SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम् (ટીવ) સે' ત્યાદ્રિ હિંસા કરાય છે જેના વડે તે શસ્ત્ર 'સત્ય' સિતોનો શસ્ત્ર-હિંસક વસ્તુ-તે બે પ્રકારે છે-દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી પ્રથમ કહેવાય છે. અગ્નિ–અનલ તે જૂદા અગ્નિની અપેક્ષાએ સ્વકાયશસ્ત્ર થાય છે અને પૃથ્વી વગેરેની અપેક્ષાએ તો પરકાયશસ્ત્ર છે ૧, વિષ-સ્થાવર અને જંગમ ભેદરૂપ ૨, લવણ પ્રસિદ્ધ છે ૩, સ્નેહ-તેલ, વૃતાદિ ૪, ક્ષારભસ્માદિ ૫, અમ્લ-કાંજિક ૬, 'પાવોચ' ૦િ અહિં જાણવું તેથી ભાવ એટલે ભાવરૂપ શસ્ત્ર શું તે કહે છે. દુષ્પયુક્ત-અકુશલ મન-હૃદય ૭, વા-દુષ્પયુક્ત વાણી ૮, દુષ્પયુક્ત કાય-શરીર. અહિં કાયા સંબંધી હિંસાની પ્રવૃત્તિમાં ખડ્યાદિ ઉપકરણવાળો હોવાથી કાય શબ્દના ગ્રહણ વડે જ તેનું ગ્રહણ સમજવું ૯, અવિરતિ-અપ્રત્યાખ્યાન અથવા અવિરતિરૂપ ભાવ તે શસ્ત્ર છે , ૧૦. ||૧|| અવિરતિ વગેરે દોષો, શસ્ત્ર છે, એમ કહ્યું માટે દોષના પ્રસ્તાવથી દોષવિશેષના નિરૂપણ માટે કહે છે—'રસવિદે ત્ય િ'તજ્ઞા' ત્ય િવૃત્ત (છંદ) છે. આ દોષો ગુરુ અને શિષ્યના અથવા વાદી અને પ્રતિવાદીના સંબંધી વાદના આશ્રયની જેમ જણાય છે. તેમાં ગુરુ વગેરેનો જાત-જાતિ અથવા જન્મ, મર્મ કર્માદિ લક્ષણ પ્રકાર તે તજ્જાતે. તે જ દૂષણ કરીને (આપીને) દોષ તે તજ્જાતદોષ અર્થાત્ તેવા પ્રકારના કુલાદિ વડે દૂષણ દેવું અથવા પ્રતિવાદી પાસેથી ઉત્પન્ન થયેલ ક્ષોભથી ચૂપ થઈ જવું ન બોલવું વગેરે લક્ષણવાળો દોષ તે તજ્જાતદોષ ૧, તથા પોતાની જ મતિ-બુદ્ધિનો ભંગ-વિનાશ તે મતિભંગ અર્થાત્ વિસ્મરણ વગેરે લક્ષણવાળો દોષ તે મતિભંગદોષ ૨, તથા પ્રશાસ્તા-અનુશાસક-મર્યાદા કરનાર સભાનો નાયક કે સભ્ય, તેથી-દ્વેષથી કે ઉપેક્ષાથી પ્રતિવાદીને જય આપવારૂપ દોષ અથવા વીસરી ગયેલ પ્રમેય-વિષયવાળા પ્રતિવાદીને પ્રમેયને સંભારી આપવાદિરૂપ પ્રશાસ્તુદોષ ૩, અહિં “ત્યા” શબ્દ લઘુશ્રુતિરૂપ છે તથા પરિહરણ-સેવવું અર્થાત્ પોતાના દર્શનની મર્યાદાએ અથવા લોકની રૂઢિ વડે નહિ સેવવા યોગ્યનું સેવવું તે જ દોષ તે પરિહરણ દોષ અથવા પરિહરણ-નહિ સેવવું અર્થાત્ સભાની રૂઢિ વડે સેવવા યોગ્ય વસ્તુનું નહિ સેવવું, તે જ દોષ અથવા તેથી જે દોષ તે પરિહરણ દોષ અથવા વાદીએ સ્થાપન કરેલ દૂષણને અયથાર્થ પરિહાર (નિરાકરણ) કરવાવાળો ઉત્તર તે પરિહરણ દોષ. જેમ બૌધે કહ્યું કે-અનિત્ય, શબ્દ છે કતકપણાથી (કરાતું હોવાથી) ઘટની જેમ. અહિં મિમાંસક પરિહાર કરે છે-ઘટ (ઘડા) સંબંધી કૃતકપણું, શબ્દનું અનિત્યપણું સાધવા માટે (તમારા વડે) સ્થપાય છે કે શબ્દ સંબંધી અનિત્યપણું? જો ઘટ સંબંધી અનિત્યપણું છે તો ઘટગત શબ્દમાં અનિત્યપણું નથી માટે અસિદ્ધતા હેતુ છે. જો કહેશો કે શબ્દ સંબંધી અનિત્યપણું છે તો અનિત્યપણાએ વ્યાપ્ત ઉપલબ્ધિ નથી, તેથી અસાધારણ અનેકાંતિક હેતુ છે. આ મિમાંસકોક્ત સમ્યક્ પરિહાર-જવાબ નથી. એ પ્રમાણે તો બધાય અનુમાનના ઉચ્છેદનો પ્રસંગ આવશે. અનુમાન તો સાધન ધર્મ માત્રથી સાધ્ય ધર્મ માત્રનો નિર્ણયાત્મક છે. જો એમ નહિ માનીએ તો ધૂમથી અગ્નિનું અનુમાન પણ સિદ્ધ નહિ થાય. તે આ પ્રમાણે—અત્ર અગ્નિ છે, ધૂમથી જેમ મહાનસ (રસોડા)માં. અહિં વિકલ્પ કરે છે-શું ‘અત્ર’ આ શબ્દ વડે નિર્દેશ કરેલ પર્વતના એક પ્રદેશાદિમાં રહેલ ધૂમ, અગ્નિના સાધન માટે તમોએ ગ્રહણ કરેલ છે કે મહાનસ સંબંધી ધૂમ? જો પર્વતાદિ સંબંધી ગ્રહણ કરેલ છે તો એમ કહેશો તો તે અગ્નિ વડે વ્યાપ્ત નથી, માટે અસાધારણ અનૈકાંતિક હેતુ સિદ્ધ થશે. જો કહેશો કે મહાનસ સંબંધી ધૂમ, તો આ ધૂમ પર્વતના એક દેશમાં વર્તતો નથી તેથી અસિદ્ધ હેત છે. આ પરિહરણ દોષ છે ૪, તથા 'નક્યતે' તેથી અન્યને દૂર કરીને ચોક્કસ કરાય છે વસ્તુ જેના વડે તે લક્ષણ, પોતાનું જે લક્ષણ તે સ્વલક્ષણ. જેમ જીવનું લક્ષણ ઉપયોગ અથવા જેમ પ્રમાણનું લક્ષણ સ્વ અને પરના પ્રકાશરૂપ જાણવાપણું (ઉક્ત સ્વલક્ષણમાં દોષ તે સ્વલક્ષણદોષ) ૫. રોતિ' કરે છે તે કારણ–પરોક્ષ અર્થ સંબંધી નિર્ણયના નિમિત્તરૂપ ઉપપત્તિયુક્તિ માત્ર. જેમ નિરૂપમ સુખવાળો સિદ્ધ જીવ છે. નિરાબાધ જ્ઞાનના પ્રકર્ષથી. અહિં સમસ્ત લોકને પ્રસિદ્ધ સાધ્ય સાધન ધર્મને અનુરૂપ ખાસ દષ્ટાંત નથી, માટે ઉપપત્તિ માત્રતા છે. દૃષ્ટાંતના સદ્ભાવમાં એને જ હેતનો વ્યપદેશ થાય ૬, દિનોતિસાધ્યના સદ્ભાવનો ભાવ અને તેના અભાવના અભાવરૂપ લક્ષણને જણાવે છે તે હેતુ, તેથી સ્વલક્ષણાદિનો વંદ્વ સમાસ છે તેથી સ્વલક્ષણ દોષ, કારણ દોષ અને હેતુ દોષ. અહિં મૂલમાં ‘કા’ શબ્દ છંદને માટે બેવડો (ક્કા) જાણવો ૭, અથવા લક્ષણની સાથે 340
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy