SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ચંદ્રપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે તથા સૂરની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન તે સૂર. સૂર્યની વક્તવ્યતા પણ ચંદ્રવત્ સમજવી. વિશેષ એ કે–સુપ્રતિષ્ઠ નામથી હતો. શુક્ર-ગ્રહ છે. તેની વક્તવ્યતા આ પ્રમાણે—રાજગૃહ નગરમાં ભગવાનને વાંદીને શુક્ર પાછો ગયે છતે ગૌતમને ભગવાન તેમજ કહેવા લાગ્યા-વાણારસી નગરીમાં આ (શુક્ર) સોમિલ નામે બ્રાહ્મણ હતો. તેણે પાર્શ્વનાથને પૂછ્યું કે—''તે ભંતે! નવનિં—હે ભગવાન! તમને યાપનીય (વશ કરવા યોગ્ય) છે તથા સરિસવવા માસાળુંતથાય તે મોા? સરિસવયા, માસા, કુલત્થા તમને ખાવા યોગ્ય છે? 'ત્તે ભવં જુવે મવં' હત્યાવિ તમે એક છો, બે છો કે અનેક છો? ઇત્યાદિ પૂછ્યું. ભગવાને આ કરેલ પૃથક્ પ્રશ્નોના ખુલાસાપૂર્વક ઉત્તરો આપ્યા. તે સોમિલ શ્રાવક થયો. ફરીને વિપર્યાસથી આરામાદિ લૌકિક ધર્મના સ્થાનો કરાવીને દિક્પોક્ષક (દિસાપોક્સ્પિય) તાપસપણાએ દીક્ષિત થઈને દરેક છઢના પારણામાં ક્રમ વડે પૂર્વાદિ દિશાઓથી કંદાદિકને લાવીને આહાર કરતો હતો. અન્યદા તે સોમિલ જે ગર્દાદિ-ખાડો વગે૨ે કોઈપણ સ્થાનમાં હું પડીશ,ત્યાં જ પ્રાણને ત્યજીશ. આવા પ્રકારના અભિગ્રહને સ્વીકારીને કાષ્ઠની મુદ્રા વડે મુખને બાંધીને ઉત્તરદેશા સન્મુખ ચાલ્યો. ત્યાં પ્રથમ દિવસમાં મધ્યાહ્ન પછીના કાલમાં અશોક તરુની નીચે હોમાદિ કર્મ કરીને બેઠો. ત્યાં તેને કોઈપણ દેવે કહ્યું કે-હે સોમિલ બ્રાહ્મણ મહર્ષે! તારું દુષ્પ્રવ્રુજિત છે. વળી બીજે દિવસે તેમજ સપ્તપર્ણવૃક્ષ નીચે બેઠો, દેવે તેમજ કહ્યું. તૃતીયાદિ દિવસોને વિષે અશ્વત્થ એટલે પીપળો, વડ, ઉદુંબર વૃક્ષની નીચે બેઠો અને દેવે તેમજ કહ્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલ બોલ્યો-કેવી રીતે મારું દુષ્પ્રવ્રુજિત છે? દેવ બોલ્યો-શ્રીપાર્શ્વનાથ ભગવાનની સમીપે તેં અણુવ્રતાદિ શ્રાવકધર્મને સ્વીકારીને હમણાં અન્યથા-વિપરીત વર્તે છે, માટે તારું દુષ્પ્રવ્રુજિત છે, તેથી હજુ પણ તે જ અણુવ્રતાદિક ધર્મને તું ગ્રહણ ક૨, જેથી તારું સુપ્રવ્રુજિત થાય. એવી રીતે દેવે કહ્યું. તેણે પણ તેમજ કર્યું. ત્યારબાદ શ્રાવકપણાને પાલીને આલોચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાલ કરીને શુક્રાવતંસક વિમાનમાં શુક્રપણાએ ઉત્પન્ન થયેલ છે. શ્રીદેવીના આશ્રયવાળું અધ્યયન તે શ્રીદેવીનામા છે. તે આ પ્રમાણે—શ્રીદેવી, રાજગૃહનગરમાં મહાવીર પ્રભુને વાંદવા માટે સૌધર્મ સ્વર્ગથી આવી, નાટક બતાવીને પાછી ગઈ. ગૌતમસ્વામીએ તેના પૂર્વભવનું સ્વરૂપ પ્રભુને પૂછ્યું. ભગવાન ગૌતમસ્વામી પ્રત્યે બોલ્યા–રાજગૃહનગ૨માં સુદર્શનનામા શેઠ હતો, પ્રિયા નામે તેની ભાર્યા હતી. તે બન્નેની ભૂતા નામા પુત્રી બૃહત્કુમારિકા હતી. તેણે પાર્શ્વનાથ સમીપે દીક્ષા લીધી. પછી શરીરબકુશા થઈ-શરીરાદિને ધોવું વગેરે કરતી. અતિચાર સહિત મરીને સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. પ્રભાવતી-ચેટક (ચેડા) રાજાની પુત્રી અને વીતભયનગરના નાયક ઉદાયન મહારાજાની ભાર્યા હતી. જેણીએ જિનબિંબની પૂજાને અર્થે સ્નાન કર્યા બાદ દાસીએ શ્વેત વસ્ત્ર અર્પણ કીધે છતે પણ વિભ્રમથી1 (મને) અવસર વિના એણીએ (દાસીએ) રક્ત વસ્ત્ર આપ્યું એવી રીતે માનતી થકી ક્રોધથી અરીસા વડે મારી તેથી દાસી મરણ પામી તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અનશન ગ્રહણ કરીને, દેવપણાએ જે ઉત્પન્ન થઈ. તેણીએ ઉજ્જયિનીના રાજા (ચંડપ્રદ્યોતન) પ્રત્યે વિક્ષેપ વડે ચાલેલ ઉદાયન મહારાજાના, ગ્રીષ્મ મહિનામાં તૃષાથી પરાભવ પામેલ સમસ્ત સૈન્યને સ્વચ્છ શીતલ જલ વડે પરિપૂર્ણ ત્રિપુષ્કર (જલાશય) કરવા વડે ઉપકાર કરેલ હતો. એવા પ્રકારના સ્વરૂપવાળું, પ્રભાવતીના ચરિત્રયુક્ત અધ્યયન, તે પ્રભાવતી અધ્યયન એમ સંભવે છે, પરંતુ નિરયાવલિકા શ્રુતસ્કંધમાં આ દેખાતું નથી. આ પાંચમું. તે બહુપુત્રિકા દેવીના વર્ણન વડે જે પ્રતિબદ્ધ, તે બહુપુત્રિકા અધ્યયન નામથી કહેવાય છે. તે આ પ્રમાણે—રાજગૃહમાં મહાવીર પ્રભુને વાંદવા માટે સૌધર્મ કલ્પથી બહુપુત્રિકા નામા દેવી ઉતરી. પ્રભુને વાંદીને પાછી ગઈ. ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કેઆ કોણ હતી? ત્યારે ભગવાન્ બોલ્યા-વારાણસી નગરીમાં ભદ્રનામા સાર્થવાહની સુભદ્રા નામે ભાર્યા હતી. તે વંધ્યા હોવાથી પુત્રની ઇચ્છાવાળી થઈ હતી તેથી ભિક્ષાર્થે આવેલ આર્યાના સંઘાટક (બે સાધ્વી) ને પુત્રના લાભ માટે પૂછ્યું. સાધ્વીઓએ ધર્મ કહ્યો અને દીક્ષા આપી. તે ઘણા લોકોના અપત્યો-સંતાનોને વિષે પ્રીતિ વડે અભંગ-તેલ ચોપડવું, ઉદ્ધત્તન–મસળવું, તેમાં 1. સ્વલ્પ' આયુષ્ય હોવાથી શ્વેત વસ્ત્રમાં પણ રક્ત વસ્ર છે એમ ભ્રાંતિ થઈ. 371
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy