________________
श्री स्थानाङ्ग सूत्र सानुवादं भाग २ ९ स्थानकाध्ययने पार्श्वशरीरमानं वीरतीर्थे भावीजिनाः ६९० - ६९१ सूत्रे બોલ્યા-હે શ્રાવકો! તમે શંખની હીલના ન કરો. શંખ તો હીલના કરવા યોગ્ય નથી કારણ કે શંખ, દૃઢધર્મી, પ્રિયધર્મી છે તથા સુદૃષ્ટિ જાગરિકાનું જાગરણ કરેલ છે' ઇત્યાદિ ૬-૭, સુલસા રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાના નાગ નામના રથિક (સારથી) ની ભાર્યા હતી, તેનું ચરિત્ર આ પ્રમાણે સંભળાય છે કે–તેણે પુત્રને માટે ઇંદ્રાદિકને નમસ્કાર કરતા એવા પોતાના પતિને કહ્યું કે–તમે બીજી સ્ત્રીનું પાણિગ્રહણ કરો. તે બોલ્યો કે–હે પ્રિયે! જો તને પુત્ર થાય તો તેથી જ મારે પ્રયોજન છે એમ કહીને તેણે તે કબૂલ ન કર્યું. આ તરફ શક્રાલય-ઇંદ્રસભામાં સુલસાના (દઢ) સમ્યક્ત્વની પ્રશંસાને (ઇંદ્રમુખેથી) સાંભળીને તેની પરીક્ષાને અર્થે કોઈ પણ દેવ સાધુનું રૂપ કરીને આવ્યો. તેને વાંદીને સુલસા બોલી-હે મહાત્મન્! આગમનનું શું પ્રયોજન છે? દેવ (મુનિરૂપે) બોલ્યો-તારા ઘરમાં લક્ષપાક તેલ છે તે મને વૈધે બતાવેલ છે માટે મને આપો. ‘હું આપું છું’ એમ કહી, ઘરમાં જઈને તેલને લેતાં થકાં તેનું ભાજન દેવે ફોડી નાખ્યું. એમ બીજો અને ત્રીજો તેલનો શીશો ફોડ્યો તોપણ તેને ખેદ રહિત જોઈને દેવ તુષ્ટમાન થયો અને બત્રીશ ગોળીઓ આપી. અને કહ્યું કે–એક એક ગોળી તમે ખાઓ તો બત્રીશ પુત્રો તમને થશે. વળી કાર્ય પડયે છતે મારું સ્મરણ કરજો એમ કહીને તે દેવ ગયો. સુલસાએ વિચાર્યું કે-‘બધીય ગોળીઓ વડે પણ મને એક જ પુત્ર થાઓ,’ એમ ચિંતવીને બધી ગોળીઓ તે ખાઈ ગઈ. ગોળીઓના આહ્વાનથી બત્રીશ પુત્રો તેના ગર્ભમાં અવતર્યા, તેથી જઠર (પેટ) વધવા લાગ્યું. અરિત થઈ અર્થાત્ ગર્ભનો ભાર વધવા લાગ્યો. ગર્ભનો ભાર વધવાથી પીડા થઈ ત્યારે કાયોત્સર્ગ (દેવનો) કર્યો. તેથી દેવ આવ્યો. સુલસાએ તેને વૃત્તાંત નિવેદન કર્યું. દેવે મહાઉપકાર કર્યો, પછી લક્ષણવાળો પુત્રનો સમૂહ થયો અર્થાત્ બત્રીશ પુત્રો એક નાડીવાળા જન્મ્યા ઇત્યાદિ (આ બત્રીશેની એક નાડી હોવાથી ચેડારાજાના બાણથી એકી સાથે બધા મૃત્યુ પામ્યા) ૮, તથા રેવતી, ભગવાનને ઔષધની આપનારી છે કેવી રીતે?-એકદા મેંઢિક ગામમાં વિચરતાં ભગવાનને પિત્તજ્વર અત્યંત દાહવાળો થયો અને લોહીવાળો અતિસાર થવા લાગ્યો ત્યારે ચાતુર્વર્ણ-જનસમુદાય કહેવા લાગ્યો કે–ગોશાલકના તપતેજ વડે બળેલ શરીરવાળા ભગવાન્ છ મહિનાની અંદર ફાલ કરશે. આમ સાંભળવાથી સિંહ નામના મુનિ, આતાપના અવસાનમાં એમ માનવા લાગ્યા કે–મારા ધર્માચાર્ય, ભગવાન્ મહાવીરને જ્વર રોગ પીડા કરે છે તેથી હા (ઇતિખેદે) અન્યતીર્થિકો એમ કહેશે કે-ગોશાલકના તેજ વડે હણાયેલ છદ્મસ્થ જ મહાવીર કાલગત થયેલ છે. એવા પ્રકારની વિચારણા વડે મનમાં મહાદુ:ખ ઉત્પન્ન થવાથી ખેદિત શરીરવાળો તે સાધુ માલુકકચ્છ નામા નિર્જન વનમાં પ્રવેશીને કુકુહ એવા પ્રકારના મહાધ્વનિ વડે અત્યંત રોવા લાગ્યો. ત્યા૨ે ભગવાને સ્થવિર મુનિદ્વારા તેને તેડાવીને કહ્યું કે-હે સિંહ! જે તેં કલ્પના કરી છે તે પ્રમાણે થશે નહિં કારણ કે આજથી હું દેશે ઊણા સોળ વર્ષ પર્યન્ત કેવલીપર્યાયને સંપૂર્ણ કરીશ, તેથી તું નગર મધ્યે જા, ત્યાં ગૃહપતિની રેવતીનામા પત્નીએ મારા માટે બે કુષ્માંડલનાં શરીરો (કોળાપાક) બનાવેલ છે તેનું મારે પ્રયોજન નથી પણ તેના ઘરમાં પરિવાસિત (વાસી રાખેલું) માર્જર નામા વાયુની શાંતિ કરનારું કુકુટમાંસ-વીનપૂરટાઇ
1. આનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં છે. અહિં ટીકાકારે શંખ અને પુષ્કલી બન્ને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે એમ કહ્યું પરંતુ કેટલાએક આચાર્યોનો એવો અભિપ્રાય છે કે-ભગવતી સૂત્રના અનુસારે શંખ મહાવિદેહમાંથી સિદ્ધ થશે માટે આ શંખ બીજો સમજવો પરંતુ નિપુણ બુદ્ધિમાન્ ટીકાકારે અહિં જે લખ્યું છે તે અવશ્ય વિચારીને લખેલું હોવું જોઈએ કેમ કે ભગવતી સૂત્ર પણ ટીકાકારના લક્ષ બહાર હોય નહીં. વળી ભગવતી સૂત્રમાં ૠષિભદ્રની માફક અતિદેશથી સિદ્ધ થવાનું કહેલ છે પરંતુ સાક્ષાત્ સૂત્રપાઠથી મહાવિદેહમાંથી સિદ્ધ થશે એમ નથી તેથી આ સંભવી શકે છે.
2. કુક્કુટ માંસ શબ્દનો અર્થ બીજોરાપાક સમજવો. પરન્તુ કેટલાએક અનાર્ય અર્થ કરે છે તે યુક્ત નથી. કારણ માંસ શબ્દનો અર્થ ‘વનસ્પતિના ગર્ભમાં’ સુશ્રુતાદિ ગ્રન્થમાં પ્રસિદ્ધ છે. વળી વનસ્પતિના નામો પણ કુકડવેલ, સર્પિણી, કાકજંઘા, મડુંકીવ્યાઘ્રી, ગોજિહ્વા, મેષશૃંગી, વારાહી, ગજદંતા, નાગબલા, બલાકા, હંસપદી, માર્જરી, શુક૨વલ્લી, ગોકર્ણી, હરણપુરી, ગોક્ષુર, અશ્વકર્ણી, ઉંદ૨કર્ણી, કૃષ ઇત્યાદિ અનેક નામો વૈઘકશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે; માટે શબ્દભ્રમથી ભ્રમિત ન થવું. ટીકાકારે સ્પષ્ટ બીજોરાપાક લખેલ છે તેજ સત્ય અર્થ છે.
282