SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने निधानप्रकरणं ६७३ सूत्रम् નિધાનમાં યોદ્ધાઓની, બખ્તર વગેરેની, ખડૂગ વગેરે શસ્ત્રોની ઉત્પત્તિ તથા સમસ્ત પ્રકારની વ્યુહરચનાદિરૂપ યુદ્ધનીતિ, અને સામ, દામ, ભેદ તથા દંડરૂપ ચાર પ્રકારની દંડનીતિ હોય છે અર્થાત્ તેથી પ્રવર્તે છે. લો/ શંખનામાં મહાનિધાનમાં નાચવાનો વિધિ, ચરિત્રને અનુસારે નાટકનો વિધિ, તથા ચાર પ્રકારના કાવ્યનો વિધિ, અને મૃદંગાદિ સમસ્ત વાજિંત્રોની ઉત્પત્તિનો વિધિ હોય છે. /૧all આઠ ચક્રની ઉપર રહેલા, આઠ યોજનના ઊંચા, નવ યોજનના પહોળા, બાર યોજનાના લાંબા, મંજૂષાના આકારે રહેલા તથા ગંગા નદીના મુખને વિષે હોય છે. 7/૧૧// વૈશ્યમણિમય કપાટવાળા સુવર્ણમય વિવિધ રત્નો વડે પરિપૂર્ણ તથા ચંદ્ર, સૂર્ય અને ચક્રરૂપ લક્ષણ-ચિહ્નવાળા, અસમ-વિષમ નહિં. ધૂપ (યજ્ઞસ્તંભ') જેવા આકારવાળા અને મુખમાં દ્વારશાખ-બાર શાખવાળા નિધાનો છે. /૧૨// તે નિધાનોને વિષે એક પલ્યોપમની સ્થિતિવાળા, અને નિધાનના સદેશ નામવાળા દેવો રહે છે જે દેવોના નિધાનો આશ્રયભૂત છે તે નહિ ખરીદવા યોગ્ય અથવા તેના સ્વામિત્વવાળા છે. /૧૩ી આ નવ નિધાનો પ્રચુરધન અને રત્નોના સંચય વડે સમૃદ્ધ છે તથા જે બધાય ચક્રવર્તિઓના તાબામાં આવે છે. /૧૪ો //૬૭૩// (ટી.) 'મન' રૂત્યf૦ સુગમ છે. વિશેષ એ કે– नेसप्पे १ पंडुए २ पिंगले य ३ सव्वरयणे ४ महापउमे ५। काले य ६ महाकाले ७ माणवग ८ महानिही संखे ९॥२॥ સ્પષ્ટાર્થ છે 'સમિ' દાળ અહિં નિધાન અને તેનો સ્વામી દેવ, એ બન્નેની અભેદવિવક્ષા વડે નૈસર્પ નામા દેવ તે હોતે છતે તેથી નિવેશો-નવીન ગ્રામ વગેરેની સ્થાપના અથવા ચક્રવર્તીના રાજયમાં ઉપયોગી દ્રવ્યો, બધાય નવ નિધિઓમાં અવતરે છે અર્થાત્ નવ નિધાનપણાએ વ્યવહાર કરાય છે. તેમાં ગ્રામ વગેરે નવીન તથા પ્રાચીનના જે સન્નિવેશો–સ્થાપનાના પ્રકારો તે નૈસર્પ નામા નિધિમાં વર્તે છે. અર્થાત્ નૈસર્પ નામા નિધાનપણાએ વ્યવહાર કરાય છે તેમાં ગ્રામ-પ્રાયઃ દેશના લોક વડે અધિષ્ઠિત, આકર-જે સ્થાનમાં લવણાદિની ઉત્પત્તિ થાય છે તે, જેમાં કર નથી તે નકર (નગર), પત્તન-દેશનું સ્થાન, દ્રોણમુખ-જલમાર્ગ અને સ્થલમાર્ગ વડે યુક્ત, મડંબ-જેની નજીકમાં ચોતરફ વિદ્યમાન વાસ નથી તે, અંધાવાર-કટકની છાવણી, ગૃહભવન. ll૧| 'જત' 'હા દીનાર-સોનામહોરાદિ અને સોપારીના લ વગેરે લક્ષણવાળા ગણિતને “ચકારીનું અંતરિત સંબંધ છે તે બતાવશું તથા તેના કારણભૂત બીજોને, તથા સેતિકાદિમાન, તેના વિષયવાળું જે તે પણ માન જ અર્થાત્ ધાન્યાદિ માપવા યોગ્ય તથા ઉન્માન-તુલાકર્ષ–ત્રાજવાના તોલા વગેરે. તેના વિષયવાળું જે તે પણ ઉન્માન અર્થાત્ ખાંડ, ગોળ વગેરે ધરિમ-તોલવા યોગ્ય. તેથી તંદુ સમાસ કરવો. તેથી તેનું શું તે કહે છે જે પ્રમાણ અને “ચકાર’ વ્યવહિત સંબંધમાં જ છે . તે તેમજ બતાવવામાં આવશે તે પાંડુકનામા નિધાનને વિષે કહેલું છે. એમ લિંગના પરિણામ વડે સંબંધ છે. ધાન્ય-વ્રીહિ પ્રમુખની અને તેના વિશેષરૂપ બીજની જે ઉત્પત્તિ તે પાંડુક નિધિના વિષયવાળી છે અર્થાત્ તેનો આ વ્યાપાર છે. એવી રીતે માતા–તીર્થકરાદિએ કહેલ છે. ||રા સવ્વા' માહા સુગમ છે. 'ય'. Tહા૦ અક્ષર ઘટના આ પ્રમાણે–ચક્ર વગેરે સાત એકેંદ્રિય રત્નો, અને સેનાપતિ વગેરે સાત પંચેદ્રિયરત્નો, જે ચક્રવર્તીઓને ઉત્પન્ન થાય છે તે સર્વ સર્વરત્ન નામના નિધાનમાં જાણવા. llજા વત્થાન' હા, વસ્ત્રોની જે સામાન્યથી ઉત્પત્તિ અને વિશેષથી જે નિષ્પત્તિ-સિદ્ધિ સર્વ વસ્ત્રોના પ્રકારોની અથવા બધાય પ્રકારો છે જેઓનાં તે સર્વ પ્રકારવાળા, એવા વસ્ત્રોની. કેવા પ્રકારના વસ્ત્રોની તે કહે છે-રંગવાળા વસ્ત્રોની, ધૌત-શુદ્ધ સ્વરૂપવાળા-નિર્મલ વસ્ત્રોની, આ બધીય ઉત્પત્તિ અને નિષ્પત્તિ મહાપા નામા નિધાનના વિષયવાળી છે. ||પો 'ત્તિ' T૦ કાલનામા નિધિમાં “કાલજ્ઞાન’ શુભ-અશુભરૂપ કાલનું જ્ઞાન વર્તે છે અર્થાત્ તેથી જણાય છે. કેવા પ્રકારનું તે કહે છે. ભાવી વસ્તુના વિષયવાળું તે ભવ્ય, પુરાતન વસ્તુના વિષયવાળું તે પુરાણ ‘ચ’ શબ્દથી વર્તમાન વસ્તુના વિષયવાળે તે વર્તમાન તીન વાસે' ત્તિ અનાગત ત્રણ વર્ષના વિષયવાળું અને અતીત ત્રણ વર્ષના વિષયવાળું તથા એક 1, લાકડાનો બનાવેલ સ્તંભ જેમાં પશુઓને બાંધવામાં આવે છે તે અથવા રણસ્તંભ. 270
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy