SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे અથવા पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरति श्चेति संयमः सप्तदशभेदः ।।२१।। [प्रशम० १७२ त्ति] પાંચ આશ્રવો-પ્રાણાતિપાતાદિથી વિરમવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડની વિરતિ કરવી એવી રીતે સત્તર પ્રકારનો સંયમ છે. (૨૧) તથા જેના વડે તપે છે તે તપ. જે માટે કહ્યું છે કેરસ-રુધિર-માંસ-મેરો-સ્થિ--શુક્ય-નેન તણો મળિ વા શુભનિત્યતત્તયો નામ નૈમ્ IIરરા રસ, રુધિર, માંસ, મેદ (ચરબી), હાડકાં, મજા અને શુક્ર (વીર્ય) જેનાથી તપે છે અથવા અશુભ કર્મો તપે છે તે તપ નામ નૈરુક્તવશાત્ સાર્થક છે. (૨૨) તપ બાર પ્રકારે છે, તે આ પ્રમાણે अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।।२३।। શિર્વ. નિ. ૪૭ 7િ]. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયાને કષ્ટ અને સલીનતા એ છ પ્રકારનો બાહ્ય તપ હોય છે. (૨૩) पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽविय, अभितरओ तवो होइ ।।२४।।[ ]. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ હોય છે. (૨૪) 'વિયા’ ત્તિ તજવું તે ત્યાગ, એક સંભોગી-સંવિગ્ન મુનિઓને આહારાદિનું આપવું. આ સંબંધમાં નીચેની બે ગાથા (૨૫-૨૬) વિચારણીય છે. तो कयपच्चक्खाणो, आयरियगिलाणबालवुड्डाणं । देज्जाऽसणाइ संते, लाभे कयवीरियायारो ।।५।। [અગ્રવ૦ ૧૭ પશ્ચા-પા૪૦ ]િ સ્વયં પ્રત્યાખ્યાન કરેલ છે તો પણ આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધ સાધુઓને આહારાદિ લાવી આપે તે વીર્યાચારનો કરનાર થાય છે. (૨૫). संविग्गअन्नसंभोइयाण देसिज्ज सङ्कगकुलाणि । अतरंतो वा संभोइयाण देसे जहसमाही ।।२६।। [पञ्चव० ५३८ पञ्चा० ५।४१ त्ति] અન્ય સાંભોગિક-સંવિગ્ન મુનિઓને શ્રાવકના કુલો-ઘરો બતાવે અને અશક્ત સાંભોગિકોને પણ યથાશક્તિ આહારાદિ અપાવે. (૨૬) બ્રહ્મચર્ય-મૈથુનના વિરમણમાં અથવા બ્રહ્મચર્ય વડે વાસ (વસવું) તે બ્રહ્મચર્યવાસ. આ પાંચ અને પૂર્વોક્ત પાંચ એમ દશવિધ શ્રમણધર્મ કહેલો છે. અન્યત્ર નીચે પ્રમાણે પણ દશવિધ શ્રમણધર્મ કહેલ છે– खंती य मद्दवऽज्जव, मुत्ती तवसंजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥२७।। [પાશ૦ ૨૭/૧૨ અવસાઇ વરૂ 7િ] ૧. શાન્તિ, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. આકિંચન અને ૧૦. બ્રહ્મચર્ય એ દશ યતિધર્મો જાણવા. (૨૭) અહિંથી સાધુધર્મના ભેદરૂપ બાહ્ય તપવિશેષ વૃત્તિસંક્ષેપ નામના તપના ભેદો 'વિરવત્તવર' ઇત્યાદિ વડે કહેવાય છે. તેમાં ઉત્સિત-પોતાના પ્રયોજન માટે પાકના ભાજનમાંથી કાઢેલું છે, તે જ લેવા માટે અભિગ્રહવિશેષથી ફરે છે-તેના ગવેષણ માટે જાય છે તે ઉત્સિતચરક, એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે-નિક્ષિત એટલે નહિ કાઢેલું, આંત એટલે જમ્યા 14
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy