SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ जाव सावगधम्मं पण्णवेस्सति । से जधानामए अज्जो ! मए समणाणं निग्गंथाणं सेज्जातरपिंडे ति वा रायपिंडे ति वा पडिसिद्धे एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं सेज्जातरपिंडे ति रायपिंडे ति वा पडिस्सेधिस्सति । से जधाणामते अज्जो ! मम णव गणा एगारस गणधरा, एवामेव महापउमस्स वि अरहतो णव गणा एगारस गणधरा भविस्संति । से जहाणामते अज्जो ! अहं तीसं वासाई अगारवासमज्झे वसित्ता मुंडे भवित्ता जाव पव्वतिते दुवालस संवच्छराई तेरस पक्खा छउमत्थपरियागं पाउणित्ता तेरसहिं पक्खेहिं ऊणगाई तीसं वासाई केवलिपरियागं पाउणित्ता बायालीसं वासाई सामण्णपरियागं पाउणित्ता बावत्तरि वासाई सव्वाउयं पालइत्ता सिज्झिस्सं जाव सव्वदुक्खाणमंतं करेस्सं, एवामेव महापउमे वि अरहा तीसं वासाई अगार जाव पव्विहिती, दुवालस संवच्छराई जाव बावत्तरिं वासाई सव्वाउयं पालइत्ता सिज्झहितो जाव सव्वदुक्खाणमंतं काहिती 'નસ્તસીલસમાયારો, ગરહા તિર્થંો મહાવીરો । તસ્ક્રીતસમાયારો, હોતિ ૩ ગરહા મહાપડમો।।।।'' IIR॰ ૬૧૩/ (इति श्रीमहापभचरित्रं संपूर्णमिति ।) (મૂળ) ભગવાન્ શ્રીમહાવીર કહે છે કે હે આર્યો! આ શ્રેણિક રાજા અપરનામ ભંભસાર કાલને અવસરે કાલ (મરણ) કરીને આ રત્નપ્રભા પૃથ્વિીને વિષે સીમંતકનામા નરકાવાસને વિષે ચોરાશી હજાર વર્ષની સ્થિતિમાં નરકને વિષે નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, સ્વરૂપથી કાળો, જોવાથી પણ કાળો દેખાય તેવો, યાવત્ વર્ણથી પણ પરમકૃષ્ણ થશે. તે ત્યાં ઉજ્જ્વલ-લેશ પણ સુખરહિત એકાંત દુઃખમય અને દુઃખ વડે વેદી શકાય એવી વેદનાને ભોગવશે. તે શ્રેણિક રાજાનો જીવ નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં આ જ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રને વિષે વૈતાઢ્ય પર્વતના પાદમૂલમાં પુંનામા દેશને વિષે શતદ્વાર નગરમાં સમુદ્દિતનામા કુલકરની ભદ્રાનામા ભાર્યાની કુખને વિષે પુરુષપણે અવતરશે. ત્યારબાદ તે ભદ્રાભાર્યા, નવ મહિના સંપૂર્ણ થયે છતે અને ઉપર સાડાસાત રાત્રિદિવસ વ્યતીત થયે છતે સુકુમાલ છે હાથ પગ જેના, તથા અહીન-પ્રતિપૂર્ણ પવિત્ર પંચેંદ્રિય શરીર છે જેનું એવા અને લક્ષણ વ્યંજન યુક્ત યાવત્ સુંદર રૂપવાળા બાલકને જન્મ આપશે. જે રાત્રિને વિષે તે બાળક જન્મશે તે રાત્રિને વિષે શતદ્વારનામા નગરમાં અત્યંતર અને બહાર અર્થાત્ સર્વત્ર બે હજાર પલ લક્ષણ ભારપ્રમાણ, સાઠ આઢકલક્ષણ કુંભપ્રમાણ પદ્મ-કમલની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ વરસશે (થશે). ત્યારપછી તે બાળકના માતાપિતા અગ્યારમો દિવસ વ્યતિક્રાન્ત થયે છતે યાવત્ બારમે દિવસે આવા પ્રકારનું ગૌણ–ગુણથી આવેલું, પદ્મવૃષ્ટિ પ્રમુખ ગુણથી નિષ્પન્ન થયેલું, નામ સ્થાપન કરશે. જે માટે અમારા બાળકનો જન્મ થયે છતે શતદ્વાર નગરમાં અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ, કુંભાગ્ર પ્રમાણ પદ્મ-કમલની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ વરસેલ છે માટે અમારા બાળકનું મહાપદ્મ એવું નામ થાઓ. ત્યારપછી તે બાળકના માતાપિતા, ‘મહાપદ્મ' એવું નામ સ્થાપન કરશે. ત્યારબાદ મહાપદ્મ બાળક, કંઈક અધિક આઠ વર્ષનો થયો છે એમ જાણીને મોટા રાજ્યાભિષેક વડે તેને અભિષેક કરશે. તે ત્યાં મોટો હિમવાનુ, મોટો મલય-વિન્ધ અને મેરુસમાન‘રાજાના ગુણના વર્ણનવાળો રાજા થશે યાવત્ રાજ્યને સાધતો થકો વિચરશે. ત્યારબાદ તે મહાપદ્મ રાજાને અન્યદા ક્યારેક બે દેવો (યક્ષો) મહર્ષિક યાવત્ મહેશ–મહાન્ ઐશ્વર્યવાળા, સેનાકર્મ–શત્રુને સાધવાનું કાર્ય કરશે, તે આ પ્રમાણે—પૂર્ણભદ્ર અને મણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણા મંડલિક 1.' શ્રેણિક રાજાએ, મહેલમાંથી વસ્તુઓમાં સારભૂત ભંભા લીધી તેથી ભંભસાર કહેવાયા. 2. રાજાનું વર્ણન ઉવવાઇ સૂત્રમાં કોણિકનું જેમ કરેલ છે તેમ અહિં સમજવું. 287
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy