SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् રાજાઓ, ઈશ્વર-યુવરાજો, તલવર-સંતુષ્ટ થયેલ રાજાએ જેને પાઘડી બંધાવી હોય તેવા અધિકારીઓ, માડંબિકછિન્નમડેબના અધિપતિ, કૌટુંબિક-કેટલાએક કુટુંબોના સ્વામી, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વગેરે પરસ્પર એકબીજાને બોલાવશે અને એમ કહેશે કે-જે હેતુથી હે દેવતાઓને વલ્લભ! આપણા મહાપદ્મ રાજાને બે દેવો મહદ્ધિક યાવત્ મહાન ઐશ્વર્યવાળા સેનાકર્મ કરે છે તે આ પ્રમાણે—પૂર્ણભદ્ર અને માણિભદ્ર તેથી હે દેવાનુપ્રિયો! આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન પણ થાઓ. ત્યારપછી તે મહાપદ્મ રાજાનું બીજું દેવસેન એવું નામ પણ થશે. ત્યારબાદ તે દેવસેન રાજાને અન્યદા કદાચિત, શ્વેત, શંખના મધ્ય ભાગ જેવું નિર્મળ અને ચાર દાંતવાળું હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા, તે શ્વેત, શંખના મધ્ય ભાગ જેવા નિર્મળ, ચાર દાંતવાળા હસ્તિરત્ન ઉપર આરોહણ કરતો થકો શદ્વાર નગરના મધ્યો મધ્યથી વારંવાર આવશે અને જશે ત્યારે તે શતદ્વાર નગરને વિષે ઘણા રાજા, યુવરાજો, તલવર યાવતું પરસ્પર એક બીજાને બોલાવશે. બોલાવીને એમ કહેશે કે-જે કારણથી હે દેવાનુપિયો! આપણા દેવસેને રાજાને શ્વેત, શંખના મધ્ય ભાગ જેવો નિર્મળ, ચાર દાંતવાળો, હસ્તિરત્ન ઉત્પન્ન થયેલ છે તેથી હે દેવાનુપ્રિયો! આપણા દેવસેન રાજાનું વિમલવાહને એવું ત્રીજું નામ પણ થાઓ. ત્યારબાદ તે દેવસેન રાજાનું વિમલવાહન એવું ત્રીજું નામ પણ થશે. ત્યારપછી તે વિમલવાહન રાજા, ત્રીશ વર્ષ સુધી ગૃહવાસ મધ્યે બેસીને માતાપિતા સ્વર્ગમાં ગયે છતે, ગુરુમહત્તર વડીલ વર્ગની આજ્ઞા થયે છતે શરદ ઋતુને વિષે અર્થાત્ માગશર વદ (ગુજરાતી કારતક વદ) દશમને દિવસે અનુત્તર-શ્રેષ્ઠ મોક્ષમાર્ગને વિષે સંબદ્ધતત્પર થશે. વળી પણ સંસારનો અંત કર્યો છે જેણે એવા તે લોકાંતિક અર્થાત્ આગામી ભવમાં મોક્ષે જનારા દેવો, વળી તીર્થકરની દીક્ષાના સમયમાં જિનને પ્રબોધ કરવારૂપ 2જિત-અવશ્ય કર્તવ્ય લક્ષણ આચાર છે જેનો એવા ઉત્તમ દેવો વડે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણા-મનને આનંદકારી, ઉદાર કલ્યાણકારી, ધન્યસમૃદ્ધિને કરનારી, શિવ-નિરુપદ્રવને કરનારી, મંગલકારી, સશ્રીક-અલંકારાદિ શોભાયુક્ત, એવી વાણીથી અભિનંદન કરાતો થકો, સ્તુતિ કરાતો થકો, નગરની બહાર સંભૂમિભાગા ઉદ્યાનને વિષે એક ઇન્દ્ર આપેલ દેવદુષ્ય (વસ્ત્ર)ને ગ્રહણ કરીને, મંડિત થઈને પંચમુષ્ટિ લોચ કરીને, ગ્રહવાસથી નીકળીને અણગારપણાને ગ્રહણ કરશે. જે દિવસે દીક્ષા લેશે તે દિવસથી એવા પ્રકારનો અભિગ્રહ લેશે કે-કોઈ પણ ઉપસર્ગ ઉત્પન્ન થયે છતે કાયાની સંભાળ કરવી નહિ પરંતુ સમ્યક્ સહન કરવા. તે ભગવાન્ સાતિરેક સાડા છ માસ ઝાઝેરા બાર વર્ષ પર્યત હમેશાં કાયાને વોસિરાવશે. દેહની સંભાળ કરશે નહિ અને તેને જે કોઈ પણ ઉપસર્ગો ઉત્પન્ન થશે, તે આ પ્રમાણેદેવકૃત, મનુષ્યકૃત અથવા તિર્યંચયોનિકો વડે કરાયેલા, તે ઉત્પન્ન થયે છતે સમ્યક પ્રકારે સહન કરશે, ક્ષમા કરશે, અદીનતાએ તિતિક્ષા કરશે અને અધ્યાસશે અર્થાતુ અકંપ રહેશે ત્યારે તે ભગવાન ઇર્યાસમિતિવાળા. ભાષાસમિતિવાળા યાવતું ગુપ્ત બ્રહ્મચારી, મમતારહિત, અકિંચન, બાહ્ય અભ્યતર ગ્રંથિ (ગાંઠ) ને છેદનારા, લેપ રહિત, કાંસ્ય પાત્રની જેમ મુક્તતોય-સ્નેહરૂપ જલને નહિ લગાડનારા, જેમ ભાવનામાં અર્થાત્ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પંદરમા અધ્યયનને વિષે કહ્યું છે તેમ અહિં કહેવું યાવતું સારી રીતે આહુતિ આપેલ હુતાશન (અગ્નિ)ની જેમ જ્ઞાનરૂપ તેજ વડે દીપ્ત થશે. “કાંસાના પાત્રની જેમ સ્નેહરહિત ૧, શંખની જેમ રંગ રહિત ૨, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા ૩, ગગનની જેમ આલંબન રહિત ૪ વાયુની જેમ અપ્રતિબદ્ધવિહારી ૫, શરદ ઋતુના જલની જેમ સ્વચ્છ હદયવાળા ૬, કમલ પત્રની જેમ લેપરહિત ૭, કાચબાની જેમ ઇન્દ્રિયોને વશ કરનારા ૮, પક્ષીની પરે પરિવાર રહિત ૯, ગેંડાની પેઠે એકલવિહારી (ગેંડાને એક શીંગડું હોય છે) ૧૦, ભારડની પરે અપ્રમત્ત ૧૧. /૧// 1. જો કે ભગવાનું તો સ્વયંબુદ્ધ છે તથાપિ તે દેવોનો આવો આચાર છે કેમ કે પૂર્વભવમાં ચારિત્ર પાળીને તેઓ દેવો થયેલ હોય છે તેથી ચારિત્રધર્મ ઉપર અત્યંત અનુરાગવાળાં હોય છે, તે અલ્પ કષાયવાળા અને દેવોમાં દેવર્ષિ તરીકે ઓળખાય છે, અન્ય દેવોને તેઓ ઉપદેશ આપે છે. ત્રિલોકસાર નામ દિગંબર સંપ્રદાયના ગ્રંથમાં તો તેમને ચૌદ પૂર્વધર કહેલા છે. 'વસ પુત્રધર' ત્યાતિ 288
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy