SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने अक्रियावादिनः ६०७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વડે અધટપાન, આત્માત, પુરુષાદ્વૈત અને શબ્દોઢેતાદિના અસ્તિપણાનો સ્વીકાર કરવાથી એમ આગળના વાદીઓના સંબંધમાં પણ જાણવું ૧, તથા કથંચિત્ એકપણું છતે પણ સર્વથા-એકાંતે ભાવોનું અનેકપણું કહે છે તે અનેકવાદી. પરસ્પર વિલક્ષણ-જૂદા જ ભાવો છે, તે જ પ્રમાણે પ્રમાણ કરાય છે. જેમ રૂપ, રૂપપણાએ (ભિન્ન છે) ભાવોના અભેદમાં તો જીવ, અજીવ, બદ્ધ, મુક્ત, સુખી, દુઃખી વગેરેનો એકપણાનો પ્રસંગ થવાથી દીક્ષાદિ નિરર્થક થશે. વિશેષ કહે છે–સામાન્યને અંગીકાર કરીને બીજા વાદીઓએ એકપણું વિવક્ષેલ છે, પરંતુ સામાન્ય ભેદ-વિશેષથી ભિન્ન અને અભિનપણાએ વિચારાતું ઘટમાન થતું નથી. એવી રીતે અવયવોથી અવયવી, ધર્મોથી ધર્મ, આ પ્રમાણે અનેકવાદી કહે છે. એનું પણ અક્રિયાવાદીપણું, સામાન્યાદિ રૂપાણીએ કરી ભાવોનું એકત્વ હોતે છતે પણ સામાન્યાદિના નિષેધ વડે છે. તેનો નિષેધ કરવાથી, કારણ કે સામાન્ય સર્વથા નથી એમ (યુક્ત) નથી. કેમ કે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી વળી સર્વથા ભિન્નપણું (સ્વીકાર્યો) છતે એક પરમાણુ સિવાય બધાય પરમાણુઓને અપરમાણપણાનો પ્રસંગ આવે તથા અવયવી અને ધર્મી સિવાય પ્રતિનિયત ધર્મની વ્યવસ્થા નહિ થાય [અર્થાત્ આ કોના અવયવો છે એમ નહિ કહી શકાય તેથી સર્વસંકરપણું પ્રાપ્ત થાય.] અને ભેદ, અભેદ વિકલ્પરૂપ દૂષણ તો કથંચિત્ વાદના સ્વીકાર વડે અવકાશ રહિત છે ૨, તથા જીવોનું અનંતાનંતપણે તે પણ મિતા—પરિમાણવાળા કહે છે-“ઉચ્છેદ પામવાવાળું જગત થશે-પ્રલય થશે. એ પ્રમાણે સ્વીકારવાથી અથવા પ્રમાણવાળો અંગૂઠાના પર્વ માત્ર, કે શ્યામક તંદુલ માત્ર જીવને કહે છે પરંતુ અપરિમિત અસંખેય પ્રદેશાત્મકપણાએ કે અંગુલના અસંખ્યય ભાગથી આરંભીને યાવતું લોકને પૂરે છે. એવી રીતે અનિયત પ્રમાણપણે સ્વીકારતો નથી. અથવા મિત-સમદ્વીપ સમુદ્રપણાએ લોકને કહે છે. અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીપણું વસ્તુતત્ત્વના નિષેધથી જાણવું ૩, તથા નિશ્મિત-ઈશ્વર, બ્રહ્મ, પુરુષાદિ વડે કરાયેલ લોકને કહે છે તે નિમ્મતવાદી. તે પ્રમાણે જ તેઓ કહે છે आसीददं तमोभूतमप्रज्ञामिलक्षणम्। अप्रतय॑मविज्ञेयं, प्रसुप्तमिव सर्वतः ।। [मनु स्मृति १/५] तस्मिनेकार्णवीभूते नष्टस्थावरजङ्गमे । नष्टामरनरे चैव प्रणष्टोरगराक्षसे । केवलं गहरीभूते महाभूतविवर्जिते । अचिन्त्यात्मा विभुस्तत्र शयानस्तप्यते तपः ।। ... तत्र तस्य शयानस्य नाभेः पद्म विनिर्गतम् तरुणरविमण्डलनिभं हृद्यं काञ्चनकर्णिकम् ।। तस्मिन् पद्मे तु भगवान् दण्डी यज्ञोपवीतसंयुक्तः । ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगमान्तरः सृष्टाः ॥ अदितिः सुरसङ्घानां दितिरसुराणां मनुर्मनुष्याणाम् । विनता विहङ्गमानां माता विश्वप्रकाराणाम् ।। कद्दुः सरीसृषाणां सुलसा माता तु नागजातीनाम् । सुरभिश्चतुष्पदानामिला पुनः सर्वबीजानाम् [जीवाना] ॥२३-२९।। - “અંધકારમય, નહિ જણાયેલું, લક્ષણ રહિત, તર્ક નહિ કરવા યોગ્ય, નહિ જાણવા યોગ્ય અને સર્વતઃ સૂતેલાની જેવું આ જગત પ્રથમ હતું. (૨૩) એકસરખા, સ્થાવર અને જંગમ રહિત, દેવ, મનુષ્ય રહિત, નાગ, રાક્ષસ સહિત (૨૪) કેવલ ગુફા જેવા, અને પંચ મહાભૂતથી રહિત એવા તે જગતને વિષે અચિંત્ય આત્મા–કલ્પના ન કરી શકાય એવી શક્તિવાળો ઈશ્વર, તેમાં સૂતો છતો તપને તપે છે. (૨૫) તેમાં સૂતા છતાં વિભુની નાભિથી મધ્યાહ્નના સૂર્યમંડલની કાંતિ જેવું સુંદર અને સુવર્ણની કર્ણિકાવાળું પદ્મ (કમળ) નીકળ્યું (૨૬) તે પદ્મમાં દંડને ધારણ કરનાર અને જનોઈ સંયુક્ત ભગવાન્ બ્રહ્મા ત્યાં " ઉત્પન્ન થયા. તેણે જગતની આઠ માતાઓ સરજી-રચી. (૨૭) દેવના સમૂહોની માતા અદિતિ ૧, અસુરોની માતા દિતિ ૨, મનુષ્યોની માતા મનુ ૩, સમસ્ત પ્રકારની પક્ષીઓની માતા વિનતા ૪, (૨૮) સરીસૃપો-વિંછુ વગેરેની માતા કદ્રુ પ, નાગની જાતિઓની માતા સુલસા ૬, ચતુષ્પદ-પશુઓની માતા સુરભી ૭, અને સર્વ બીજોની માતા ઇલા-પૃથ્વી ૮. (૨૯) આ પ્રમાણે પ્રમાણ આપે છે કે–બુદ્ધિમાનું (પુરુષ) રૂપ કારણ વડે કરાયેલું આ જગત છે. કેમ કે ઘટની જેમ સંસ્થાન-આકારવાળું હોય છે , ઇત્યાદિ. અક્રિયાવાદીપણું તો એનું “ક્યારે પણ અનીદશ જગત્ ન હતું અર્થાત્ એવું જ હતું.” આ વચનથી અકૃત્રિમ જગતની - 229
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy