશઃ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થવાથી, પછીના બે ચારિત્ર અને ત૫) મોહનીયના ક્ષયથી કેમ કે તપ એ ચારિત્રનો ભેદ છે અને કેવલીને અનુત્તર તપ શૈલેશી અવસ્થાને વિષે શુક્લધ્યાનના ભેદ (પાછલા બે) સ્વરૂપ છે, કારણ કે ધ્યાન એ અત્યંતર તપનો ભેદ છે. વીર્ય તો વીર્યંતરાય કર્મના ક્ષયથી થાય છે. ૯. I૪૧૦ કેવલીના અધિકારથી તીર્થકર સંબંધી ચૌદ સૂત્રો કહે છે– 29
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy