SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् પરિનિર્વાણ માર્ગ–નિવૃતિ (મુક્તિ) નગરીનો પંથરૂપ સત્યાદિ પરિનિર્વાણ માર્ગ વડે, ધ્યાનના-શુક્લધ્યાનના બીજા અને ત્રીજા ભેદરૂપ (પાયા)નો અંતર–મધ્ય તે ધ્યાનાંતર, તે જ ધ્યાનાંતરિકામાં વર્તતાને અર્થાત્ શુક્લ ધ્યાનના બીજા ભેદથી ઉતરીને અને ત્રીજા ભેદને નહિ પ્રાપ્ત કરેલ એવા મહાપદ્મ પ્રભુને. અનંત વિષયવાળું હોવાથી અનંત, સર્વોત્તમ હોવાથી અનુત્તર, પર્વતાદિથી અપ્રતિહત હોવાથી નિર્વ્યાઘાત, સમસ્ત આવરણના નાશથી નિરાવરણ, સમસ્ત પદાર્થના વિષયપણાથી કૃત્ન, પ્રતિપૂર્ણ–સ્વરૂપથી પૂનમના ચંદ્રની જેવું, કેવલ-અસહાય (એકલું), આ કારણથી જ વ૨-શ્રેષ્ઠ જ્ઞાનદર્શન પ્રસિદ્ધ છે અર્થાત્ કેવલવ૨જ્ઞાનદર્શન (ઉપજશે) 'અહ' ત્તિ॰ અષ્ટવિધ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાના યોગથી અર્હન્‚ રાગાદિને જીતનાર હોવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ (રત્ન) ત્રયના યોગથી કેવલી, સર્વ વિશેષાર્થના બોધથી સર્વજ્ઞ, સકલ સામાન્ય અર્થના અવબોધથી સર્વદર્શી થશે તેથી 'સહવેવૈશ્ન'—વૈમાનિક અને જ્યોતિષ્મ લક્ષણ દેવ વડે યુક્ત, તથા મનુષ્ય અને ભવનપતિ, વ્યંતર લક્ષણ અસુર વડે જે યુક્ત તે સદેવમર્ઝાસુર, તેનો લોક-પંચાસ્તિકાયાત્મક તેના 'પરિયામાં', જાતિમાં એકવચન છે તેથી પર્યાયોને એટલે વિચિત્ર પરિણામોને 'નાળફ પાસફ’—જાણશે દેખશે. આ દેવાદિકનું ગ્રહણ પ્રધાનની અપેક્ષાએ છે, નહિતર બધાય જીવોના સર્વ પર્યાયોને જાણશે. આજ કારણથી કહે છે કે 'સવ્વતો' હત્યાદ્રિ 'શ્વયાં' ત્તિ॰ વૈમાનિક અને જ્યોતિષ્મોનું મરણ, ઉપપાત–નારક અને દેવોનો જન્મ, તર્ક-વિમર્શ, મન-ચિત્ત. મનમાં થયેલું તે માનસિક અર્થાત્ ચિંતિત વસ્તુ. ભુક્ત–ઓદનાદિ ખાધેલું, કૃત-ઘડો વગેરે બનાવેલું, પ્રતિસેવિત–પ્રાણીવધાદિકર્મ આચરેલું, આવિષ્કર્મ–ખુલ્લું કામ, રહકર્મ–જનરહિત વ્યાપાર અર્થાત્ છાનું કામ, તે મહાપદ્મ ભગવાન, બધા કાર્યોને જાણશે. તથા અરહા-નથી વિદ્યમાન રહ– વિજન જેને સર્વજ્ઞ હોવાથી, તે અરહા, આ હેતુથી જ રહસ્ય-પ્રચ્છન્નના અભાવથી અરહસ્યને ભજે છે તે અરહસ્યભાગી. તે તે કાલને આશ્રયીને એમ જાણવું અથવા આ સપ્તમી વિભક્તિ છે તેથી તે તે કાલમાં જાણે છે 'મળવયસા' ત્તિ॰ માનસ, વાચસ અને કાયિક તે માનસવાચસકાયિક, તેના યોગ-વ્યાપારમાં અહિં Çસ્વત્વ, પ્રાકૃતપણાથી છે. વર્તમાન–વ્યવસ્થિત સર્વ ભાવો–સર્વ પરિણામોને જાણતાં અને દેખતાં થકાં વિચરશે. 'અભિસમેળ્વ'ત્તિ જાણીને 'સંભાવનારૂં' ત્તિ ભાવનાસહિત, દરેક વ્રત અર્થાત્ ઇર્યાસમિતિ વગેરે પાંચ ભાવનાઓ વડે જે વ્રતો છે તે 'સમાવનાનિ' તે ભાવનાઓનું સ્વરૂપ આવશ્યકથી જાણવું. છ જીવનિકાયોને રક્ષણીયપણાએ 'ધમઁ'ત્તિ એવા સ્વરૂપવાળું ચારિત્રાત્મક સદ્ગતિમાં જીવને ધારણ કરવાથી ધર્મ, અને શ્રુતધર્મને પ્રરૂપતાં થકાં વિચરશે. હવે મહાપદ્મનું અને પોતાનું સર્વજ્ઞપણું હોવાથી બન્ને સર્વજ્ઞોના મતમાં અભેદ છે. ભેદમાં તો બન્નેમાંથી એકને અયથાર્થ વસ્તુને જોવા વડે અસર્વજ્ઞતાનો પ્રસંગ આવે માટે [મહાવી૨] ભગવાન્ બન્નેને સમાન વસ્તુની પ્રરૂપણાને બતાવતા થકા કહે છે—'સે નહા' ત્યાદ્દિ સે શબ્દ અથ અર્થવાળા છે અને અથ શબ્દ’વાક્યના ઉપન્યાસ અર્થવાળો છે ‘યથા’ શબ્દ ઉપમાન અર્થવાળો છે 'નામ ર્' ત્તિ આ શબ્દ વાક્યના અલંકારમાં છે. 'અન્તો'ત્તિ કે આર્યો! એમ શિષ્યને આમંત્રણ છે. '૫ે આર્મદાને'ત્તિ આરંભ એ જ સ્થાન-વસ્તુ તે આરંભસ્થાન, એક જ છે તેનું તે તે 'પ્રમત્તયોગ લક્ષણ હોવાથી. જેથી કહ્યું છે કે— 'સવ્વો પમત્તનોનો, સમજસ્ય ૩ હોર્ આરંમો' બધોય પ્રમાદ યુક્ત યોગ-વ્યાપાર સાધુઓને આરંભરૂપ છે. શેખ આવશ્યક સૂત્રમાં પ્રાયઃ પ્રસિદ્ધ છે માટે લખ્યું નથી તથા ફલક-પાતળું લાંબું પાટિયું, કાષ્ઠ–જાડું અને લાંબુ લબ્ધસન્માનાદિયુક્ત મેળવેલ અને અપલબ્ધ-તિરસ્કારપૂર્વક મેળવેલ જે ભોજનાદિ વૃત્તયો—નિર્વાહો તે લબ્ધાપલબ્ધ વૃત્તિઓ 'દામ્મિ રૂ વા' આધાય–સાધુને આશ્રયીને કર્મ–સચેતન (ફલાદિ) ને અચેતન કરવારૂપ અથવા અચેતન (તંદુલાદિ) ની પાકલક્ષણક્રિયા 1. प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा । इति तत्त्वार्थवचनात् 2. પ્રમાદ સહિત પ્રવૃત્તિ કરતાં જીવહિંસા ન થાય તો પણ આરંભ લાગે અને અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરતાં જીવહિંસા થઈ જાય તો પણ આરંભ લાગે નહિ. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે અપ્રમત્ત યતિને ઈર્યાસમિતિ સંયુક્ત ચાલતાં કુકુટ વગેરેના ઇંડા પગ નીચે આવીને હણાઈ જાય તો પણ ઈર્યાપથિકી ક્રિયા લાગે પણ સાંપરાયિકી ક્રિયા લાગે નહિ. 296
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy