SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८-६११ सूत्राणि અકત્રિમતાનો નિષેધ કર્યો છે કારણ કે ઈશ્વરાદિ વડે જગતનું કર્તાપણું નથી. (તેમ માનવાથી) કુંભારાદિને કર્તાપણાનો પ્રસંગ વ્યર્થ થશે અને કુંભારાદિની જેમ બુદ્ધિમાનું કારણભૂત ઈશ્વરાદિને અનીશ્વરતાનો પ્રસંગ આવશે અર્થાત્ કુંભારાદિ સંદેશ ઈશ્વર થશે. વળી અશરીરપણાને લઈને ઈશ્વરને કારણના અભાવથી ક્રિયામાં અપ્રવૃત્તિ થાય અને શરીરપણું છતે ઈશ્વરના શરીરનું પણ અન્યકર્તા વડે થવું જોઈએ. એ પ્રમાણે તો અનવસ્થાનો પ્રસંગ થશે. ૪ તથા સાતસુખ ભોગવવું એમ કહે છે, તે સાતવાદીને બતાવે છે એ પ્રમાણે કોઈક વાદી હોય છે-સુખના અર્થી જીવોએ સુખ ભોગવવું પરંતુ અસાત-દુઃખરૂપ તપ, નિયમ અને બ્રહ્મચર્યાદિ કરવું નહિ; કેમ કે કાર્યનું કારણને અનુરૂપપણું હોય છે. શુક્લ-સફેદ તંતુઓ વડે આરંભેલું વસ્ત્ર, રક્ત થતું નથી પરંતુ શુક્લ જ થાય છે. એવી રીતે સુખના સેવનથી સુખ જ . થાય છે. કહ્યું છે કે मृद्वी शय्या प्रातरुत्थाय पेया भक्तं मध्ये पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ।।३०।। કોમળ શય્યામાં શયન કરવું, સવારમાં ઊઠીને પીવા યોગ્ય પાણીને પીવું, મધ્યાહ્ન ભોજન કરવું. અપરાત્રે-પાછલા બે પ્રહરમાં પાનક પીવું, અને અદ્ધરાત્રિના સમયમાં દ્રાક્ષ, ખાંડ અને સાકર વાપરવી, એમ કરવાથી અંતમાં શાક્યપુત્રે બુદ્ધ ભગવાને) મોક્ષ જોયેલ છે. (૧) [આ બૌધોનું વચન છે] અક્રિયાવાદીપણું તો એનું પારમાર્થિક પ્રશમસુખરૂપ સંયમ અને તપને દુઃખપણે સ્વીકારવાથી અને કારણને અનુરૂપ કાર્યના સ્વીકારનું તો વિષયસુખથી અનનુરૂપ મોક્ષસુખને માનવા વડે બાધિતપણું હોવાથી. પ તથા સમુચ્છેદ-દરેક ક્ષણમાં નિરન્વય-સંબંધ રહિત નાશને જે કહે છે તે સમુચ્છેદવાદી. તે આ પ્રમાણે–વસ્તુનું કાર્ય કરવાપણું “સત્ છે, કાર્ય નહિ કરવામાં પણ વસ્તુતત્ત્વ સ્વીકાર્યો છતે ખરવિષાણ (ગધેડાના શીંગડા) ને પણ ‘સત્પણાનો પ્રસંગ થશે અને નિત્ય વસ્તુ. કાર્યને ક્રમશઃ કરે નહિ કેમ કે નિત્યનું એક સ્વભાવપણું હોઈને કાલાંતરમાં થનાર બધાય કાર્યના ભાવનો પ્રસંગ આવે છે. જો એમ નહિ સ્વીકારશો તો દરેક ક્ષણમાં અન્ય અન્ય સ્વભાવની ઉત્પત્તિ થવા વડે નિત્યત્વની હાનિ થશે. એકી સાથે પણ કાર્યને કરે નહિ, કારણ કે એકી સાથે કાર્ય નહિ કરવાનું પ્રત્યક્ષ વડે સિદ્ધ છે. આ હેતુથી ક્ષણિક વસ્તુ જ કાર્યને કરે છે. એ રીતે અર્થક્રિયાકારીપણાથી ક્ષણિક વસ્તુ છે.” આ અક્રિયાવાદી એવી રીતે જાણવો–સંબંધ રહિત નાશના અભ્યપગ અર્થાત્ માનવામાં જ પરલોકના અભાવને ઉત્પન્ન કરે છે તથા ફલના અર્થી જીવોને ક્રિયામાં અપ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે તથા સમસ્ત ક્રિયામાં પ્રવર્તકને અસંખ્યય સમયમાં થનાર અનેક અક્ષરના ઉલ્લેખવાળા વિકલ્પનું પ્રતિસમય ક્ષયપણું થયે છતે . એક ઇચ્છિત પ્રત્યયના અભાવથી સમસ્ત વ્યવહારનો ઉચ્છેદ થાય. આ કારણથી જ એકાંત ક્ષણિક મતથી કુંભારાદિ પાસેથી અર્થક્રિયા ઘટી શકતી નથી. તે કારણથી વસ્તુ પર્યાયથી સમુચ્છેદ-નાશવાળી છે પરંતુ દ્રવ્યથી નાશવાળી નથી. ૬ તથા નિયત એટલે વસ્તુને જે નિત્ય કહે છે તે નિત્યવાદી, તે આ પ્રમાણે—લોક નિત્ય છે કેમ કે ઉત્પાદ અને વિનાશના આવિર્ભાવ-પ્રગટ થવું અને તિરોભાવ-અંતર્ભાવ માત્રપણાથી તથા સસલાના શીંગડાની જેમ “અસત્” નો ઉત્પાદ ન થવાથી, અને ઘટની જેમ “સતુ નો વિનાશ ન થવાથી; કારણ કે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કપાલાદિ અવસ્થા વડે તેનું પરિણતપણું હોવાથી. વળી કપાલાદિ અવસ્થાનું અપારમાર્થિકપણું હોવાથી અને માટીરૂપ સામાન્યનું જ પરમાર્થિકપણું હોવાથી અને મૃત્તિકારૂપ સામાન્યના અવિનષ્ટપણાથી. [આ નિત્યવાદીનો પક્ષ છે) સ્થિર એકરૂપપણે એકાંત નિત્યને સ્વીકારવા વડે સકલ ક્રિયાના લોપને સ્વીકારવાથી આ અક્રિયાવાદી છે ૭. તથા ૧ર સનિત પરત્નને વા' નેતિ–નથી વિદ્યમાન શાંતિ-મોક્ષ અને પરલોક-જન્માંતર અર્થાત્ મોક્ષ અને પરલોક 1. આ શ્લોક સુયગડાંગની ટીકામાં પણ છે અને તે બૌદ્ધોનું મંતવ્ય છે. આ પ્રમાણે બૌદ્ધોના કોઈક ભેદમાં પૂર્વે મન્તવ્ય હશે એમ લાગે છે. 230
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy