SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने वस्तूनि गणाः ६७९-६८१ सूत्राणि પ્રમાણે–ગોદાસ ગણ ૧, ઉત્તરબલિસ્સહ ગણ ૨, ઉદેહ ગણ ૩, ચારણ ગણ ૪, ઊર્ધવાતિક ગણ ૫, વિશ્વવાદી ગણ . ૬, કામદ્ધિક ગણ ૭, માનવ ગણ ૮ અને કોટિક ગણ ૯. // ૬૮oll શ્રમણ ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિગ્રંથોને નવ કોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી છે, તે આ પ્રમાણે—ઘઉં વગેરેને પીસવા વગેરેથી પોતે જીવોને હણે નહિ ૧, ગૃહસ્થો પાસેથી હણાવે નહિ ૨, અને હણતાને અનુમોદે નહિ ૩, પોતે અન્નાદિને પચાવે (રાંધે) નહિ ૪, બીજા પાસે પચાવે (રંધાવે) નહિ પ અને પકાવતા (રાંધતા)ને અનુમોદે નહિ ૬, પોતે વસ્તુ ખરીદે નહિ ૭, બીજા મારફત ખરીદાવે નહિ ૮ અને ખરીદનારને અનુમોદે નહિ ૯. //૬૮૧// (ટી0) નવ નિરૂ' ત્યાદ્રિ નિપુણ-સૂક્ષ્મ જ્ઞાન વડે વિચરે છે તે નૈપુણિકો અથવા નિપુણો જ નૈપુણિકો 'વલ્થ” આચાર્ય વગેરે પુરુષ વસ્તુઓ અર્થાત્ પુરુષો સંવાળ' સિતોપો સંખ્યાન-ગણિત તેના યોગથી પુરુષ સંખ્યાન કહેવાય છે અથવા સંખ્યાનના વિષયમાં નિપુણ, એવી રીતે બીજામાં પણ સમજવું. ૧ વિશેષ એ કે-નિમિત્ત ચૂડામણિ પ્રમુખ ૨, કાયિક-શારીરિક અર્થાત્ ઈડા, પિંગલાદિ પ્રાણતત્ત્વ ૩, પુરાણ-વૃદ્ધ, તે લાંબા જીવનવાળો હોવાથી ઘણા પ્રકારના વ્યતિકર (વૃત્તાંત) ને જોયેલી હોવાથી નૈપુણિક અથવા પુરાણ-શાસ્ત્રવિશેષોને જાણનાર નિપુણ પ્રાયઃ હોય છે૪, 'પારિહત્યિ' ત્તિ પ્રકૃતિથી જ દક્ષ બધાય પ્રયોજન-કાર્યને અકાલહીનપણાએ અર્થાત્ યોગ્ય સમયે કરનાર હોય છે પ, તથા પર-ઉત્કૃષ્ટ પંડિત તે પરપંડિત-ઘણા શાસ્ત્રોને જાણનાર અથવા પર-મિત્ર વગેરે પંડિતો છે જેના તે પરપંડિત. તે પણ નિપુણના સંસર્ગથી નિપુણ હોય છે. વૈદ્ય કૃષ્ણકની જેમ ૬, વાદી–વાદલબ્ધિ વડે સંપન્ન જે બીજાથી જીતી ન શકાય અથવા મંત્રવાદી, ધાતુવાદી ૭, નવરાત્રિની રક્ષાને અર્થે ભૂતિનું આપવું તે ભૂતિકર્મ, તેમાં નિપુણ ૮ તથા ચિકિત્સા કરવામાં નિપુણ ૯ અથવા અનુપ્રવાદનામાં પૂર્વની નૈપુણિક વસ્તુઓ અર્થાત્ અધ્યયનવિશેષો જ છે. ૬૭૯ આ નૈષણિક સાધુઓ ગચ્છમાં અંતર્ભાવી હોય છે માટે ગણસૂત્ર—સમનસે' ત્યાદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કેગણો-એક ક્રિયા અને વાચનાવાળા સાધુઓના સમુદાયો. ગોદાસ વગેરે તેના નામો છે: I૬૮ll કહેલ ગણમાં વર્તનાર સાધુઓને જે ભગવાને કહ્યું છે તે કહે છે–સમvv' ત્યા૦િ નૃવકોટિ-વિભાગ વડે પરિશુદ્ધ. નિર્દોષ તે નવકોટિપરિશુદ્ધ એવી ભિક્ષાઓનો સમૂહ તે શૈક્ષ કહેલ છે, તે આ પ્રમાણે– હન્તિ–સાધુ સ્વયમેવ ગોધૂમાદિને દલવા વડે હણે નહિ. તે પાતયતિ–બીજા ગૃહસ્થાદિ દ્વારા હણાવે નહિ અને હણતા પ્રત્યે અનુમોદવવા વડે અનુજ્ઞા આપે નહિ અથવા સાધુને સદોષ આપનારને નિષેધ ન કરવા કરાવવા વડે ગપ્રતિષિદ્ધનનુમતમ' અર્થાત્ નિષેધ ન કરાયું તે અનુમત, આ વચનથી અને હણવાના પ્રસંગને ઉત્પન્ન કરવાથી. કહ્યું છે કે– ” कामं सयं न कुव्वइ, जाणतो पुण तहवि तग्गाही । वड्डेइ तप्पसंगं, अगिण्हमाणो उ वारेइ ।।५।। [पिण्ड नि० १११ इति] અર્થ-આધાકર્માદિ પોતે કરતો નથી, કરાવતો નથી એ સત્ય છે તો પણ આ આધાકર્માદિ આહાર સાધુ માટે બનાવેલું છે એમ જાણતાં છતાં ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે કેમ કે આથી અન્ય સાધુઓને તથા ગૃહસ્થોને મનમાં એમ થાય કર્યાદિમાં દોષ નથી. જો દોષ હોય તો આ સાધુ કેમ ગ્રહણ કરે તેથી છકાયની હિંસા પરંપરાએ ચાલે માટે આવા પ્રકારનો પ્રસંગ ટાલવા સારુ ગ્રહણ ન કરે અને નહિ ગ્રહણ કરનાર તો તેના પ્રસંગને નિવારે છે. આથી નિશ્ચય થયું કે-નિષેધ ન કરનાર દોષનો ભાગી થાય છે. પી/ તથા હત-પીસેલું છતું ગોધૂમાદિ અથવા મગ વગેરે ધાન્ય અથવા નહિ પીસેલું એવું ધાન્ય છતું પણ સ્વયં રાંધે નહિ, શેષ પૂર્વની જેમ જાણવું અને સુગમ છે. અહિં પ્રથમની છ કોટિઓ અવિશોધિ કોટિમાં અવતરે છે કેમ કે આધાકમંદિરૂપ હોવાથી અને છેલ્લી ત્રણ કોટિઓ તો વિશોધિ કોટિમાં અવતરે છે. કહ્યું છે કેसा नवहा दुह कीरइ, उग्गमकोडी विसोहिकोडी य । छसु पढमा ओयरई, कीयतियम्मी विसोही उ ।।६।। [दशवैकालिक नि० २४१ इति] 274
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy