________________
५ स्थानकाध्ययने उद्देशः १ छभस्थकेवलिपरीषहाः ४०९ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આવેલ છે તેથી આ પુરષ આક્રોશ કરે છે યાવતુ મારી વસ્તુઓનું અપહરણ કરે છે ૪, સારી રીતે સહન કરતો, ક્ષમા કરતો, તિતિક્ષા કરતો અને અધ્યાસતો-નિશ્ચલ રહેતો મને જોઈને, ઘણા અન્ય છદ્મસ્થ શ્રમણ નિગ્રંથો, ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સારી રીતે સહન કરશે યાવત્ અધ્યાસશે પ–આ પાંચ સ્થાનકો વડે કેવલી, ઉદયમાં
આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યક્ સો યાવત્ અહિયાસે-નિશ્ચલ રહે. ૪૦૯ll (ટી) સ્પષ્ટ છે. વિશેષ એ કે-જેના વડે ઢંકાય છે તે છદ્ધ-જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મચતુષ્ટય, તેને વિષે જે રહે છે તે છર્દસ્થ અર્થાત્ કષાયવાળો, ૩ડી —ઉદયમાં આવેલ, કહેલ સ્વરૂપવાળા પરીષહ તથા ઉપસર્ગો પ્રત્યે, સમ્યકષાયના ઉદયનો નિરોધ કરવા વગેરેથી સહે અર્થાત્ ભયના અભાવ વડે અચલ રહેવાથી સુભટ પ્રત્યે સુભટની જેમ ક્ષત—ક્ષમા વડે ખમે, રિતિક્ષત-અદીનપણે તિતિક્ષા કરે, અધ્યાપીત-પરીષહાદિકને વિષે અધિકતા વડે સ્થિર રહે–ચલાયમાન ન થાય. ૩ી – ઉદયમાં આવેલ અથવા પ્રબલકર્મ-મિથ્યાત્વમોહનીયાદિ છે જેને તે ઉદીર્ણ કમ્મ, (ખલ શબ્દ વાક્યના અલંકારમાં છે.) મયંપ્રત્યક્ષ પુરુષ, ઉન્મત્ત-મદિરા વગેરેથી ભ્રમિત ચિત્તવાળાની જેમ ઉન્મત્તભૂત, (‘ભૂત’ શબ્દનો ઉપમાન અર્થ હોવાથી) અથવા ઉન્માદવાળો ઉન્મત્તકભૂત (‘ભૂત” શબ્દનો પ્રકૃતિ અર્થ હોવાથી) જે કારણથી આ પુરષ ઉદીર્ણકમ્મ ઉન્મત્તભૂત છે તે કારણથી
' મારા પ્રત્યે શ્વ–આ પુરુષ આક્રોશ કરે છે–શાપ આપે છે–દુર્વચન કહે છે, ઉપહાસ કરે છે અથવા અપઘર્ષણ કરે છે, નિચ્છતિ–હસ્તાદિને વિષે ગ્રહણ કરીને બલથી સ્થાનના સંબંધવાળા સાધુને દૂર કરે છે, નિર્મલૈંતિ–દુર્વચનો વડે તિરસ્કાર કરે છે, વધ્યાતિ–દોરડી વગેરેથી બાંધે છે, રુદ્ધિ–કારાગાર-કેદમાં પ્રવેશ વગેરેથી અટકાયત કરે છે, ઇવેહાદિ શરીરના અવયવોને છેદે છે, મરણનો પ્રારંભ તે પ્રમાર-મૂચ્છવિશેષ અથવા વધસ્થાન પ્રત્યે લઈ જાય છે, મદ્રાવતિ'મારે છે અથવા પ્રમાર-મરણ જ 'રૂવદુરૂ' ઉત્ત, ઉપદ્રવ કરે છે, પતગ્રહ-પાત્ર, કંબલ પ્રતીત છે. પાદપ્રોચ્છન-રજોહરણને
માછિનત્તિ–બલથી ઉપાડીને ફેંકે છે, વિચ્છિનત્તિ-દૂર મૂકે છે અથવા વસ્ત્રને થોડું ફાડે છે તે આચ્છિનત્તિ અને વિશેષ ફાડે છે તે વિચ્છિનત્તિ, ભિન્નત્તિ-પાત્રને ભાંગે છે, અપતિ–ચોરે છે. બધાય ‘વા’ શબ્દો વિકલ્પના અર્થવાળા છે. પરીષહાદિને સહન કરવામાં આક્રોશાદિક તેર શબ્દવાળું આ એક આલંબનસ્થાન છે તે અહિં પ્રાયઃ આક્રોશ અને વધ નામના બે પરીષહરૂપ માનવું અને ઉપસર્ગની વિવક્ષામાં તો પ્રાષિકાદિ માનુષ્યકૃત ઉપસર્ગરૂપ છે. ૧, તથા યક્ષાવિષ્ટ-દેવાધિષ્ઠિત આ પુરુષ છે તેથી આક્રોશ કરે છે ઈત્યાદિ બીજું ૨, તથા પરીષહોપસર્ગને કરનાર આ પુરષ મિથ્યાત્વાદિ કર્મને વશ થયેલ છે 'મે વન' તિ મને વળી તે જ-મનુષ્ય સંબંધી આ ભાવ વડે જે વેદાય છે-અનુભવાય છે તે તદ્ભવવેદનીયકર્મ ઉદયમાં આવેલું છે તેથી આ પરબ મારા પ્રત્યે આક્રોશ કરે છે વગેરે ત્રીજું સ્થાન ૩, તથા પાપભીર ન હોવાથી આ બાલીશ-અજ્ઞાની પુરુષ આક્રોશાદિ ભલે કરો, પરંતુ જો હું સહન નહિ કરું તો મને ‘વિ મન્ને' ત્તિ, ‘મળે' આ નિપાત વિતર્ક અર્થવાળો છે નૂરૂ ત્તિ પ્રાપ્ત થાય છે અર્થાત્ શું મને પ્રાપ્ત થાય? અહિં વિશેષ નિશ્ચય કહે છે—'અંતસો' ત્તિ એકાંતથી સર્વથા પાપકર્મ–અસાતાદિ ક્રિયdપ્રાપ્ત થાય-આ ચોથું સ્થાન. આ પુરુષ જ્યાં સુધી ઉપસર્ગ કરે છે ત્યાં સુધી પાપને બાંધે છે અને ઉપસર્ગને સહન કરનાર એવા મને તો નિર્જરા થાય છે-આ પંચમ સ્થાનક પ. 'રૂદવેદિ' રૂત્યાદ્રિ નિગમન છે. શેષ સુગમ છે. છ0થી વિપર્યય તે કેવલી, માટે તેનું સૂત્ર છે. તેમાં ક્ષિપ્તચિત્ત-પુત્રના શોક વગેરેથી નષ્ટચિત્ત-શૂન્ય મનવાળો, દંતચિત્ત-પુત્રના જન્માદિથી દર્પઅભિમાની ચિત્તવાળો, ઉન્મત્ત જ છે. મને સહન કરતો જોઈને બીજાઓ પણ સહન કરશે કારણ કે પ્રાયઃ બીજાઓ ઉત્તમ પુરુષોનું અનુકરણ કરે છે. કહ્યું છે કે
जो उत्तमेहिं मग्गो, पहओ सो दुक्करो न सेसाणं । आयरियंमि जयंते, तयणुयरा केण सीएज्जा? ॥४६।।
જે માર્ગ ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ છે તે માર્ગ બીજાઓને દુષ્કર નથી, પ્રયત્નવાળો આચાર્ય હોતે છતે તેના શિષ્યો શા કારણથી સીદાય? અર્થાત્ ન જ સીદાય. (૪૬)
–
27,