SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराञ्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८ ४०० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આર્જવ–સંવરના સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે—શુભ આર્જવ, શુભ માર્દવ, શુભ લાઘવ–ગારવત્યાગ, શુભ ક્ષમા અને શુભ નિર્લોભતા, ૪૦૦ (ટી૦) એક ભોજનમંડળીવાળા વગેરે સાંભોગિકને વિસાંભોગિક-મંડળીથી બહાર કરતો થકો આજ્ઞાને અતિક્રમે નહિં કારણ કે ઉચિતપણું છે. સક્રિય—પ્રસ્તાવથી અશુભ કર્મના બંધ યુક્ત સ્થાન અર્થાત્ અકૃત્ય વિશેષરૂપને સેવનાર હોય છે—આ એક કારણ, અકૃત્યને સેવીને ગુરુની પાસે આલોચે નહિ–નિવેદન કરે નહિ–આ બીજું, નિવેદન કરીને ગુરુએ કહેલ પ્રાયશ્ચિત્ત(તપવિશેષ) ને પ્રસ્થાપે નહિ–કરવાનો આરંભ કરે નહિ–આ ત્રીજું, આરંભીને નનિર્વિશતિ—સંપૂર્ણ પ્રવેશ કરે નહિ (પૂર્ણ કરે નહીં) અથવા નિર્દેશઃ પરિોગઃ આચરણ કરે નહિ–આ ચોથું, સુપ્રસિદ્ધપણાએ સ્થવિકલ્પીઓના જે પ્રત્યક્ષ કલ્પો, સ્થિતૌ– –સમ્યગ્ આચારને વિષે પ્રāાનિ—વિશેષ કલ્પનીય યોગ્ય વિશુદ્ધ પિંડ, શય્યાદિ તે સ્થિતિપ્રકલ્પનીયો અથવા માસકલ્પાદિ સ્થિતિ અને આહાર વગેરે પ્રકલ્પ્ય, તે સ્થિતિપ્રકલ્પ્યો તેને 'અવંત્તિય અવંત્તિય' ત્તિ॰ ઉલ્લંઘી ઉલ્લંઘીને તેથી અન્યઅયોગ્ય કર્તવ્યોને સેવે છે તેને સંઘાડા વગેરેનો કોઈ પણ સાધુ એમ નિવેદન કરે કેઆ અકૃત્ય આપણને સેવવું ઉચિત નથી, ગુરુમહારાજ આપણ બન્નેને ગચ્છથી બહાર કરશે, ત્યારે બીજો સાધુ કહે છે કે—'સે' તે અકલ્પનીય કાર્યને 'વે'ત્તિ॰ કોમલ આમંત્રણ–વચન છે હું મુને! (હૅમિતિ, અંકારનો લોપ થવાથી) ‘અહં’–હું સેવું છું. મને ગુરુઓ શું કરશે? તે ગુરુઓ રોષવાળા થયાં છતાં પણ મને કાંઈ પણ કરવાને શક્તિમાન નથી એવી રીતે બલનું બતાવવું તે પાંચમો પ્રકાર. 'પત્તિયંતિ॰ દશમા પ્રાયશ્ચિત્તરૂપ ભેદવાળા લિંગ-વેષ વગેરેને ખેંચી લેવારૂપ પારંચિક પ્રત્યે કરતો થકો સામાયિક ચારિત્રને ઉલ્લંધતો નથી. જે ચાંદ્રાદિ કુલને વિષે વસે છે તે ગચ્છવાસી તે કુલમાં જ ભેદ પડાવવા માટે પરસ્પર્ કલહને ઉત્પન્ન કરવા વડે તત્પર થાય છે. આ પારંચિક પ્રાયશ્ચિત્તનું એક સ્થાનક, એવી રીતે ગણનો પણ ભેદ પડાવવા માટે તત્પર થાય–આ બીજું, હિંસા—સાધુ વગેરેના વધને પ્રેક્ષતે—શોધે છે તે હિંસાપ્રેક્ષી–આ ત્રીજું, હિંસા-મારવા માટે અથવા નિંદા માટે પ્રમત્તતાદિ છિદ્રોને જુએ છે તે છિદ્રપ્રેક્ષી-આ ચોથું, અહિં અભીક્ષ્ણ શબ્દ પુનઃ શબ્દના અર્થમાં છે તેથી પુનઃ પુનઃ અંગુષ્ઠ અને ભીંત વગેરેના પ્રશ્નો અથવા 'સાવદ્ય અનુષ્ઠાનનું પૂછવું તે જ અસંયમના આયતનો સ્થાનો તે પ્રશ્નાયતનો, તેનો પ્રયોગ કરનારો હોય છેઆ પાંચમું. ૧૩૯૮ || તથા 'આજ્ઞાોપાધ્યાયસ્ય' અહિં સમાહાર દ્વંદ્વ અથવા કર્મધારય સમાસ છે તેથી આચાર્યના અને ઉપાધ્યાયના 'સિ'ત્તિ॰ ગણને વિષે વિગ્રહસ્થાનો-કલહના આશ્રયો અથવા આચાર્ય, ઉપાધ્યાય બન્નેના ગણ વિષયમાં આજ્ઞાં—“હે મુને! તારે આમ કરવું” આવા પ્રકારની વિધિરૂપ આજ્ઞા પ્રત્યે તથા ધારĪાં—“તારે આમ ન કરવું” આવા પ્રકારની • (નિષેધરૂપ) ધારણા પ્રત્યે, ઉચિતપણાએ પ્રયંજનાર થતો નથી માટે સાધુઓ પરસ્પર કલહની આચરણા કરે છે, કેમ કે યથાર્થ વ્યાપાર–પ્રવૃત્તિ નથી અને દુ:ખે જોડાયેલ હોય છે, અથવા ઉચિતપણાએ પ્રવૃત્તિ નહિં કરનાર આચાર્યાદિક પ્રત્યે કલહને આચરે છે. એવી રીતે સર્વત્ર સમજવું. અથવા ગીતાર્થ, દેશાંતરમાં રહેલ અન્ય ગીતાર્થને નિવેદન કરવા માટે અગીતાર્થની આગળ ગૂઢાર્થ પદો વડે જે અતિચારનું નિવેદન કરે છે તે આજ્ઞા, અનેક વખત આલોચનાને આપવા વડે જે પ્રાયશ્ચિત્તવિશેષનું અવધારણ કરવું–હૃદયમાં ધારવું તે ધારણા, આ બન્નેનો સમ્યક્ પ્રયોગ નહિં કરનાર કલહ કરનાર થાય છે—આ પ્રથમ, તથા તે જ 'આહારાફળિયા' ત્તિ રત્નો બે પ્રકારે છે–દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યતઃ-કર્કતનાદિ અને ભાવતઃ–જ્ઞાનાદિ, જ્ઞાનાદિ રત્નો વડે વ્યવહાર કરે છે તે રાત્વિક–મોટા પર્યાયવાળો જે રાત્વિક તે યથારાત્મિક, તેનો ભાવ તે યથારાત્મિકતા, તે યથારાત્નિકતા વડેયથાજ્યેષ્ઠને કૃતિકર્મ–વંદન કરવું વિનય એ જ વૈનયિક, તેને સમ્યક્ પ્રયોક્તા નથી અથવા અંતર્ભૂતકારિત અર્થ હોવાથી પ્રયોગ કરાવના૨ હોતો નથી–આ બીજું, તે જે શ્રુતસ્ય—પર્યવજાતાનિ-સૂત્રાર્થના પ્રકારોને ધારયતિ ધારણા 1. જે સાધુ દુકાન, મકાન, મીલના મુહૂર્તો આપે, જન્મ પત્રિકાઓ બનાવી આપે, લગ્ન માટે છોકરા-છોકરીઓની પત્રિકાઓ જૂએ, દુકાનોના કેશ બોક્ષોમાં વાસક્ષેપ નાંખે, દીવાળીની બોણીમાં વાસક્ષેપ પોસ્ટથી મોકલે, એ બધાય પારંચિક પ્રાયશ્ચિત્તને પામે છે. આ વાત ઉપરોક્ત વર્ણનથી સિદ્ધ થાય છે. (સં.) 19
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy