________________
९ स्थानकाध्ययने पार्श्वशरीरमानं वीरतीर्थे भावीजिनाः ६९० - ६९१ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
શ્રેણિક રાજાએ ૧, મહાવીરસ્વામિના કાકા સુપાર્શ્વ ૨, કોણિક રાજાના પુત્ર ઉદાયીરાજાએ ૩, પોટ્ટિલ નામના અણગારે ૪, દૃઢાયુ અપ્રસિદ્ધ છે ૫, શંખનામા ભગવાનનો મુખ્ય શ્રાવક ૬, શતક અપરનામ પુષ્કલી ૭, સુલસા શ્રાવિકા પ્રસિદ્ધ છે ૮ ભગવાન માટે બીજોરાપાકની વહોરાવનારી રેવતી શ્રાવિકા ૯–આ નવ જીવોએ તીર્થંકરનામગોત્ર બાંધેલ છે. II૬૯૧
(ટી૦) 'પાસે'ત્યાદ્રિ સૂત્ર સુગમ છે. II૬૯૦
સમસ્તે ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે 'તિત્યારનામે'ત્તિ તીર્થંક૨૫ણાના કારણભૂત નામ તે તીર્થંકરનામ તે અને ગોત્ર-કર્મવિશેષ જ માટે એકવત્ ભાવથી તીર્થંકરનામગોત્ર કહ્યું. અથવા તીર્થંકરનામ એવું ગોત્ર-અભિધાન છે જેનું તે તીર્થંકરનામગોત્ર. શ્રેણિક રાજા પ્રસિદ્ધ છે, તેણે તે (બાંધ્યું છે) ૧, એમ સુપાર્શ્વ–ભગવાન મહાવીરના કાકા ૨, કોણિકનો પુત્ર ઉદાયી–કોણિક રાજા મૃત્યુ પામ્યે છતે પાટલીપુત્ર (પટના)માં તે વાસ કરતો હતો. તે રાજા પોતાના ભવનના જૂદા એક વિભાગમાં પર્વદિવસને વિષે, સંવિજ્ઞ અને ગીતાર્થ એવા સદગુરુને તેડાવીને તેની સેવામાં પરાયણ થઈને પરમ સંવેગ રસના · પ્રકર્ષને અનુસરતો થકો સામાયિક, પૌષધ વગેરે સુશ્રાવકને યોગ્ય અનુષ્ઠાનમાં રહે છે. એકદા તે રાજા, પૌષધોપવાસ કરીને રાત્રિમાં સુખે સૂતો હતો. તેનો (પૂર્વે) દેશનિકાલ કરેલ, વૈરી રાજાનો પુત્ર, બાર વર્ષના પર્યાયવાળા દ્રવ્ય સાધુએ [અભવ્ય એવા વિનયરત્ને] કંકલોહની કÍિકા (છરી) થી ગળાને કાપવા વડે વિનાશ કર્યો ૩, પોટ્ટિલનામા અણગાર અનુત્તરોપપાતિકનામા અંગ (સૂત્ર)માં કહેંલ છે તે હસ્તિનાપુરનો વાસી, ભદ્રા નામા સાર્થવાહીનો પુત્ર અને બત્રીશ ભાર્યાનો ત્યાગ કરનાર, મહાવીરસ્વામીનો શિષ્ય, એક માસની સંલેખના કરીને સર્વાર્થસિદ્ધિમાં ઉત્પન્ન થયેલ છે અને (ત્યાંથી ચ્યવીને) મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષમાં જશે અને આ પોટ્ટિલમુનિ તો આ ભરતક્ષેત્રથી મોક્ષગામી કહ્યા, તેથી આ બીજા સંભવે છે ૪, દૃઢાયુ અપ્રસિદ્ધ છે ૫, શંખ અને શતક (અપરનામ પુષ્કલી) એ બન્ને શ્રાવસ્તી નગરીના શ્રાવકો છે, તે બન્નેની આ પ્રમાણે વક્તવ્યતા છે– શ્રાવસ્તી નગરીમાં કોષ્ટક નામા ચૈત્યને વિષે એકદા ભગવાન્ પધાર્યા ત્યારે શંખ વગેરે શ્રાવકો ભગવાનનું આગમન જાણીને વંદન કરવા માટે આવ્યા. ત્યારપછી પાછા વળતાં તે શ્રાવકો પ્રત્યે શંખ શ્રાવક કહેવા લાગ્યો કે–હે દેવતાને પ્રિય શ્રાવકો! વિસ્તીર્ણ અશનાદિને તૈયાર કરો, તેથી તેને આપણે સારી રીતે ભોગવતા થકા પાક્ષિક પર્વને કરતા છતાં વિચરશું ત્યારે તે શ્રાવકોએ તેનું વચન કબૂલ કર્યું. ત્યારબાદ શંખ શ્રાવકે વિચાર્યું કે-અશનાદિ ભોજન કરીને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થઈને ‘વિચરવું તે મને શ્રેય નથી, પરંતુ પૌષધશાળામાં આભરણ અને શસ્રાદિ છોડીને તથા શાંત વેષને ધારણ કરી અને પૌષધ લઈને વિચરવું શ્રેયસ્કર છે, એમ ચિંતવીને પોતાને ઘેર જઈ, ઉત્પલા નામની પોતાની ભાર્યાને વૃત્તાંત જણાવીને પૌષધશાળામાં પૌષધ લીધો. આ તરફ તે શ્રાવકોએ અશનાદિ તૈયાર કર્યા, બધાય એકઠા થયા અને શંખની રાહ જોતા થકા રહ્યા. ત્યાર પછી શંખ નહિ આવ્યે છતે પુષ્કલી નામા શ્રમણોપાસક અપરનામ શતક, શંખને તેડવા માટે તેને ઘેર ગયો. તેને આવેલ જોઈને ઉત્પલા શ્રાવિકા, શ્રાવકને ઉચિત પ્રતિપતિ (ભક્તિ)ને કરવા લાગી. ત્યારપછી પૌષધશાળામાં તે શતક પ્રવેશ્યો અને ઇર્યાપથિકીને પડિક્કમતો હવો. ત્યારબાદ શંખ પ્રત્યે બોલ્યો-જે ભોજનને બનાવવા માટે તમે કહ્યું હતું તે અશનાદિ તૈયાર છે માટે ચાલો આપણે જઈએ અને શ્રાવકના સમુદાય સાથે તે અશનાદિને જમીએ અને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થયા થકા વિચરીએ. ત્યારે શંખ બોલ્યો—હું તો પૌષધમાં રહેલો છું માટે આવીશ નહિ. ત્યારબાદ પુષ્કલીએ જઈને બધાય શ્રાવકો આગળ તે વ્યતિકર નિવેદન કર્યો. ત્યાર પછી તે શ્રાવકોએ ભોજન કર્યું. શંખ તો પ્રાતઃકાળમાં પૌષધને પાર્યા વગર જ પારંગત પ્રભુના પાદપદ્મના નમનને અર્થે ગયો. પ્રભુને પ્રણામ કરીને ઉચિત પ્રદેશમાં બેઠો. બીજા શ્રાવકો પણ ભગવાનને વાંદી અને ધર્મને સાંભળી શંખની પાસે જઈને એમ બોલ્યા-હે દેવોને પ્રિય! તું સારો માણસ છે કે અમારી હીલના કરે છે! ત્યારે તે શ્રાવકો પ્રત્યે ભગવાન્
281