SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अहंदादिदीर्घवैताठ्यचूलिकादिरहस्तिकूटकल्पादि६३५-६४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સંબંધી છે.માટે બે બે હોય છે તથા મેરુપર્વતના ઈશાન ખૂણામાં રહેલ માલવનામા (ગજદંત) પર્વતનું લક્ષ કરીને–ત્યાંથી શરૂ કરીને પ્રદક્ષિણાએ વક્ષારા પર્વતો અને વિજયોની વ્યવસ્થા કરાય છે તથા જેઓને વિષે ચક્રવર્તીઓ વિજય મેળવે છે અથવા જેઓને જીતે છે તે ચક્રવર્તીઓના વિજયો-ક્ષેત્રના વિભાગો. ‘નાવ પુરવતાવવું’ એમ કહેવાથી 'માનવત્તે પુરવને' એમ જાણવું. બનાવ માતા વરૂ' એમ કહેવાથી મહાવચ્છ, વરચ્છાવતી, રમ્ય, રમ્યક્ અને રમણીય એમ જાણવું. બનાવ સતિલાવડું એમ કહેવાથી સુપÆ, મહાપડ્મ, પદ્માવતી, શંખ, નલિન અને કુમુદ એમ જાણવું. બનાવ ઉધતાવરૂ' એમ કહેવાથી મહાવપ્ર, વપ્રાવતી, વલ્થ, સુવર્લ્સ અને ગંધિલ એમ જાણવું 'વેમપુરા વેવ નાવ’ એમ કહેવાથી અરિષ્ટા, રિખવતી, ખગી, મંજૂષા, ઔષધપુરી એમ જાણવું. 'સુસીમા પડતા વેવ નાવ’ એમ કહેવાથી–અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી અને શુભા, એમ જાણવું. 'માસપુરા નાવ' એમ કરવાથી સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા અને અશોકા એમ જાણવું. વૈજયંતી વાવ' આ શબ્દથી જયંતિ, અપરાજિતા, ચક્રપુરી, ખગપુરી, અવંધ્યા એમ જાણવું. આ બત્રીશ વિજયો સંબંધી શીતાદિ નદીઓની નજીકમાં કહેલ ત્રણ ખંડના મધ્ય ખંડમાં નવ યોજનાના વિસ્તારવાળી અને બાર યોજનની લાંબી, ક્ષેમાદિ, રાજધાનીઓ હોય છે. ll૬૩૭ી. આ રાજધાનીઓને વિષે તીર્થંકરાદિ હોય છે માટે મટ્ટ અરહંત' રિ૦ ઉત્કૃષ્ટથી આઠ અહંન્ત હોય છે. પ્રત્યેક વિજયને વિષે હોવાથી એવી રીતે ચક્રવર્તી વગેરે પણ જાણવા. એમ જ ચારે કિનારાઓને વિષે બત્રીશ તીર્થકરો હોય છે. ચક્રવર્તીઓ જો કે શીતા અને શીતોદા નદીના એક એક કિનારાને વિષે આઠ આઠ ઉત્પન્ન થાય છે એમ બત્રીશ વિજયોની અપેક્ષાએ એક સમયે બત્રીશ હોતા નથી, કારણ કે જઘન્યથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વાસુદેવનું અવિરતપણું-અવશ્યભાવીપણું છે. જે વિજયમાં વાસુદેવ હોય છે ત્યાં ચક્રવર્તી હોય નહિ, તેથી ઉત્કૃષ્ટતઃ પણ અઠયાવીશ જ ચક્રવર્તીઓ હોય છે. એવી રીતે જધન્યથી પણ ચાર ચક્રવર્તીઓની સંભવ હોવાથી વાસુદેવો પણ ઉત્કૃષ્ટતઃ અઠ્યાવીશ જ હોય છે. વાસુદેવના સહચરપણાથી બલદેવો પણ અઠ્યાવીશ જ હોય છે. I/૬૩૮. 'વીદયા' ત્તિ દીર્ઘ શબ્દનું ગ્રહણ વર્તુળ (વાટલા) વૈતાઢ્યના વ્યવચ્છેદ (અગ્રહણ) ને અર્થે છે. આઠ ગુફાઓમાં જ યથાક્રમ આઠ દેવો છે. ગંગા કુડો, નીલવાન નામા વર્ષધર પર્વતના દક્ષિણ નિતંબ (મધ્યભાગ) માં રહેલા, સાઠ યોજનાના લાંબા પહોળા અને મધ્યમાં રહેલ ગંગાદેવીના ભવન સહિત દ્વીપોવાળા અને ત્રણે દિશાઓમાં તોરણ સહિત દરવાજાવાળા છે જે પ્રત્યેક કંડોથી દક્ષિણના તોરણદ્વારા ગંગા નદીઓ નીકળીને વિજયોના વિભાગોને કરતી થકી ભરતની ગંગાની જેમ શીતા નદીમાં પ્રવેશે છે. એવી રીતે સિંધુ ફંડો પણ જાણવા. ll૬૩૯l. ' 'મદ્દ સમજૂડ’ ત્તિ આઠ ઋષભકૂટ પર્વતો છે, કેમ કે આઠે વિજયોમાં તે હોય છે. તે કૂટો વર્ષધર પર્વતના નજદિકમાં પ્લેચ્છોના ત્રણ ખંડની અંદર મધ્ય ખંડમાં વર્તનારા સર્વ વિજયો અને ભરત, ઐરાવત ક્ષેત્રોને વિષે હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે– सव्वे वि उसभकूडा, उव्विद्धा अट्ठ जोयणा होति । बारस अट्ठ य चउरो, मूले मझुवरि वित्थिन्ना ॥४८॥ વૃિદ્ધક્ષેત્ર ૧૧૨ ]િ. અર્થ-સઘળાએ ૩૪ ઋષભકૂટો, આઠ યોજનના ઊંચા, મૂલમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબા પહોળા છે. (૪૮) દેવો તેમાં વસનારા જ જાણવા. વિશેષ એ કે 'સ્થ રત્તીરાવો તાર્ષિ વેવ શું.' ત્તિ શીતા નદીના દક્ષિણ તરફથી પણ આઠ દીર્ઘ વૈતાઢ્યો છે ઇત્યાદિ સર્વ સમાન છે. માત્ર ગંગા અને સિંધુના સ્થાનમાં રક્તા અને રક્તવતી નદીઓ , કહેવા યોગ્ય છે અને ગંગાદિના કુંડના સ્થાનમાં પણ રક્તાદિ કુંડો કહેવા, તે આ પ્રમાણે 'પટ્ટ રન્નાડા પન્નત્તા ભટ્ટ રત્તવલુંડા ગટ્ટ સત્તાગો મટ્ટ રત્તવો . અર્થાત્-આઠ રક્તા કુંડો કહેલા છે, આઠ રક્તવતી કુંડો, આઠ રક્તા નદીઓ, આઠ 251
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy