SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ ज्योतिष्क भव्यदेवादिपरिचारणाऽग्रमहिषीचमराद्यनीकानिद्विकल्पाभ्यन्तरपर्षत्स्थितिः ४०१-४०५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ચાલનાર લશ્કર યાવત્ સ્થાનિક, મહાદ્રુમ નામનો પદાતિ (પાળા) લશ્કરનો અધિપતિ, મહાસૌદામા અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, માલંકાર હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, મહાલૌહિતાક્ષ નામનો મહિષ સૈન્યનો અધિપતિ તથા કિંપુરિષ નામનો થાનિકનો અધિપતિ છે. ધરણ નામના નાગકુમારેંદ્ર-નાગકુમારના રાજાના પાંચ સંગ્રામિક અનિક (સૈન્ય) અને પાંચ સંગ્રામિક અનિકના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પદાતિ સૈન્ય યાવત્ ૨થ સૈન્ય, ભદ્રસેન નામનો પદાતિ સૈન્યનો અધિપતિ, યશોધર નામનો અશ્વરાજ અશ્વસૈન્યનો અધિપતિ, સુદર્શન હસ્તિરાજ કુંજરસૈન્યનો અધિપતિ, નીલકંઠ નામનો મહિષ સૈન્યનો અધિપતિ અને આનંદ નામનો રથ સૈન્યનો અધિપતિ છે. ભૂતાનંદ નામનો નાગકુમારેંદ્ર-નાગકુમારના રાજાના પાંચ સંગ્રામિક અનિક અને પાંચ સંગ્રામિક અનિકના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પદાતિ અનિક યાવત્ ૨થાનિક, દક્ષ નામનો પદાતિ સૈન્યનો અધિપતિ, સુગ્રીવ અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, સુવિક્રમ હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, શ્વેતકંઠ નામનો મહિષ સૈન્યનો અધિપતિ અને નંદોત્તર નામનો રથસૈન્યનો અધિપતિ છે. વેણુદેવ નામના સુપર્ણેન્દ્ર સુપર્ણકુમારના રાજાના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે-પદાતિ સૈન્ય, એવી રીતે જેમ ધરશેંદ્રને કહ્યું તેમ વેણુદેવ નામના ઇદ્ર સંબંધી પણ જાણવું. જેમ ભૂતાનંદ નામના ઇંદ્રનું કહ્યું તેમ વેણુદાલી નામના ઇદ્ર સંબંધી કહેવું, જેમ ધરણંદ્રનું કહ્યું તેમ બધાય દક્ષિણ દિશાના ઇદ્રો, યાવત્ ઘોષ નામતા સ્તનિતકુમારના ઇદ્ર પર્યંત કહેવું. જેમ ભૂતાનંદનું કહ્યું તેમ બધાય ઉત્તર દિશાના ઇંદ્રો મહાઘોષ નામના સ્તનિતકુમારના ઇંદ્ર પર્યંત કહેવું. યાવત્ શક્ર નામના દેવેંદ્ર–દેવના રાજાના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામિક સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પદાતિ સૈન્ય યાવત્ વૃષભનું સૈન્ય, હરિઙ્ગગમેષી પાયદળ લશ્કરનો અધિપતિ, વાયુ નામનો અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, ઐરાવત નામનો હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, દામર્દ નામનો વૃષભ સૈન્યનો અધિપતિ અને માઢર નામનો રથ સૈન્યનો અધિપતિ છે. ઈશાન નામના દેવેંદ્ર–દેવના રાજાના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામિક સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—૧. પદાતિ સૈન્ય, ૨. પીઠાનિક-અશ્વ સૈન્ય, ૩. કુંજર સૈન્ય, ૪. વૃષભ સૈન્ય અને ૫. ૨થ સૈન્ય. લઘુપરાક્રમ નામનો પદાતિ સૈન્યનો અધિપતિ, મહાવાયુ અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, પુષ્પદંત હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, મહાદામર્ણિ નામનો વૃષભ સૈન્યનો અધિપતિ અને મહામાઢર નામનો રથસૈન્યનો અધિપતિ છે. જેમ શકેંદ્રને કહેલ છે તેમ બધા દક્ષિણ દિશાના ઇંદ્રો યાવત્ આરદ્ર પર્યંત કહેવું, જેમ ઈશાનંદ્રને કહ્યું તેમ બધા ઉત્તર દિશાના ઈંદ્રો યાવત્ અચ્યુતેંદ્ર પર્યંત કહેવું. ૪૦૪ શક્ર નામના દેવેંદ્ર–રાજાની અત્યંતર પરિષદ્ (સભા) ના દેવોની પાંચ પલ્યોપમની સ્થિતિ કહેલી છે, ઈશાન નામના દેવેંદ્ર–દેવના રાજાની અત્યંતર પરિષદ્ની દેવીઓની પાંચ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. II૪૦૫ (ટી૦) સુગમ છે. વિશેષ એ કે–જ્યોતિષી–વિમાનવિશેષો, તેઓને વિષે ઉત્પન્ન થયેલા તે જ્યોતિષ્ઠો તથા વીત્યંતિ—ક્રીડાદિ સ્વભાવવાળા હોય છે અથવા રીવ્યન્તે—બીજાઓદ્વા૨ા સ્તુતિ કરાય છે તે દેવો, ભવ્યા–ભવિષ્યમાં દેવપર્યાયની યોગ્યતાવાળા, આ કારણથી જ દ્રવ્યભૂત એવા દેવો તે ભવ્યદ્રવ્યદેવો, અર્થાત્ વૈમાનિકાદિ ચાર નિકાયમાં દેવપણાએ અનંતર (આવતા) ભવને વિષે જે ઉપજશે તે જાણવા. નર–મનુષ્યોના દેવો તે નરદેવો અર્થાત્ ચક્રવર્તીઓ, ધર્મમાં પ્રધાન દેવો તે ધર્મદેવોચારિત્રનું પાલન કરવાવાળા મુનિઓ, દેવોના મધ્યે (પ્રતિહાર્યાદિ) અતિશયવાળા દેવો તે દેવાધિદેવો—અર્હતો અને ભાવદેવો તે દેવ સંબંધી આયુષ્ય વગેરેનો અનુભવ કરનારા વૈમાનિક વગે૨ે દેવો. I૪૦૧|| 23
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy