SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकााध्ययने उद्देशः १ वर्णाद्याः सुगतिदुर्गतिहेतवः ३९० - ३९१ सूत्रे નિવર્તવું. વળી 'સર્વસ્માત્'—૧. સદ્ભાવનો નિષેધ, ૨. અસદ્ભાવનું પ્રગટ કરવું, ૩. અન્ય અર્થનું કહેવું અને ૪. ગૃહના ભેદથી અને કૃતકારિતાદિ ભેદથી અથવા દ્રવ્યતઃ સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રતઃ સર્વ લોકાલોકના વિષયથી, કાલતઃ ભૂતકાલ વગેરેથી અથવા રાત્રિ વગેરેમાં વર્લ્ડનારથી, ભાવતઃ કષાય અને નોકષાયાદિના થવાથી મૃષા-જૂઠું બોલવું તે મૃષાવાદ, તેથી વિરમવું–વિરતિ ક૨વી. તથા 'સર્વસ્માત્' સર્વથા કૃતાદિભેદથી અથવા દ્રવ્યતઃ સચિત્ત અચિત્ત દ્રવ્યના વિષયથી, ક્ષેત્રતઃ ગ્રામ, નગર અને અરણ્ય વગેરેના સંભવથી, કાલથી અતીતાદિથી અથવા રાત્રિ વગેરેમાં થવાથી, ભાવતઃ રાગદ્વેષ અને મોહના થવાથી, અદત્ત-માલિકે ન આપેલું તેનું જે ગ્રહણ કરવું તે અદત્તાદાન, તેથી વિરમવું. તથા 'સર્વસ્માત્'—સર્વથા કૃત, કારિત અને અનુમતિના ભેદથી, અથવા દ્રવ્યતઃ દિવ્ય-દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ભેદથી, અથવા રૂપ અને રૂપસહગતના ભેદથી, રૂપ-નિર્જીવ પ્રતિમાના આકારો કહેવાય છે અને રૂપસહગત તો સજીવ આકારો કહેવાય છે અથવા ભૂષણ રહિત રૂપ અને ભૂષણ સહિત તે સહગત આકા૨ો, ક્ષેત્રતઃ ત્રણ લોકમાં સંભવ હોવાથી, કાલતઃ અતીત વગેરેથી અથવા રાત્રિ વગેરેમાં થવાથી, ભાવતઃ રાગદ્વેષ થવાથી મિથુન–સ્ત્રી અને પુરુષનું યુગલ, તેનું કાર્ય તે મૈથુન, તેથી વિરમવું. તથા 'સર્વસ્માત્'—સર્વથા કૃતાદિથી, અથવા દ્રવ્યતઃ સર્વ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રતઃ લોકના સંભવથી, કાલતઃ અતીતાદિથી અથવા રાત્રિ વગેરેમાં થવાથી, ભાવતઃ રાગદ્વેષના વિષયથી 'પરિગૃહ્યતે''—ગ્રહણ કરાય છે અથવા સમસ્તપણે ગ્રહણ કરવું તે પરિગ્રહ, તેથી વિરમવું. વ્રતના પ્રસ્તાવથી 'પદ્માનુવ્વપ્' ત્યાત્િ॰ અણુવ્રત સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે–અણુ એટલે લઘુવ્રતો, મહાવ્રતોની અપેક્ષાએ લઘુપણું અને અલ્પ વિષયત્વાદિ વડે લઘુપણું છે એમ પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે— सव्वगयं सम्मत्तं, सुए चरित्ते ण पज्जवा सव्वे । देसविरई पडुच्चा, दोण्ह वि पडिसेहणं कुज्जा ।।२।। [विशेषावश्यक २७५१ त्ति ] સમ્યક્ત્વ સામાયિક, સર્વગત–સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું છે, કેમ કે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયની રુચિશ્રદ્ધાન લક્ષણ હોય છે. શ્રુતસામાયિક અને ચારિત્ર-સર્વવિરતિ સામાયિક સર્વ પર્યાયના વિષયવાળા નથી, પરંતુ સર્વ દ્રવ્યના વિષયવાળા છે અને દેશવિરતિ સામાયિકને આશ્રયીને બન્નેનો પ્રતિષેધ કરવો અર્થાત્ સર્વ દ્રવ્ય અને સંર્વ પર્યાયના વિષયવાળું નથી પણ દેશ વિષયવાળું છે. (૨) અથવા અનુ-મહાવ્રતના કથન પછી મહાવ્રતનો સ્વીકાર ન કર્યો છતે જે વ્રતો કહેવાય છે તે અણુવ્રતો. કહ્યું છે કે— जइधम्मस्सं समत्थे, जुज्जइ तद्देसणं पि साहूणं । तदहिगदोसनिवित्तीफलं ति कायाणुकंपट्ठा ॥३॥ યતિધર્મને ગ્રહણ કરવામાં અસમર્થ પ્રાણીને વિષે દેશવિરતિની દેશના સાધુઓએ આપવી યોગ્ય છે, કેમ કે યતિધર્મનું મહાગંભાદિ અધિક દોષની નિવૃત્તિરૂપ ફલ હોવાથી તે છકાયના જીવોની અનુકંપા માટે થાય છે. (૩) અથવા સર્વવિરતિ (સાધુ) ની અપેક્ષાએ અણુ–લઘુ ગુણવાળાના વ્રતો તે અણુવ્રતો. સ્થૂલ-બેઇદ્રિય વગેરે જીવો. સમસ્ત લૌકિક જીવોને જીવપણાની પ્રસિદ્ધિથી એઓનું સ્થૂલત્વ છે. સ્થૂલવિષય હોવાથી સ્થૂલ, તે સ્થૂલપ્રાણાતિપાતથી, તથા પરિસ્થૂલમહાન્ વસ્તુવિષયના અતિ દુષ્ટ આશયથી થયેલ તે સ્થૂલમૃષાવાદથી, તેમજ ચોરપણાના આરોપણના હેતુ વડે પ્રસિદ્ધ અને દુષ્ટ અધ્યવસાયપૂર્વક પરિસ્થૂલ-મોટી વસ્તુના વિષયરૂપ સ્થૂલઅદત્તાદાનથી (વિરમવું), તથા સ્વદારસંતોષ-પોતાની સ્ત્રીથી અન્યત્ર ઇચ્છાની નિવૃત્તિ ઉપલક્ષણથી પરસ્ત્રીનું વર્ઝન પણ ગ્રહણ કરવું, તથા ઇચ્છા-ધનાદિ વિષયના અભિલાષનું પરિમાણનિયમ તે ઇચ્છાપરિમાણ અર્થાત્ દેશથી પરિગ્રહની વિરતિ II૩૮૯ ઇંદ્રિયાર્થના વિષયમાં ઇચ્છાનું પરિમાણ શ્રેષ્ઠ છે, માટે ઇંદ્રિયાર્થની વક્તવ્યતા અર્થે 'પંચવન્ને' ત્યાત્િ॰ તેર સૂત્રો કહે છે પંચ વળા પદ્મત્તા, તનહા—વિન્હા, નીલા, લોહિતા, હાજિદ્દા, સુપ્તિન્ના / 2
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy