SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे | દૃષ્ટિએ જોયેલ આહારાદિના લાભ વડે જે ફરે છે તે દખલાભિક, પૃષ્ટઐવ– હે મુનિ! તમને શું આપું?” એવી રીતે દાતારે પૂછેલ આહારના લાભ વડે જે ફરે છે તે પૂર્વની માફક પૃષ્ઠલાભિક, સમયપ્રસિદ્ધ આયંબિલ વડે જે ફરે છે તે આચામ્બિક, વૃતાદિ વિકૃતિઓ (વિગયો) થી નિર્ગત તે નિર્વિકૃતિક અર્થાત્ વિનયનો ત્યાગી, પુરિમાદ્ધ-મધ્યાહ્ન-બે પ્રહર પર્યત પ્રત્યાખ્યાન છે જેને તે પુરિમાદ્ધિક, પરિમિત-દ્રવ્યાદિના પ્રમાણથી (અમુક દ્રવ્યો અથવા આટલા દ્રવ્યો લેવા) પિંડપાત-આહારાદિનો લાભ છે જેને તે પરિમિતપિંડપાતિક, ભિન્ન-વિભાગ કરેલ સસ્તુક (સાથવો) વગેરેના સંબંધવાળા દ્રવ્યનો લાભ છે જેને તે ભિન્નપિંડપાતિક. હવે ગ્રહણ કર્યા પછી ભોગવવું થાય છે માટે એ જ કહે છે {સં—હીંગ વગેરેથી સંસ્કાર ન કરાયેલ આહારને વાપરે છે અથવા ' રસ રહિત આહાર તે અરસાહાર, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે-વિરસ-જેમાંથી રસ ગયેલ છે એવા જૂના ધાન્ય ઓદનાદિ, તેલ વગેરેથી રહિત તે રૂક્ષ આહાર, રસ સિવાય જિંદગી પર્યત પણ જીવવા માટે શીલ-સ્વભાવ છે જેનો તે અરસજીવી. એવી રીતે અન્ય પણ સમજવા. 'તારૂ’ ત્તિ સ્થાન-કાયોત્સર્ગ તે પ્રત્યે, તિતિ જે કરે છે અથવા પ્રાપ્ત થાય છે તે સ્થાનાતિદ અથવા સ્થાનાતિગ, ઉત્કટુકાસન-પીઠ વગેરેમાં પુત (અંડકોશો) ન લાગવા વડે બેસવારૂપ આસન અભિગ્રહ વિશેષથી જેને છે. તે ઉત્કટુકાસનિક, તથા પ્રતિમા–એકરાત્રિકી વગેરે પડિમા કાયોત્સર્ગ વિશેષ વડે જ ઊભા રહેવું એવી રીતે શીલ-સ્વભાવવાળો જે છે તે પ્રતિમા સ્થાયી, વીરાસન–જમીન પર પગ રાખીને સિંહાસન ઉપર બેઠેલને તે આસન દૂર કરવાથી જે કાયાની અવસ્થા થાય છે તે પ્રમાણે જે સ્થિર આસન તે દુષ્કર છે. આ હેતુથી જ વીર–સાહસિકનું આસન તે વીરાસન કહેલું છે, તે છે જેને તે વીરાસનિક. તથા નિષદ્યા-બેસવું વિશેષ, તે પાંચ પ્રકારે છે. તેમાં જે નિષદ્યામાં સમાન બન્ને પાદ વડે પૂત સ્પર્શે છે તે સમપાદપૂતા ૧, જેમાં ગાયની માફક બેસવું તે ગોનિષાધિકા ૨, જેમાં બન્ને પૂતોથી બેઠો થકો એક પાદને ઉપાડીને રહે છે તે હસ્તિસુંડિકા ૩, પર્યકા ૪, અને અર્ધ્વપર્યકા પ. પ્રસિદ્ધ છે. નિષદ્યા વડે રહે છે તે નૈષધિક. દંડની જેમ આયતિ–લાંબાપણું પાદ પસારવા વડે છે જેને તે દંડાયતિક તથા લગંડ–દુસંસ્થિત-વાંકું રહેલું લાકડું, તેની માફક મસ્તક અને પગની બન્ને પાનીઓનું ભૂમિમાં લાગવા વડે અને પીઠનું નહિ લાગવા વડે જે શયન કરે છે તે તથાવિધ અભિગ્રહથી લગંડશાયી, છે તાપાદિના સહનરૂપ આતાપનાને જે કરે છે તે આતાપક, તથા નથી વિદ્યમાન પ્રાવરણ (વસ્ત્ર) જેને તે અપ્રાવૃતક, તથા ખરજને નહિ ખણનાર તે અકંડયક. 'થાનાતિકા' ત્યાદિ પદોની કલ્પભાષ્યમાં આ પ્રમાણે વ્યાખ્યા છે— उद्धवाणं ठाणाइयं, तु पडिमा य होंति मासाई । पंचेव णिसेज्जाओ, तासि विभासा उ कायव्वा ॥३१।। - વૃિદ૦ ૧૧૨ ]િ. સ્થાનાદિકજ ઊર્ધ્વસ્થાન, પ્રતિમા માસાદિ હોય છે, નિષદ્યા પાંચ જ છે, તેઓના વિશેષ કરવા યોગ્ય છે. (૩૧) वीरासणं तु सीहासणे व्व जह मुक्कजाणुग णिविट्ठो । दंडे लगंड उवमा, आयय कुज्जे य दोण्हं पि ॥३२।। વૃિદd૧૦ ૧૪૧૪ ]િ સિંહાસન પર બેઠેલ માણસ આસનને કાઢી લઈને જેવી રીતે રહે તે વીરાસન, દંડના જેવો લાંબો તે દંડાસન અને વાંકા લાકડા જેવો કૂબડો તે લગંડ જાણવો. (૩૨) आयावणा य तिविहा, उक्कोसा मज्झिमा जहन्ना य । उक्कोसा उ निवण्णा, निसण्ण मज्झा ठिय जहन्ना ।।३३।। [વૃહ , ભા. ૧૬૪૫ ]. આતાપના ત્રણ પ્રકારે છે–૧. ઉત્કૃષ્ટા, ૨. મધ્યમાં અને ૩. જઘન્યા. સૂતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમાં અને ઊભેલાની જઘન્યા જાણવી. (૩૩) નિવિદા દો નિવા, થિય પાસ તરૂચ સત્તા ' વૃિદ્ધ મા ૧૨૪૬ ત્તિ. નિર્વણ-સૂતેલાની ઉત્કૃષ્ટ આતાપના ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. નીચું મુખ રાખીને સૂવું તે ઉત્કૃષ્ટઉત્કૃષ્ટા, પડખે સૂવું તે ઉત્કૃષ્ટમધ્યમા અને ચત્તા સૂવું તે ઉત્કૃષ્ટજઘન્યા આતાપના જાણવી. 16
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy