SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराश्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८-४०० सूत्राणि गणंसि अणापुच्छितचारी यावि हवइ नो आपुच्छियचारी ५। आयरियउवज्झायस्स णंगणंसि पंचावुग्गहठाणा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए गणंसि आणं वा धारणं वा सम्मं पउंजित्ता भवति १ एवमधारायणिताते [कितिकम्मं वेणतितं सम्मं पउंजित्ता भवति २], आयरियउवज्झाए णंगणंसिजे सुतपज्जवजाते धारेति ते काले काले सम्म अणुपवाइत्ता भवइ ३,[आयरियउवज्झाण गणंसि] एवं गिलाणसेहवेतावच्चं सम्म [अब्भुद्वित्ता भवति] ४ आयरियउवज्झाते गणंसि आपुच्छियचारी यावि भवति णो VI,છિયથારી રૂ૫૧ पंच निसिज्जाओ पन्नत्ताओ, तंजहा-उक्कुडुती, गोदोहिता, समपायपुता, पलितंका, अद्धपलितंका। पंच अज्जवट्ठाणा पन्नत्ता, तंजहा-साधुअज्जवं,साधुमद्दवं,साधुलाघवं,साधुखंती,साधुमोत्ती ।।सू० ४००।। (મૂ૦) પાંચ સ્થાનકોને વિષે શ્રમણ નિગ્રંથ, સમાન ધર્મવાળા સાંભોગિકને અસાંભોગિક-ભોજનમંડલીથી બહાર કરતો થકો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, તે આ પ્રમાણે–૧. અકૃત્ય-પાપકાર્યને સેવનાર હોય, ૨. પાપકાર્યનું સેવન કરીને ગુરુને નિવેદન કરે નહિં, ૩. ગુરુ પાસે નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તરૂપ તપ કરવાનો આરંભ કરે નહિં, ૪. આરંભ કરીને પણ પરિપૂર્ણ તપ કરે નહિ અને ૫. સ્થવિરકલ્પીઓની જે પ્રસિદ્ધ સ્થિતિ–માસકલ્પ અને વિશુદ્ધ પિંડાદિ ગ્રહણરૂપ મર્યાદા હોય છે તેને ઉલ્લંધી ઉલ્લંઘીને વિરુદ્ધ વર્તન કરે છે ત્યારે તેને કોઈ પ્રેરણા કરે કેઆમ કરવું ઉચિત નથી એટલે તેને જવાબ આપે કે-હું વિરુદ્ધ વર્તન કરું છું તો મને ગરઓ કોપ કરીને શું કરશે? એમ બલ બતાવે. પાંચ સ્થાનકો (કારણો) વડે શ્રમણ નિર્ગથ, સાધર્મિક-સાંભોગિક સાધુને પારાંચિત-વેષ લઈ લેવો વગેરે દશમાં પ્રાયશ્ચિત્તવાળો કરતો થકો સાધુના આચારનું ઉલ્લંઘન કરતો નથી, તે આ પ્રમાણે–૧. જે કુલને વિષે વસે છે તે જ કુલ (સમુદાય) માં ભેદ પાડવા માટે તત્પર થાય, ૨. જે ગણમાં વસે છે તે ગણમાં ભેદ પાડવા માટે તત્પર થાય, ૩. સાધુ વગેરેને મારવા માટે શોધ કરે, ૪. સાધુ વગેરેને મારવા માટે છિદ્રો જુએ અને ૫. વારંવાર અંગુષ્ટપ્રશ્નાદિ અથવા સાવધ અનુષ્ઠાનના પ્રયોગ કરનારો હોય. /૩૯૮ll, આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે પાંચ વિગ્રહ-કલહનાં સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–૧. હે સાધુ! તારે આ કરવું તે આજ્ઞા, અને આ ન કરવું તે ધારણા-આ બન્નેનો સમ્યપ્રકારે પ્રયોગ કરનારો થાય નહિં, ૨, આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે દીક્ષાપર્યાયના જ્યેષ્ઠાદિ ક્રમ વડે યથાયોગ્ય રાત્વિક (નિ) પ્રત્યે કુતિકર્મ-વંદનને ઉચિત પ્રયોગ કરનારો થાય નહિં, ૩.આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે જે સૂત્રાર્થના પ્રકારોને ધારણ કરે છે–ભણે છે તેને ઉચિત કાળે સમ્યગુ રીતે ભણાવે નહિં, ૪. આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે જે ગ્લાન અને શૈક્ષ્યના વૈયાવૃજ્યને માટે સમ્યગુ રીતે તત્પર થતો નથી અને પૂ. આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે ગુરુને પૂછ્યા સિવાય સ્વછંદપણે વિચરનારો હોય છે પરંતુ પૂછીને વિચરનાર હોતો નથી. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે પાંચ અવિગ્રહ-અકલહનાં સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–૧. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે આજ્ઞા અથવા ધારણાનો સમ્યક્ રીતે પ્રયોગ કરનાર હોય છે, ૨. એવી રીતે યથાયોગ્ય રાત્મિક-૪ મુનિ પ્રત્યે ઉચિત કૃતિકર્મ-વંદનાદિ પ્રયોગ કરનાર હોય છે, ૩. આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે સૂત્રાર્થને ધારનાર છે તે યથાયોગ્ય સમયે અન્યને સારી રીતે ભણાવે છે, ૪. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે ગ્લાન અને શૈક્ષ્યના વૈયાવૃજ્યને વિષે સમ્યક્ રીતે તત્પર રહે છે અને પૂ. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે ગુરુ વગેરેને પૂછીને વિચરનાર હોય છે પરંતુ પૂછડ્યા વિના વિચરે નહિ. /h૩૯૯ll પાંચ પ્રકારની નિષઘાઓ કહેલી છે, તે આ પ્રમાણે–૧. ઉત્કટિકા-ઉભડક બેસવારૂપ, ૨. ગોદોહિકા-ગાય દોહવાને માટે બેસાય છે તે આસને બેસવારૂપ, ૩. સમપાદપુતા-સમાન પગ અને પુત જમીનને લગાડીને બેસવારૂપ, ૪. પર્યકા–પલાંઠી વાળીને બેસવારૂપ અને ૫. અદ્ધપકા-એક પગ સાથળને લગાડીને અદ્ધ પદ્માસને બેસવારૂપ. પાંચ 18
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy