________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् ઉપાનહ-પગરખાનો નિષેધ, ભૂમિ ઉપર શયન, ફલક-પાતળા લાંબા પાટીઆ ઉપર શયન, કાષ્ટ-જાડા અને લાંબા પાટ ઉપર શયન, કેશનું લંચન, બ્રહ્મચર્યમાં વસવું પરઘરમાં ભિક્ષાને અર્થે પેસવું, યાવત્ લબ્ધ-આદરપૂર્વક ભોજનાદિનું મળવું અને ઉપલબ્ધ-અનાદરપૂર્વક ભોજનાદિનું મળવું તફ્લપ વૃત્તિઓ કહેલી છે એવી રીતે મહાપદ્મ અહતું પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે નગ્નભાવ અર્થાત્ પ્રમાણપત શ્વેત વસ્ત્રાદિનું રાખવું કાવત્ લમ્બાપલબ્ધ વૃત્તિઓને કહેશે. હે આય! તે જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે આધાર્મિક-સાધુને નિમિત્તે બનાવેલું, ઉદેશિક વાચક, પાખંડીને ઉદ્દેશીને બનાવેલું, મિશ્રજાત-કંઈક સાધુને અર્થે અને કંઈક પોતાને અર્થે બનાવેલું, અથવપૂરક-પ્રથમ પોતાને માટે બનાવેલ હોય તેમાં સાધુને માટે પૂરવું-ધાન્યાદિ કંઈક પ્રક્ષેપવું, પૂતિક-શુદ્ધમાન આહાર છતાં પણ આધાકદિ અંશો વડે અપવિત્ર કરેલું, કૃત-વેચાતું લાવેલું, પ્રામિત્ય-સાધુને નિમિત્તે ઉછીનું (ઉધારો લાવેલું, આચ્છિદ્ય-નોકરો વગેરે પાસેથી ઝૂંટવી લીધેલું, અનિસુખ-સાધારણ અર્થાત્ ઘણા લોકોની માલિકીવાળું હોવાથી એક જણાએ નહિ આજ્ઞા આપેલું, અભ્યાહત-સન્મુખ લાવેલું, કાંતારભક્ત-અટવીમાં સાધુ વગેરે માટે બનાવેલું, દુર્ભિશભક્ત-દુષ્કાલમાં ભિક્ષુકોને માટે બનાવેલું, ગ્લાનભક્ત-રોગીને માટે બનાવેલું, વલિકાભક્ત-વાદળા હોવાથી ભિક્ષુઓ ફરી શકે નહિ તેના સારુ બનાવેલું, પ્રાપૂર્ણભક્ત-આવનાર ભિક્ષુકોને માટે બનાવેલું, પુનર્નવા (સાટોડી) પ્રમુખના મૂલનું ભોજન, સૂરણ વગેરે કંદનું ભોજન, કાકડી વગેરે ફલનું ભોજન, દાડમ વગેરે બીજનું ભોજન, હરિભાજન એટલે મધુરતુણાદિ-શેલડી સાંઠા વગેરેનું ભોજન, નિષેધેલ છે એવી રીતે મહાપદ્મ અહતું પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે આધાર્મિક યાવત્ હરિત ભોજનને લેવાનો નિષેધ કરશે. હે આર્યો! તે જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે પાંચ મહાવ્રતયુક્ત, સપ્રતિક્રમણ, અચલકધર્મ કહેલ છે, એવી રીતે મહાપદ્મ અરિહંત પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે પાંચ મહાવ્રતયુક્ત, યાવતુ અચેલક ધર્મને કહેશે. હે આર્યો! તે જેવી રીતે મેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત યુક્ત બાર પ્રકારનો શ્રાવકનો ધર્મ કહેલો છે એવી રીતે મહાપદ્મ અરિહંત પણ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપે યાવતું શ્રાવક ધર્મને કહેશે. હે આર્યો! તે જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે શય્યાતરપિંડ તથા રાજપિંડ લેવાનો નિષેધ કરેલ છે. એવી રીતે મહાપદ્મ અરિહંત પણ શય્યાતરપિંડ તથા રાજપિંડનો નિષેધ કરશે. હે આર્યો! જેવી રીતે મારા નવ ગચ્છ અને અગ્યાર ગણધરો છે એવી રીતે મહાપદ્મ અરિહંતના નવ ગચ્છ અને અગ્યાર ગણધરો થશે. હે આર્યો! જેવી રીતે હું ત્રીશ વર્ષ સુધી ઘરવાસ મથે વસીને મુંડિત થઈ યાવત્ દીક્ષિત થયો છું. બાર વર્ષ અને તેર પક્ષ. (સાડા છ માસ) સુધી છદ્મસ્થ પર્યાયને પ્રાપ્ત કરીને તેર પક્ષ ન્યૂન ત્રીશ વર્ષના કેવલીપર્યાયને પ્રાપ્ત કરીને (સર્વ) . બેતાળીસ વર્ષના શ્રમણ્ય (સાધુપણા) પર્યાયને પ્રાપ્ત કરીને બોંતેર વર્ષના સર્વ આયુષ્યને પાળીને સિદ્ધ થઈશ યાવતું સર્વ દુઃખનાં અંતને કરીશ. એવી રીતે મહાપદ્મ અરિહંત પણ ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને યાવતું દીક્ષા લેશે. બાર વર્ષ યાવત્ બોતેર વર્ષના સર્વ આયુષ્યને પાળીને સિદ્ધ થશે. યાવત્ સર્વ દુઃખોના અંતને કરશે. જે શીલ સમાચાર અર્થાતુ અનુષ્ઠાનમાં સ્વભાવ, અરિહંત તીર્થકર મહાવીરનો હતો તે જ શીલસમાચાર મહાપદ્મ અરિહંતનો
થશે. // //૬૩/l. (ટી) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે–ષ:-હમણાં કહેલ આર્યો! એ સાધુઓને આમંત્રણ વચન છે 'ઉપમિ'ત્તિ ઢક્કા (ડંકો) તે છે સારભૂત જેને તે બિંબિસાર. કેમ કે તેણે (શ્રેણિક) કુમારપણામાં ઘરમાં આગ લાગે છતે તેમાંથી જયઢક્કા કાઢી હતી. તેથી પિતાએ તેને બિંબિસાર કહ્યું. પ્રથમ પ્રસ્તટ (પાથડા) વર્તી સીમંતકનામા નરકેન્દ્રમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળી નારકોની મધ્યે નારકપણાએ ઉત્પન્ન થશે. કાલ–સ્વરૂપથી કાળો, કાલાવભાસ-જોનારાને કાળો જ દેખાય છે થાવતુ શબ્દથી 'મીરત્નમરિસે’ ગંભીર–મહાનું લોમહર્ષ-ભયનો વિકાર છે જેને તે ગંભીર લોમહર્ષ, ખીમો—વિકરાલ, '૩ત્તાસો —ઉગ ઉત્પન્ન કરનાર, પરવિન્ટે વન્નેvi' તિ, પ્રસિદ્ધ છે. શ્રેણિક રાજા, તે નરકમાં વેદનાને વેદશે. ૩qતાં
290