SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ * શિષ્ય જે ગુરુને પરીક્ષા કરીને સ્વીકારે છે પછી એમની આજ્ઞા આંખ બંધ કરીને માને. ગુરુ જો સર્પને હાથમાં લેવાનું કહે તો ખચકાયા વગર હાથમાં લેવા માટે જાય. પૂનમના દિવસે અમાસ કહે તો પણ એક વખત તો હા જ કહે. થોડી વાર પછી પૂછી શકે છે ગુરુદેવ ! કયા કારણે પૂનમના સ્થાને આપ અમાસ બતાવી. એનું, નામ જ સાચું શિષ્યત્વ.. * જે શિષ્ય ગુરુઆજ્ઞામાં પોતાની બુદ્ધિનું સંમિશ્રણ કરતા જાય છે એ આત્મા કદી પોતાનું હિત કરી શકે નહિ. વર્તમાનકાળમા સદ્ગુરુઓ નથી એમ કહેનારો અજ્ઞાની છે અથવા મિથ્યાત્વી છે. - જિનશાસન સગુરુઓ વગર હોતું જ નથી. જ્યાં સુધી જિનશાસન છે ત્યાં સુધી સદ્ગુરુવરો છે જ અને એમના દ્વારા જે જિનશાસનની ** સાચી ઉન્નતિ છે. શિષ્યભાવ પામવા માટે સદગુરુઓના ચરણની સેવામાં સતત ઉપસ્થિત રહેવું જોઈએ. * વર્તમાનકાળમાં મૂળ ગુણને શુદ્ધ રૂપે પાળનાર અને કારણથી ઉઠત, મગવંત, સ્વયંવર્ધા, ઉત્તર ગુણમાં દોષ સેવનાર પણ ઉત્તમ સગુરુ જ છે એમ विधाता एवं पूरुषोत्तम ઠે મગવાન ! આગમકારો કહે છે. मैं आपको વર્તમાનકાળની આડમાં ઉત્તર ગુણોના મનફાવે તેમ ફુરચા - प्रणाम करता हूँ। ઉડાડનાર પોતાના મૂળ ગુણોને અખંડિત રાખી શકે જ નહી. , જે મળ ગણોમાં પણ બ્રહ્મચર્યવ્રતની સરક્ષામાં સાવ બેદરકારીપણે વર્તે છે. તેઓની વિદ્વત્તા, ખ્યાતી પ્રખ્યાતી, યશ-કીર્તિ આદિનો કાંઈ અર્થ જ નથી. * બ્રહ્મ એટલે બ્રહ્મ જ, એ તો ચારિત્રનો પ્રાણ છે. જે બ્રહ્મચર્યની સુરક્ષામાં બેવફા નિવડ્યો એ તો પ્રાણ વગરનો બાદશાહ છે જેની થોડા સમયમાં દફન વિધિ થવાની છે. * બ્રહ્મચર્યવ્રતની સુરક્ષા જ સર્વ ગુણોની સુરક્ષા છે. એની સુરક્ષા માટે જ નવ નવ વાડ આગમકારોએ બતાવીને એ વ્રતની મહત્તા મુનિઓને બતાવી દીધી છે. * અરિહંત ભગવંતે તો એક એક વાડને એક એક વ્રત રૂપે પણ કહી છે કે જે આત્મા વાડને વ્રત ગણીને પાળે તે આત્મા જ અક્ષય સુખને મેળવી શકે છે. . * બ્રહ્મચર્યવ્રતનો મહિમા જિનશાસનની જેમ બીજા ધર્મવાળાઓ પણ દર્શાવે છે, અરે આજના વિજ્ઞાનીઓ પણ બ્રહ્મચર્યની પ્રશંસા મુક્ત કંઠે કરે છે. પણ જે રીતે જિનશાસનના સંસ્થાપકોએ બ્રહ્મચર્ય પાલનની વાત કરી છે એ રીતે તો કોઈ કહી શક્યું જ નથી અને કહી શકવાના જ નથી. * વર્તમાનકાળના કેટલાક વિજ્ઞાનીયોએ વિવેકને વિસ્તૃત કરીને વિકાસ અને વિકારના પોષણના સાધનોની લાંબી કતાર વિલાસ પ્રિય જગતને આપી છે. અને આપી રહ્યા છે. * વિકારવર્ધક દૃશ્યો જોવાનો આત્માનો અનાદિકાળનો સ્વભાવ છે જ આગમાં ઘીની જેમ આજના આધુનિક સાધનો દ્વારા જે દૃશ્યો જગતને દેખાડાય છે એનાથી વિલાસિતા વધી છે. વ્યભિચાર વધ્યો છે. અને વાસનાનું પ્રદર્શન રસ્તા ઉપર થઈ રહ્યું છે. * વિષયવાસનાની આગ એટલી ભડકી ઊઠી છે કે સજ્જન માણસોને રોડ પર ચાલવું ભારે પડી રહ્યું છે. વાસનાની વાસથી દિશા અને વિદિશાઓ ગંધાઈ ઊઠી છે. જયાનંદ” MULTY GRAPHICS (022) 2387322223884222
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy