SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् તથા આષાઢ આિચાર્ય શ્વેતંબિકા નગરીમાં પોલાસ ઉદ્યાનને વિષે પોતાના શિષ્યોને આગાઢ યોગવહન કરાવતા હતા, પરંતુ તે જ રાત્રિમાં હૃદયશૂલના વ્યાધિ વડે અકસ્માત્ મરણ પામીને દેવ થયા. [આ વાતની ગચ્છમાં કોઈ સાધુને ખબર પડી નહિ ત્યારે તે દેવે અવધિજ્ઞાનથી પોતાના શિષ્યોનો યોગોદ્રહનાદિ વ્યતિકર જાણીને] શિષ્યોની અનુકંપાથી પોતાના જ કલેવર-મૃતશરીરમાં અધિષ્ઠિત થઈને, બધીય સામાચારીને અનુપ્રવર્તાવીને યોગની સમાપ્તિ શીધ્ર કરી. [કારણ? તે ગચ્છમાં યોગવહન કરાવનારા કોઈ વાચનાચાર્ય ન હતા. ત્યારબાદ તે શરીરને છોડીને] મુનિઓને વંદન કરીને તે દેવે કહ્યું કે-હે ભદન્તો! (પૂજ્યારે તમે પણ ક્ષમા કરશો. કેમ કે તમારી પાસેથી મેં (અવિરતિ છતાં પણ) વંદના કરાવી. એિમ કહી તે દેવ સ્વસ્થાને ગયો.] દેવના ગયા બાદ જે આષાઢ આચાર્યના શિષ્યોએ વિચાર્યું કે ઘણા કાલ પર્યત અમોએ અસંયત દિવ) ને વંદન કર્યું. એમ ચિંતવીને અવ્યક્ત મતનું અનુસરણ કર્યું, તે આ પ્રમાણેको जाणइ किं साहू, देवो वा तो न वंदणिज्जो त्ति । होज्जाऽसंजयनमणं, होज्ज 'मुसं वाऽयममुगो त्ति ।।८५॥ [વિશેષાવય ૨૨૧૨ ]િ કોણ જાણે આ સત્ય સાધુ હશે? કે સાધુ વેષધારી દેવ હશે? એમાં કાંઈ નિર્ણય થતો નથી, માટે કોઈને પણ કોઈએ વંદન કરવું નહિ; કેમ કે આષાઢદેવની માફક અસંયતને વંદન થઈ જાય, અને અમુક આ વ્રતી છે એમ બોલવાથી મૃષાવાદ દોષ - લાગે. (૮૫). જે આષાઢ આચાર્યના શિષ્યો પ્રત્યે સ્થિવિરોએ કહ્યું કે]. थेरवयणं जइ परे, संदेहो किं सुरो त्ति साहु त्ति । देवे कहन्न संका? किं सो देवो अदेवो त्ति ॥८६।। तेण कहियं ति व मई, देवोऽहं देवदरिसणाओ य । साहु त्ति अहं कहिए, समाणरूवंमि किं संका? ॥८७।। देवस्स व किं वयणं, सच्चं ति न साहुरूवधारिस्स । न परोप्परं पि वंदह, जं जाणंता वि.जयओ त्ति ।।८।। [વિશેષાવથ ૨૩૬૦-૬ર ]િ વિરોએ તેમને કહ્યું કે-જો તમને બીજાઓને વિષે સંદેહ છે કે-શું આ સાધુ છે કે દેવ છે? તો તમને દેવમાં પણ આ દેવ છે કે દેવ નથી એવી શંકા કેમ થતી નથી? (૮૬) તેણે પોતે જ કહ્યું કે હું દેવ છું અને અમોએ પણ તેને જોવાથી આ દેવ છે એમ નિસંદેહ છે એમ જો તમે કહેતા હો તો જે એમ કહે છે કે હું સાધુ છું અને સાધુના સમાન રૂપ (વેષ) જોવામાં આવે છે તો એમાં શી શંકા છે? (૮૭) અથવા શું દેવનું વચન સત્ય છે અને સાધુના રૂપને ધારણ કરનારનું વચન સત્ય નથી? જેથી તમે જાણતાં છતાં યતિઓ પણ પરસ્પર વંદન કરતા નથી ll૮૮ એવી રીતે સ્થવિરોએ સમજાવ્યા છતાં પણ તેઓએ નહિ સ્વીકારવાથી તે સાધુઓને સંઘ બહાર કર્યા. ત્યારબાદ વિહાર કરતા થકા તે સાધુઓ રાજગૃહમાં આવ્યા. બલભદ્ર નામના રાજાએ તેિઓને પ્રતિબોધવા માટે] કટકમર્દ (કોટવાલ) દ્વારા મારવાનો હુકમ કર્યો. ત્યારે તેઓ બોલ્યા કે-સાધુઓ એવા અમોને તું શ્રાવક છતાં કેમ મરાવે છે? એમ સાંભળીને રાજાએ કહ્યું કે-અમે નથી જાણતા કે તમે ચોર છો કે ચારિક (ગુપ્તચર) છો? એમ પ્રત્યુત્તર આપવાથી તેઓને પ્રતિબોધ્યા. તે આ અવ્યક્ત મતનો ધર્માચાર્ય, આ આષાઢ આચાર્ય, અવ્યક્ત મતના પ્રરૂપકપણાએ નથી, પરંતુ પૂર્વાવસ્થામાં હતો અર્થાત્ તે સાધુઓનો ગુરુ હતો. ૩. તથા અશ્વમિત્ર, જે મહાગિરિ [આચાર્ય] ના શિષ્ય કૌડિન્ય નામના મુનિનો શિષ્ય હતો, તે મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ નામના ચૈત્યને વિષે અનુપ્રવાદ નામના પૂર્વમાં-નૈપુણિક નામની વસ્તુને વિષે છિત્રછેદન નયની વક્તવ્યતામાં પહુન્નસમયનેય વચ્છિન્નíતિ, વં નાવ વેવિ ઉત્ત, ર્વ વિદ્યાર્િમસુ વત્તā'–પ્રત્યુત્પન્ન-વર્તમાન 1. વા મળે 206
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy