SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ९ स्थानकाध्ययने वस्तूनि गणाः ६७९-६८१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અન્યના દાનથી જે તીર્થંકરનામ વગેરે પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે તે અન્ન પુણ્ય જ છે. એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે 'તેĪ' તિ॰ લયન-ઘર, શયન–સંથારો, મન વડે ગુણી જનોને વિષે સંતોષ થવાથી, વાણી વડે પ્રશંસા કરવાથી, કાયા વડે સેવા કરવાથી, અને નમસ્કા૨ ક૨વાથી જે પુણ્ય બંધાય છે તે મન પુણ્ય વગેરે જાણવું. કહ્યું છે કે— अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । शुश्रुषा वन्दनं तुष्टिः, पुण्यं नवविधं स्मृतम् ॥४॥ અન્ન ૧, પાણી ૨, વસ્ત્ર ૩, સ્થાન ૪, શયન ૫, આસન ૬, સેવા ૭, વંદન (સ્તુતિ) ૮, અને તુષ્ટિ-ખુશી થવું ૯ આ નવ પ્રકારનું પુણ્ય કહેલું છે. (૪) ૬૭૬।। પુણ્યના વિપર્યયભૂત પાપના કારણોને કહે છે—'નવ પાવસ્તે' ત્યાત્િ॰ સુગમ છે. વિશેષ એ કે-અશુભ પ્રકૃતિરૂપ પાપના આયતનો—બંધના કારણો છે. II૬૭૭॥ પાપના હેતુઓના અધિકા૨થી પાપશ્રુતનું સૂત્ર, તે સુગમ છે. વિશેષ એ કે–પાપના ઉપાદાન-ગ્રહણના હેતુરૂપ શ્રુતશાસ્ત્ર, તે પાપશ્રુત, તેમાં પ્રસંગ-પ્રવૃત્તિરૂપ અથવા વિસ્તાર–સૂત્ર વૃત્તિ અને વાર્નિકરૂપ તે પાપશ્રુત પ્રસંગ. ‘૩પ્પા’ સિજોગો તેમાં ઉત્પાત-પ્રકૃતિના વિકારરૂપ સહજ રુધિરવૃષ્ટિ વગેરે, તેનું પ્રતિપાદન કરવામાં તત્પર રાષ્ટ્રોત્પાત વગેરે શાસ્ત્ર પણ ઉત્પાત કહેવાય છે ૧, તથા નિમિત્ત-અતીત (કાલ) વગેરેના પરિજ્ઞાનના ઉપાયરૂપ, ફૂટપર્વતાદિ નિમિત્તશાસ્ત્ર ૨, મંત્ર-મંત્રશાસ્ત્ર અર્થાત્ જીવનું ઉદ્ધરણ–ખેંચી કાઢવારૂપ ગારુડ શાસ્ત્ર વગેરે ૩ 'આસ્વિ' ત્તિ॰ માતંગવિદ્યા–જેના ઉપદેશથી અતીત વગેરે (વૃત્તાંત) ને કહે છે તે–ડોડી અને બહેરાઓ લોકમાં પ્રસિદ્ધ છે. ૪, ચૈકિત્સિક એટલે આયુર્વેદ-(વૈદ્યકશાસ્ત્ર) પ, કલાગણિતપ્રધાન લેખથી આરંભીને શકુનરુત-પક્ષીઓના શબ્દના શુકન પર્યંત બોંતેર કલાઓ છે તેના શાઓ પણ કલાશાસ્ત્ર ૬, જેના વડે આકાશ આચ્છાદન કરાય છે તે આવરણભવન, પ્રાસાદ અને નગર વગેરે, તેના લક્ષણવિશિષ્ટ શાસ્ત્ર પણ આવરણ શાસ્ત્ર અર્થાત્ વાસ્તુવિદ્યા ૭, અજ્ઞાન–ભારત, કાવ્ય, નાટક વગેરે લૌકિક શાસ્ત્ર ૮, મિથ્યા પ્રવચન-બૌધાદિ કુતીર્થિકોનું શાસન-શાસ્ત્ર ૯ આ બધુંય પાપશ્રુત પણ સાધુએ પુષ્ટ આલંબનથી સેવ્યું થયું અપાપશ્રુત જ છે. ‘ઇતિ’ શબ્દ એવા પ્રકારના અર્થમાં છે અને ‘ચ’ શબ્દ સમુચ્ચયમાં છે. II૬૭૮ ઉત્પાતાદિ શ્રુતવાળા નિપુણ હોય છે માટે નિપુણ પુરુષોને કહેવા માટે કહે છે. નવ ખેતિા વત્સૂ પશત્તા, તનહા-સંવાળે, નિમિત્તે, જાતિતે, પોરાને, પાહિત્યિતે, પરપંડિતતે, જાતિ, મૂતિમ્મે, તિળિøતે । સૂ॰ ૬૭૬ // समणस्स णं भगवतो महावीरस्स णव गणा होत्था तंजहा - गोदासगणे, उत्तरबलिस्सतगणे, उद्देहगणे, વાળાને, તદ્નાતિતનને, વિસ્તવાતિતાઓ, જામજ્જિતાને, માળવવો, જોડિતાને 5 । સૂ॰ ૬૮૦ના समणेणं भगवता महावीरेणं समणाणं णिग्गंथाणं णवकोडिपरिसुद्धे भिक्खे पन्नत्ते, तंजहा-ण हणति, ण हणावति, हणंतं णाणुजाणति, ण पतति, ण पतावेति, पततं णाणुजाणति, ण किणति, ण किणावेति, किणतं · જાનુનાતિ । સૂ॰ ૬૮।। (મૂળ) નવ નૈપુણિક વસ્તુઆચાર્યાદિ નિપુણ પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—સંખ્યાન—ગણિત વિષયમાં નિપુણ ૧, ચૂડામણી પ્રમુખ નિમિત્ત શાસ્ત્રમાં નિપુણ ૨, કાયિક-ઇડા પિંગલાદિ પ્રાણતત્ત્વ (સ્વરોદય) ના વિષયમાં નિપુણ ૩, પુરાણ શાસ્ત્રમાં નિપુણ ૪, સ્વભાવથી દક્ષ સર્વ કાર્યને શીઘ્ર કરનાર પ, પ્રકૃષ્ટ પંડિત-ઘણા શાસ્ત્રનો વેત્તા ૬, વાદી– કોઈથી ન જીતી શકાય તેવો ૭, તાવ વગેરેની રક્ષા માટે ભૂતિ કર્મને કરનાર ૮, ચિકિત્સા–દવા કરવામાં નિપુણ ૯. ૦૬૭૯) શ્રમણ ભગવાન શ્રી મહાવીરના એક ક્રિયા અને વાચનાવાળા સાધુઓના સમુદાયરૂપ નવ ગણો હતા, તે આ 273
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy