SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने आहारः कृष्णराज्याद्याः मध्यप्रदेशाः ६२२ - ६२४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આખાટસમચતુરસ–સંસ્થાનસંસ્થિતા કૃષ્ણરાજિઓ અર્થાત્ કાલા પુદ્ગલની પંક્તિઓ. તેથી યુક્ત ક્ષેત્રવિશેષો પણ તેમજ કહેવાય છે. જેવી રીતે તે કૃષ્ણરાજિઓ વ્યવસ્થિત છે તેમ બતાવાય છે—'પુરચ્છિમે ।' તિ પૂર્વદિશામાં બે કૃષ્ણરાજિ છે એવી રીતે અન્ય દિશાઓમાં પણ બે બે છે. તેમાં જે પૂર્વદિશાની અત્યંતર કૃષ્ણરાજિ છે તે દક્ષિણ દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. એવી રીતે બધીય કહેવી તથા પૂર્વની અને પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ ષડસ્ર-છ કોટિ [પંક્તિ] વાળી છે. ઉત્તર અને દક્ષિણની બે બાહ્ય કૃષ્ણરાજિ ત્ર્યસ (ત્રિકોણ) છે. સર્વા–ચારે અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે. નામો જ નામધેયો છે. કૃષ્ણપુદ્ગલની પંક્તિરૂપ હોવાથી કૃષ્ણરાજિ. ‘ઇતિ’ શબ્દ ઉપદર્શનમાં છે. ‘વા’ શબ્દ વિકલ્પમાં છે. મેધની પંક્તિની જેમ (કાળી) તે મેઘરાજિ કહેવાય છે કેમ કે કૃષ્ણપણું છે. તથા મઘા છઠ્ઠી (નરક) પૃથ્વી. તેની જેમ અતિ કૃષ્ણપણાથી જે છે તે મઘા, માધવતી સાતમી (નરક) પૃથ્વી તેની જેમ જે છે માઘવતી. વાતપરિઘ વગેરે (નામો) તો તમસ્કાય સૂત્રની જેમ વ્યાખ્યા કરવા યોગ્ય છે. આ ઉક્ત આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાંતરોને વિષે-બે રાત્રિના મધ્યલક્ષણ-આંતરાઓમાં આઠ લોકાંતિક વિમાનો હોય છે. આ વિમાનો પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્રમાં આ પ્રમાણે કહેવાય છે. અત્યંતર પૂર્વની કૃષ્ણરાજિના અગ્રમાં અચ્ચિ વિમાન છે, તેમાં સારસ્વત દેવો છે. પૂર્વની કૃષ્ણરાજિના મધ્યમાં અર્ચિમાલી વિમાનમાં આદિત્યદેવો છે. અત્યંતર દક્ષિણની કૃષ્ણરાજિના અગ્રમાં વૈરોચન વિમાનમાં વહ્નિદેવો છે. દક્ષિણની કૃષ્ણરાજિના મધ્યમાં શુભંકર વિમાનમાં વરુણદેવો છે. અત્યંતર પશ્ચિમની કૃષ્ણરાજિના અગ્રમાં ચંદ્રાભવિમાનમાં ગર્દતોય દેવો છે. પશ્ચિમની કૃષ્ણરાજિના મધ્યમાં સૂરાભ વિમાનમાં તુષિત દેવો છે. અત્યંત૨ ઉત્ત૨ની કૃષ્ણરાજિના મધ્યમાં સુપ્રતિષ્ઠાભ વિમાનમાં આગ્નેય દેવો છે. બહુ મધ્યભાગમાં રિષ્ટાભવિમાનમાં રિષ્ટદેવો છે. [નીચે દર્શાવેલી આકૃતિ પ્રમાણે તેની સ્થાપના જાણવી] उत्तरा ८ सुप्रतिष्ठा भं :ble : ગૂઢ ૧ ६ सूराभं 回 २ अर्चिर्मालि चन्द्राभं Ikh ३ वैरोचनं ४ प्रभङ्कर दक्षिणा 'અનહન્નુોસેĪ' તિ॰ જધન્યત્વ અને ઉત્કર્ષત્વના અભાવથી. બ્રહ્મલોકમાં તો જઘન્યથી સાત સાગરોપમની અને ઉત્કર્ષથી દશ સાગરોપમની સ્થિતિ છે. લોકાંતિક દેવોની તો આઠ સાગરોપમની (મધ્યમ) સ્થિતિ છે. II૬૨૩॥ કૃષ્ણરાજિઓ તો ઊર્ધ્વલોકના મધ્યભાગમાં રહેલી છે માટે ધર્માસ્તિકાયાદિના પણ મધ્યભાગમાં રહેલા અષ્ટક (આઠ પ્રદેશ) રૂપ ચતુષ્ટયને પ્રગટ કરવા માટે ચાર સૂત્રને કહે છે 'અટ્ટ ધર્મો' ત્યા॰િ સ્ફુટ છે. વિશેષ એ કે-ધર્મ, અધર્મ અને 241
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy