SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६- ३९७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બાદ શેષ બચેલું, વાલ વગેરે અત્યંત આંત તે પ્રાંત-તે જ 'પ{ષિત, રૂક્ષ એટલે ચિકાશ રહિત. અહિં તાદિભાવ પ્રત્યયના પ્રધાનપણાથી ઉત્થિતચરકત્વ વગેરે જાણવું. એમ જ આગળ પણ ભાવની પ્રધાનતા સમજવી. અહિં પહેલા બે ભાવ અભિગ્રહો અને છેલ્લા ત્રણ દ્રવ્ય અભિગ્રહો છે. જેથી કહેલું છે કે— उक्खित्तमाइचरगा, भावजुया खलु अभिग्ग्हा होंति । गायंतो य रुयंतो, जं देइ निसण्णमाई वा ।। २८ ।। [પદ્મવ॰ ૩૦૨ ત્તિ] ઉત્ક્ષિપ્તચરકત્વ વગેરે ચરકો ચોક્કસ ભાવયુક્ત અભિગ્રહવાળા હોય છે તથા ગાયન કરતો થકો, રુદન કરતો થકો,બેઠો થકો, આદિ શબ્દથી તિલક કરતો થકો, બેડીથી બંધાયો થકો એવી રીતે જો આહારાદિ આપે તો ભિક્ષા લેવી-આ બધા ભાવ અભિગ્રહો છે. (૨૮) लेवडमलेवडं वा, अमुगं दव्वं च अज्ज घेच्छामि । अमुगेण (असुगेण) उ दव्वेणं, अह दव्वाभिग्गहो नामं ।।२९।। [પદ્મવ૦ ૨૧૮ ત્તિ] લેપકૃત તે ધૃતાદિ અને અલેપકૃત-વાલ વગેરે, અથવા ‘આજે હું અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ' એવી રીતે અમુક દ્રવ્ય વડે કરેલ અભિગ્રહ તે દ્રવ્ય અભિગ્રહ જાણવો. (૨૯) એમ અન્યત્ર પણ વિશેષ વિચાર કરવો. અજ્ઞાત-અમુક મારા સ્વજન છે, હું ૠદ્ધિવાળો હતો, અમુક પાસે મેં દીક્ષા લીધેલ છે વગે૨ે હકીકતને ન બતાવતો થકો ભિક્ષા સારુ જે ફરે છે તે અજ્ઞાતચ૨ક, તથા 'અન્નફ્લાયવર' ત્તિ॰ અન્નગ્લાનકદોષવાળા અન્નને ભોગવનાર એમ ભગવતી સૂત્રના ટીપ્પનકમાં કહેલ છે. એવા પ્રકારનો થયો થકો અથવા અન્ન વિના ખેદ પામનાર અર્થાત્ ઉત્પન્ન થયેલ વેદનાદિ કારણવાળો, અથવા અન્ય ગ્લાયક માટે ભોજન અર્થે જે ફરે છે તે ક્રમશઃ અન્નગ્લાનકચરક, અન્નગ્લાયકચરક અથવા અન્યગ્લાયકચરક જાણવો. ક્વચિત્ 'અન્નવેત' એવો પાઠ છે ત્યાં ભોજનકાળ– મધ્યાહ્નકાળની અપેક્ષાએ પહેલા અને છેલ્લા કાળરૂપ વેળાને વિષે જે ભિક્ષા માટે જાય છે તે અન્યવેલચરક ઇત્યાદિ જાણવું. આ કાળાભિગ્રહ છે. મૌનવ્રત વડે ભિક્ષા માટે ફરે છે તે મૌનચરક, તથા સંસૃષ્ટન—ખરડાયેલ હાથ અને ભાજનાદિ વડે અપાતું લ્પિ—કલ્પવાળું. કલ્પનીય અને ઉચિત આહારાદિ અભિગ્રહવિશેષથી છે જેને તે સંસૃષ્ટકલ્પિક. તથા તખ્ખાતેન—દેવા યોગ્ય દ્રવ્યના પ્રકાર વડે જે ખરડાયેલ હસ્તાદિથી અપાતો કલ્પનીય આહારાદિ છે જેને તે તજ્જાતસંસૃષ્ટકલ્પિક. સમીપમાં લઈ જવાય છે તે ઉપનિધિ–કોઈ રીતે જે નજીકમાં લાવેલું, તેને લેવા માટે જે ફરે છે તે ઔપનિધિક, અથવા સમીપમાં જ આહાર ગ્રહણ કરવાના વિષયપણાએ છે જેને તે ઔપનિહિત, (અહિં પ્રજ્ઞાદિગણને આકૃતિગણ કહેલ હોવાથી ‘મતુપ્’ પ્રત્યયના અર્થવાળો ‘અણ્’ કરેલ છે) તથા શુદ્ધ અતિચાર રહિત એષણા-શંકિતાદિ દોષના વર્જનરૂપ 'સંસદમસંસદે’—સંસૃષ્ટ, અસંસૃષ્ટ વગેરે સાત પ્રકારની અથવા સાતમાંથી કોઈ પણ એક એષણા વડે ફરે છે તે શુદ્વેષણિક. અહિં ઉત્તરપદરૂપ એષણાપદમાં વૃદ્ધિ થયેલ છે. સંખ્યાના પ્રમાણવાળી જ દત્ત એક વખત આહારાદિના ક્ષેપ (ધારા) રૂપ ગ્રહણ કરવા યોગ્ય છે જેને તે સંખ્યાદત્તિક. અહિં દત્તિના લક્ષણનો શ્લોક જણાવે છે— વૃત્તી ૩ નત્તિ વારે, ધિવર્ફે હોઁતિ તત્તિયા । ગોષ્ઠિન્નળિવાયાઓ, વત્તી હોફ વેતરા રૂના અખંડિત ધારા વડે જેટલી વાર આહારાદિ અપાય છે તેટલી દત્ત થાય છે. તે દત્તિ બે પ્રકારે છે—૧. દ્રવ્ય-પ્રવાહી પદાર્થ દૂધ, પાણી વગેરે અને ૨. અદ્રવ–કઠણ વાલ, ચણાદિ. (૩૦) 1. અહિં પર્યુષિત વાલ વગેરે તે પ્રાંત એવી રીતે શ્રી આચારાંગ વૃત્તિ, ઉવવાઇ વૃત્તિ વગેરે ઘણા શાસ્ત્રમાં છે જેથી પર્યાષિત-વાસી વાલાદિ કલ્પે છે એમ સ્વકૃત સામાચારીશતકમાં ઉપાધ્યાયશ્રી સમયસુંદરગણિ લખે છે, પરંતુ પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથોમાં વાલ વગેરે વિદલનો કાળ ચાર પ્રહરનો બતાવેલ છે જેથી પર્યુષિત શબ્દનો અર્થ ‘ઠરી ગયેલ' એમ કરવો એવું સેનપ્રશ્નમાં જણાવેલ છે. અત્યારે લેવાની પ્રવૃત્તિ નથી. 15
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy