SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સુખરૂપ વિપક્ષના લેશ વડે પણ કલંકિત નહિ અર્થાત્ એકાંત દુઃખમય, યાવત્ શબ્દથી ત્રીણિ-મન, વચન અને કાયબલને અથવા ઉપરનો, મધ્યનો અને નીચેનો કાયાનો વિભાગ, તેને તુરત–જીતે છે તે ત્રિતુલાને, ક્વચિત્ વિપુતાં—એવો પાઠ છે તેમાં વિપુલા-શરીરમાં વ્યાપ્ત થયેલી વેદનાને, તથા પ્રઢાં—પ્રકર્ષવાળીને, ટુ-કર્કરસનું ઉત્પાદન કરવાવાળીને, શાં- કર્કશ સ્પર્શ સંપાદન કરેલીને, અથવા કટુક દ્રવ્યની જેમ કડવી અનિષ્ટને એમ કર્કશ પણ જાણવી. aviવેગવાળી, જલ્દીથી મૂચ્છને ઉપજાવનારી એવી વેદનાને ભોગવશે. વેદના બે પ્રકારે છે–સુખરૂપ અને દુઃખરૂપ, માટે સુખનો નિષેધ કરવા સારુ દુઃખરૂપ વેદનાને એમ કહ્યું. તુ–પર્વતાદિ દુર્ગ-ટેકરાની જેમ કોઈપણ રીતે ઉલ્લંઘન કરવા માટે અશક્યને, દિવ્યાં–દેવ વડે બનાવેલીને, વધારે કહેવાથી શું?—દુધસહ સહન કરવા માટે અશક્ય એવી વેદનાને ભોગવશે. આ જ જંબુદ્વીપમાં પરંતુ અસંખ્યાતતમ જંબૂદ્વીપમાં નહિં. 'પુનત્તાપ' 7િ૦ પુરુષપણાએ પક્વાયાદિ' ત્તિ ફરીથી ઉત્પન્ન થશે. વધુપડપુત્રા' તિ અતિપરિપૂર્ણ (નવ માસ) ઉપર અર્ધઅષ્ટમ ૭ી છે જેમાં તે અઅષ્ટમ અર્થાત્ દશમા મહિનાના સાડાસાત અહોરાત્ર વ્યતીત થયે છતે, અહિં છઠ્ઠી વિભક્તિ સપ્તમીના અર્થમાં છે. સુકુમાર-કોમળ હાથ અને પગ છે જેના તે સુકુમારપાણીપાદ, તેને, પ્રતિપૂર્ણ-સ્વકીય સ્વકીય પ્રમાણથી અથવા પ્રતિપુણ્ય-પવિત્ર પાંચ ઈદ્રિયો-કરણો છે જેમાં તે અહીન પ્રતિપૂર્ણ (પ્રતિપુણ્ય) પંચેંદ્રિય શરીર, અથવા અંગોપાંગના પ્રમાણથી હીન નહિ અને સંપૂર્ણ પાંચ ઇંદ્રિય અથવા પવિત્ર પાંચ ઇંદ્રિયવાળું શરીર છે જેનું તે અહીનપ્રતિપૂર્ણ પંચેંદ્રિય શરીર કે અહીનપ્રતિપૂર્ણપચેદ્રિય શરીર તેને, તથા લક્ષણશાસ્ત્રમાં કહેલ પુરુષના લક્ષણ 'અસ્થિqર્થી સુરd માં' ત્યા૦િ હાડકાં મજબૂત હોય તો દ્રવ્ય મળે, માંસ સારું હોય તો સુખ મળે ઇત્યાદિ, અથવા માન ઉન્માનાદિક વ્યંજન-મેષ, તિલાદિ, ગુણ-સૌભાગ્યાદિ, અથવા લક્ષણ વ્યંજનના જે ગુણો છે તે ગુણ વડે યુક્ત તે લક્ષણભંજનગુણોપેત 'રૂવવે મો'ત્તિ આ પ્રયોગ તો પ્રાકૃતપણાથી વર્ણવિ]ના આગમથી થયેલ છે અથવા ‘ઉપ’ અપેત આ બેની સ્થિતિમાં શકવ્વાદિ ગણને જોવાથી અકારનો લોપ કીધે છતે ઉપપેત પ્રયોગ થાય છે તેથી લક્ષણવ્યંજનગુણોપપેતને. લક્ષણવ્યંજનનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે माणुम्माणपमाणादि, लक्खणं वंजणं तु मसमाई । सहजं व लक्खणं वंजणं तु पच्छा समुप्पन्नं ॥८॥ ' અર્થ-માન, ઉન્માન અને પ્રમાણાદિ લક્ષણ છે અને વ્યંજન તો મષ, તિલાદિ છે અથવા સહજ શરીર સાથે ઉત્પન્ન થયેલ હસ્તરેખાદિ તે લક્ષણ અને પાછળથી ઉત્પન્ન થયેલ તે વ્યંજન કહેવાય છે. (૮) લક્ષણને મુખ્ય કરીને વિશેષાંતરને કહે છે–'માગુમ્માન' ત્યાદિ તેમાં માન-જલદ્રોણનું પ્રમાણપણું, તે આ પ્રમાણેજળથી ભરેલ કુંડને વિષે જેનું માન કરવું હોય તે પુરુષને બેસાડવો, તેથી જલ, કુંડથી બહાર નીકળેલું છે તે જળ, જો દ્રોણપ્રમાણ થાય તો તે પુરુષમાનોપેત કહેવાય છે. તુલા-ત્રાજવા પર તોલેલ પુરુષનું જે અદ્ધભાર પ્રમાણપણું (વજન) તે ઉન્માન કહેવાય છે અને પોતાના અંગુલ વડે એકસો ને આઠ અંગુલની ઊંચાઈ તે પ્રમાણ' કહેવાય છે. કહ્યું છે કેजलदोण १ मद्धभारं २, समुहाई समुस्सिओ व जो नव उ । माणुम्माणपमाणं, तिविहं खलु लक्खणं एयं ॥९॥ અર્થ-જલદ્રોણપ્રમાણ તે માન, અદ્ધભાર પ્રમાણ વજન તે ઉન્માન અને પોતાના મુખથી નવગુણી ઊંચાઈ તે પ્રમાણ અર્થાત્ બાર અંગુલનું મુખ તે પ્રમાણયુક્ત કહેવાય છે, તેને નવગુણું કરતાં એકસો ને આઠ અંગલ થાય છે તે તેટલી ઊંચાઈ ઉત્તમ પુરુષની હોય છે. આ ત્રણ લક્ષણ છે. all તેથી માન, ઉન્માન અને પ્રમાણ વડે પ્રતિપૂર્ણ, સુંદર છે શિર વગેરે બધાય અંગો જેમાં તે અને તેવા પ્રકારનું સુંદર અંગશરીર છે જેનું તે માનોન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ સુજાત અંગ, તેને તથા શશિવત્ સૌમ્ય આકારવાળું, કાંત-મનોહર, પ્રિયપ્રીતિને ઉત્પન્ન કરનારું, દર્શન છે જેનું તે શશિસૌમ્યાકારકાન્તપ્રિયદર્શન, તેને આથી જ સુરૂપવાળા એવા દારક-બાળકને, ભદ્રા જન્મ આપશે. એ પ્રમાણે સંબંધ છે. નં ર ળ વ ત્તિ જે રાત્રિમાં નં ર ' ત્તિ તે રાત્રિમાં વળી, અદ્ધ રાત્રમાં જ '1, આ ઊંચાઈ બીજા ઉત્તમ પુરુષોની અપેક્ષાએ સમજવી, તીર્થકરની ઊંચાઈ તો એકસો ને વીશ અંગુલની હોય છે. – 291
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy