________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम्
ત્યાર્િ॰ 'પૂર્વ સેવ' ત્તિ॰ સામાન્ય સૂત્રની જેમ સાતે સમુદ્દાત ઉચ્ચારવા. II૫૮૬॥
જિનેશ્વરોએ કહેલ, આ સમુદ્ધાતાદિક વસ્તુને અન્યથા પ્રરૂપતો થકો પ્રવચન (સંઘ) બાહ્ય થાય છે, જેમ નિહ્નવો સંઘબાહ્ય થયા માટે તેઓની વક્તવ્યતાને ત્રણ સૂત્ર વડે કહે છે—
समणस्स णं भगवतो महावीरस्स तित्थंसि सत्त पवतणनिण्हगा पन्नत्ता, तंजहा - बहुरता १, जीवपतेसिता २, अव्वत्तिता ३, सामुच्छेइता ४, दोकिरिता ५, तेरासिता ६, अबद्धिता ७ । एतेसि णं सत्तण्हं पवयणनिण्हगाणं सत्त ધમ્માતરતા હોત્થા, તંનહા-નમાલિo, તીસમુત્તે ર, બાસાઢે રૂ, આસમિત્તે ૪, ને, છન્નુર્ ૬, શોકામાદિત્તે છા : एतेसि णं सत्तण्हं पवयणनिण्हगाणं सत्त उप्पत्तिनगरा होत्था, तंजहा- सावत्थी १, उसभपुरं २, सेतविता ३, • महिल ४ उल्लुगातीरं ५ । पुरिमंतरंजि ६, दसपुर ७, णिण्हगउप्पत्तिनगराई ॥ १ ।। ।।५८७ ।।
(મૂળ) શ્રમણભગવાન્ મહવીરના તીર્થમાં પ્રવચન-આગમને ઉત્થાપન કરનારા સાત નિહ્નવો કહેલા છે, તે આ પ્રમાણે-બહુરત–ઘણા કાળે વસ્તુની ઉત્પત્તિને માનનારા ૧, છેલ્લા પ્રદેશમાં જીવત્વને માનનારા ૨, અવ્યક્તિકો-સાધુ વગેરેને જાણવામાં સંદેહવાળા ૩, સામુચ્છેદિકો–ક્ષણિકભાવને માનનારા ૪, એક સમયમાં બે ક્રિયાને માનનારા ૫, જીવ, અજીવ અને નોજીવ, એમ ત્રણ રાશિને પ્રરૂપનારા ૬ અને અબદ્ધિકો-જીવને સ્પર્શ માત્ર કર્મ છે પણ બદ્ધ નથી એમ પ્રરૂપનારા ૭, આ સાત પ્રવચનને ઉત્થાપનાર નિહ્નવોના સાત ધર્માચાર્યો હતા, તે આ પ્રમાણે 1જમાલી ૧, તિષ્મગુપ્ત ૨, આષાઢ ૩, અશ્વમિત્ર ૪, ગંગ પ, ષડુલુક (રોહગુપ્ત) ૬, અને ગોષ્ઠામાહિલ ૭–આ સાત પ્રવચનને ઉત્થાપનાર નિહ્નવોની ઉત્પત્તિના સાત નગરો હતા, તે આ પ્રમાણે--શ્રાવસ્તી ૧, ઋષભપુર ૨, શ્વેતાંબિકા ૩,
મિથિલા ૪, ઉત્સુકાતીર ૫, અંતરંજિકા ૬, અને દશપુર ૭, આ નિત્ત્તવોની ઉત્પત્તિના નગરો છે. ૧॥ I૫૮૭ (ટી૦) 'સમળે' ત્યાતિ, સુગમ છે. વિશેષ એ કે-પ્રવચન-આગમ પ્રત્યે અપલાપ કરે છે, અન્યથા પ્રરૂપે છે તેને પ્રવચનનિહ્નવો જિવેંદ્રોએ કહેલા છે. તેમાં 'વન્નુય' ત્તિ ક્રિયામાં આસક્તરૂપ એક એક સમય વડે–(ક્રિયાકાલરૂપ એક સમયમાં) વસ્તુની ઉત્પત્તિ ન માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિને માનવાથી 'વટ્ટુપુ'—ઘણા સમયોને વિષે રતાઃ—આસક્ત થયેલા તે બહુરતાઃ અર્થાત્ દીર્ઘકાલમાં દ્રવ્યની ઉત્પત્તિને પ્રરૂપનારા ૧, તથા પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપ્રદેશા, તે જ જીવ પ્રાદેશિકો અથવા જીવના પ્રદેશમાં જીવને સ્વીકારવાથી જીવપ્રદેશ (વાદ) વિદ્યમાન છે જેઓને તે જીવપ્રાદેશિકો અર્થાત્ છેલ્લા પ્રદેશમાં જીવને પ્રરૂપનારા, આ રહસ્ય છે. ૨, તથા અવ્યક્ત-અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત (વાદ) વિદ્યમાન છે જેઓને તે અવ્યક્તિકો અર્થાત્ સંયતાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા આ ભાવના છે [કોણ જાણે? આ સંયમી છે કે અસંયમી છે ઇત્યાદિ સંશયવાળા] ૩. તથા સમુચ્છેદ, ઉત્પત્તિ થયા પછી તરત જ સમસ્તપણાએ અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદ-વિનાશ. સમુચ્છેદને જે કહે છે તે સામુચ્છેદિકો અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનારા ભાવો છે એમ પ્રરૂપનારા ૪, બે ક્રિયા, એકત્રિત થયે છતે દ્વિક્રિય. તે કહેવાય છે અથવા તેને અનુભવે છે તે વૈક્રિયા અર્થાત્ કાલના અભેદથી (એક સમયે) બે ક્રિયાના અનુભવને પ્રરૂપનારા ૫, તથા જીવ, અજીવ અને નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ત્રિરાશિ, તેનું પ્રયોજન છે જેઓને તે ત્રરાશિકો અર્થાત્ ત્રણ રાશિને પ્રરૂપનારા ૬, તથા જીવ વડે કર્મ સ્પર્શાયેલું છે પરંતુ સ્કંધના બંધની જેમ બાંધેલું નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો અર્થાત્ સ્પર્શેલ કર્મના વિપાકને પ્રરૂપનારા ૭. 'ધમ્માયરિય' ત્તિ॰ ઉક્ત પ્રરૂપણાદિ લક્ષણ શ્રુતધર્મના નાયકપણાએ કરીને પ્રધાન-આચાર્યો તે ધર્માચાર્યો અર્થાત્ તે મતનો (પ્રથમ) ઉપદેશ કરનારા–તેમાં જમાલી
1. ચૌદ, સોળ, બન્નેં ચૌદ, બસ ને વીશ, બસો ને અઠચાવીશ, પાંચસઁ ને ચુમાલીશ, અને પાંચસે ચોરાશી વર્ષે અનુક્રમે ભગવાનના કેવલજ્ઞાન ' પછી આ નિન્દવો થયા છે.
203