SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने नारकभेद स्थितयश्च ७५७ सूत्रम् તત્પર થઈ થકી અતિચાર સહિત મરણ પામીને સૌધર્મદેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને વિભૂલનામા સન્નિવેશને વિષે બ્રાહ્મણીપણે ઉત્પન્ન થશે. ત્યારબાદ પિતૃભાગિન-પિતાનો ભાણેજ અર્થાત્ ફોઈના પુત્રની ભાર્યા થશે અને જોડલું પ્રસવવાળી થશે. તે સોળ વર્ષમાં બત્રીશ સંતાનને જન્મ આપશે. તેથી તે સંતાનના ખેદથી આર્યાને પૂછશે, સાધ્વીઓ તેને ધર્મ કહેશે અને તે શ્રાવકપણું સ્વીકારશે. કાલાંતરમાં દીક્ષા લેશે, ત્યાંથી સૌધર્મ કલ્પમાં ઇંદ્રના સામાનિક દેવપણાએ ઉત્પન્ન થઈને મહાવિદેહમાં સિદ્ધ થશે. સ્થવિર શ્રીસંભૂતિવિજય, શ્રીભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ (યશોભદ્રસૂરિના શિષ્ય), સગડાલપુત્ર સ્થૂલિભદ્રને દીક્ષા આપનાર (સ્થૂલિભદ્રના વિદ્યાગુરુ ભદ્રબાહુસ્વામી છે) તેની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન નવમું છે. શેષ ત્રણ અધ્યયનો અપ્રતીત છે. સંપિક દશા પણ નહિ જણાયેલ સ્વરૂપવાળી છે પરંતુ તેના અધ્યયનોનો આ અર્થ છે–રવૃત્તિ' ત્યાતિ. અહિં આવલિકા પ્રવિષ્ટ-પંક્તિબંધ અને ઇતર-પુષ્પાવકીર્ણ-છૂટા છૂટા વિમાનો તેનું પ્રવિભજન-વિભાગ કરવો છે જે અધ્યયનમાં તે વિમાનપ્રવિભક્તિ. તે એક અલ્પ ગ્રંથ અર્થવાળું તથા બીજું મહાગ્રંથાર્થવાળું છે. આ હેતુથી શુલ્લિકા વિમાનપ્રવિભક્તિ અને મહતિ વિમાનપ્રવિભક્તિ છે. તે 'મસ્ય' આચારાદિ અંગની ચૂલિકા જેમ આચારની અનેક પ્રકારે છે તેમ અહિં કહેલ અને નહિ કહેલ અર્થને સંગ્રહનારી ચૂલિકા છે. 'વહૂતિય' ઉત્તઅહિં વર્ગ એટલે અધ્યયનાદિનો સમૂહ. જેમ અંતગડદશાને વિષે આઠ વર્ગ છે તેની ચૂલિકા તે વર્ગચૂલિકા. વિવાહવૂતિય' ત્તિ વ્યાખ્યા-ભગવતીસૂત્ર તેની ચૂલિકા તે વ્યાખ્યાચૂલિકા અરુણોપપાત-અહિં અરુણનામા દેવ, તેના સમય વડે ગુંથાયેલ ગ્રંથ. તેના ઉપપાત-અવતારનો હેતુ અરુણોપપાત, અર્થાત્ જ્યારે તેના અધ્યયન વડે ઉપયુક્ત એકાગ્રચિત્ત થયેલ સાધુ પરિવર્તન કરે છે (ગણે છે) ત્યારે આ અરુણદેવ પોતાના સમય વડે બંધાયેલ હોવાથી ચલિતાસનવાળો અને સંભ્રમતી ભ્રમિત લોચનવાળો થઈને અવિજ્ઞાનને પ્રયુજવાથી તેના સ્વરૂપને જાણી કરી, રાજી થઈને, અત્યંત સંતુષ્ટ થઈને, ચલિત ચપલ કુંડલોને ધારણ કરીને, દિવ્યકાંતિ, દિવ્ય વિભૂતિ અને દિવ્ય ગતિ વડે જ્યાં આ ભગવાનું સાધુ હોય, ત્યાં જ આવે છે અને આવીને ભક્તિના સમૂહ વડે વદનને નમાવીને શ્રેષ્ઠ ફૂલોની વૃષ્ટિને વરસાવીને નમસ્કાર કરે છે. ત્યારબાદ તે શ્રમણની આગળ અદશ્ય રહીને અંજલી જોડીને ઉપયોગપૂર્વક સંવેગ વડે વિશુધ્યમાન અધ્યવસાયથી સાંભળતો થકો રહે છે. અધ્યયનની સમાપ્તિ થયે છતે તે દેવ કહે છે કે–સારી રીતે સ્વાધ્યાય કરેલ છે, સારી રીતે સ્વાધ્યાય કરેલ છે, તમે વર માગો, વર માગો. ત્યારે આ લોકને વિષે પિપાસા (ઇચ્છા) રહિત, સમાન તૃણ અને મણિ મોતીને ગણનારા, તથા સમાન પત્થર અને સોનાને ગણનારા અને સિદ્ધિવધૂને વિષે અત્યંત આસક્ત ચિત્તવાળા એવા સાધ તેને જવાબ આપે છે કે-મારે વર માગવાનું પ્રયોજન નથી. તેથી તે અરૂણદેવ, અધિકતર સંવેગવાળો થઈને, પ્રદક્ષિણા કરીને, વાંદીને, નમસ્કાર કરીને પાછો સ્વસ્થાને જાય છે. એવી રીતે વણોપપાતાદિને વિષે પણ કહેવું. ૭પંપ/l. આવા પ્રકારનું સૂત્રકાલ વિશેષમાં જ હોય છે, માટે દશ સ્થાનકમાં અવતરતા તેના (કાલના) સ્વરૂપને કહે છે– 'સદી' ત્યાદિ સૂત્રદ્રય સુગમ છે. ૭પ૬l જેમ ઉપાધિવશાત્ કાલદ્રવ્ય ભેદવાળું છે, તેમ નારકાદિ જેવદ્રવ્યો પણ ભેટવાળા છે, માટે તેને કહે છે – दसविधा नेरइया पन्नत्ता, तंजहा–अणंतरोववन्ना, परंपरोववन्ना, अणंतरोगाढा, परंपरोगाढा, अणंतराहारगा, परंपराहारगा, अणंतरपज्जत्ता, परंपरपज्जत्ता, चरिमा, अचरिमा, एवं निरंतरं जाव वेमाणिया २४ । चउत्थीते णं पंकप्पभाते पुढवीते दस निरतावाससतसहस्सा पन्नत्ता १ । रयणप्पभाते पुढवीतेजहन्नेणं नेरतिताणंदसवाससहस्साई ठिती पन्नत्ता २ । चउत्थीते णं पंकप्पभाते पुढवीते उक्कोसेणं णेरतिताणं दस सागरोवमाई ठिती पण्णत्ता ३ । पंचमाते णं धूमप्पभाते पुढवीते जहन्नेणं नेरइयाणं दस सागरोवमाई ठिती पण्णत्ता ४, असुरकुमाराणंजहन्नेणं दसवाससहस्साई ठिती पण्णत्ता, एवं जाव थणियकुमाराणं १४, बादरवणस्सतिकातिणाणं उक्कोसेणं दसवाससहस्साई ठिती पन्नत्ता १५, वाणमंतरदेवाणं जहन्नेणं दस वाससहस्साई ठिती पन्नत्ता १६, बंभलोगे 372
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy