________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिघाताआजीवकाराजचिहानि ४०६-४०८ सूत्राणि
'તારા' ઉત્તર વેદના ઉદયનો પ્રતિકારનિવારવું, તેમાં સ્ત્રી અને પુરુષના શરીર વડે પરિચારણા અર્થાત્ મૈથુનની પ્રવૃત્તિ તે કાયપરિચારણા, આ ઈશાન દેવલોક પર્વત છે. એવી રીતે અન્યત્ર પણ (તપુરુષ) સમાસ કરવો. વિશેષ એ કેઈશાન કલ્પથી ઉપર ત્રીજા, ચોથા કલ્પમાં સ્પર્શ વડે, પાંચમા અને છઠ્ઠા દેવલોકમાં રૂપ વડે, સાતમા તથા આઠમામાં શબ્દ વડે અને નવમાથી બારમા કલ્પ પર્યત મન વડે પરિચારણા છે. રૈવેયકાદિને વિષે પરિચારણા જ નથી. II૪૦રો.
'સાનિજાળિ'' સંગ્રામના પ્રયોજનો. ગાંધર્વ અને નાટ્ય સૈન્યને જુદા પાડવા માટે આ સાંગ્રામિક વિશેષણ આપેલ છે. અનીકાધિપતિઓ-સૈન્યને વિષે મુખ્ય-પદાતિ વગેરે, વં પરાતીના–પગે ચાલનારાઓનો સમૂહ તે પાદાત, તે જ અનીક-સૈન્ય તે પાદાતાનીક, પીઠાનીક-અશ્વ સૈન્ય, પાદાતાનીકાધિપતિ ઉત્તમ પદાતિ જ હોય છે. અશ્વરાજ-મુખ્ય અશ્વ, એમ બીજા પણ સૈન્ય સંબંધી જાણવું. પિત્તા ' તિ સનસ્કુમાર, બ્રહ્મ, શુક્ર, આનત અને આરણ કલ્પોના, 'કલ્તિાન' તિઃ માહેંદ્ર, લાંતક, સહસાર, પ્રાણત અને અશ્રુત કલ્પોના ઈદ્રોના સંબંધમાં જાણવું. અહિં દાક્ષિણાત્યો સૌધર્મકલ્પ વગેરે વિષમ (એકી) સંખ્યાવાળા છે માટે વિષમ સંખ્યાપણાને શબ્દની પ્રવૃત્તિના નિમિત્તરૂપ કરીને બ્રહ્મલોક અને શુક્ર વગેરે 'દાક્ષિણાત્ય કહેલ છે. સમસંગાપણાને પ્રવૃત્તિના નિમિત્તરૂપ કરીને લાંતક અને સહસારરૂપ કલ્પ ઉત્તર દિશામાં કહેલ છે. દેવેંદ્રસ્તવ અધ્યયન નામના પ્રકીર્ણકને વિષે કહેલની જેમ બાર ઇદ્રોની વિવક્ષા કરવાથી આરહેંદ્રને કહ્યું છે એમ સંભાવના કરાય છે. જો એમ નહિં માનીએ તો ચાર કલ્પોને વિષે બે જ ઇદ્રો છે તેથી આરહેંદ્રને કહેલ છે તે સંગત નહિ થાય. I૪૦૩-૪૦૫//
અહિં અનંતર દેવોની વક્તવ્યતા કહી, અને દુષ્ટ અધ્યવસાયવાળા પ્રાણીને દેવની ગતિ તથા સ્થિતિનો પ્રતિઘાત થાય છે માટે તેનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે– पंचविहा पडिहा पन्नत्ता, तंजहा–गतिपडिहा, ठितीपडिहा, बंधणपडिहा, भोगपडिहा, बल-वीरित-पुरिसयारપરમ પડિહા II સૂ૦૪૦૬ાા पंचविधे आजीवे पन्नत्ते, तंजहा–जातिआजीवे, कुलाजीवे, कम्माजीवे, सिप्पाजीवे, लिंगाजीवे ।। सू० ४०७।। पंच रातककुधा पन्नत्ता, तंजहा-खग्गं, छत्तं, उप्फेसि[सं], [उ]पाहणाओ, वालवीयणि ।। सू० ४०८।। (મૂ૦) પાંચ પ્રકારનો પ્રતિઘાત કહેલ છે, તે આ પ્રમાણે–૧. દેવાદિ ગતિની અપ્રાપ્તિ, ૨. દેવાદિની સ્થિતિની અપ્રાપ્તિ, ૩.
પ્રશસ્ત ઔદારિક બંધનની અપ્રાપ્તિ, ૪. પ્રશસ્ત ભોગ-સુખની અપ્રાપ્તિ અને પ. બલ, વીર્ય, પુરુષકાર-પરાક્રમની અપ્રાપ્તિરૂપ પ્રતિઘાત. //૪0૬// પાંચ પ્રકારે આજીવિક-જીવનનો નિર્વાહ કરનાર કહેલ છે, તે આ પ્રમાણે–૧. લોકોને પોતાની જાતિ બતાવીને આજીવિકા કરનાર, ૨. પોતાનું કુલ બતાવીને આજીવિકા કરનાર, ૩. કૃષિ વગેરે કર્મ બતાવીને આજીવિકા કરનાર, ૪. વણાટ વગેરે શિલ્પ બતાવીને આજીવિકા કરનાર તથા ૫. લિંગ-માત્ર સાધુના વેષ વડે આજીવિકા કરનાર, //૪૦૭ll
1, દક્ષિણ દિશામાં નથી, 2. ઉત્તરદિશામાં પણ નથી અર્થાત્ બ્રહ્મ, લાંતક, શુક્ર અને સહસાર ઉપરાઉપરી છે; બાકીના પહેલા ચાર અને પાછલા ચાર યુગલ છે જેથી તે દક્ષિણ-ઉત્તરમાં છે એમ સમજવું. 3. મવાવ વાવંતર નોરૂસવાસી મહિલા પૂવવ , વૃષ્ઠ बारस इंदे महिड्डिए ।।१६२।। पढमो सोहम्मवइ ईसाणवई उ भन्नए बीओ। ततो सणंकुमारो हवइ चउत्थो उ माहिंदो ॥१६३।। पंचमए पुण बंभो छटो पुण लंतओऽत्थ देविंदो। सत्तमओ महसुक्को अट्ठमओ भवे सहस्सारो ॥१६४।। नवमो अ आणइंदो दसमो उण पाणउऽत्थ देविंदो । आरण इक्कारसमो बारसमो अच्चुए इंदो ।।१६५।। ए ए बारस इंदा कप्पवई कप्पसामिया भणिया। आणाईसरियं वा तेण परं नत्थि देवाणं ।।१६६।। इति देवेन्द्रस्तवप्रकीर्णके। (श्री जंबूविजयजी संपादित)
24