SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने समुद्दघाताः ५८६ सूत्रम् પ્રયત્ન કરવો જોઈએ ૪, આર્ત-દુઃખથી પીડાયેલને ઔષધાદિનું ગષવું તેજ આર્તગવેષણતા અર્થાત્ પીડિતને ઉપકાર કરવો ? અથવા “આત્મના'–પોતે કે આત થઈને (સ્વજનભૂત થઈને) ગષવું-સારી કે માઠી સ્થિતિનું અન્વેષણ-શોધન કરવું પ, દેશકાલજ્ઞતા-અવસરને જાણવાપણું ૬, સર્વ અર્થને અપ્રતિલોમતા-અનુકૂળપણું ૭. પ૮પી વિનયથી કર્મનો ઘાત થાય છે, તે સમુદ્ધાતમાં વિશિષ્ટતર થાય છે માટે સમુદ્ધાતના પ્રરૂપણને અર્થે કહે છે– सत्त समुग्घाता पन्नत्ता, तंजहा–वेदणासमुग्घाते, कसायसमुग्घाते, मारणंतियसमुग्घाते, वेउव्वियसमुग्घाते, तेजससमुग्घाते, आहारसमुग्घाते, केवलिसमुग्घाते, मणुस्साणं सत्त समुग्घाता एवं चेव ।। सू० ५८६।। (મૂ૦) સાત સમુઘાતોએકીભાવ વડે પ્રબળતાથી કર્મપ્રદેશોના ઘાતરૂપ કહેલા છે, તે આ પ્રમાણે–વેદના સમુદ્ધાત ૧, . કષાય સમુદ્યાત ૨, મારણાંતિક સમુાત ૩, વૈક્રિયસમુદ્દાત ૪, તેજસ સમુદ્યાત ૫, આહારક સમુદ્યત ૬, અને કેવલી સમુદ્યાત છે. મનુષ્યોને સાત સમુદ્યાતો કહેલા છે એ પ્રમાણે જ. //પ૮૬// (ટી) સત્ત'સમુપાઈ' ત્યવિ ‘હનું ધાતુ હિંસા અને ગતિ અર્થમાં છે. 'હન’ પતિ–હણવું તે ઘાત, 'સમ્'—એકીભાવમાં '૩'પ્રાબલ્યમાં તેથી (આ અર્થ થાય છે) એકીભાવ વડે અને પ્રબલતાથી-ઘાત-નિર્જરા તે સમુદ્ધાત. પ્રશ્ન-કોનું અને તેની સાથે એકીભાવમાં જવું છે? ઉત્તર-આત્માનું વેદના અને કષાયાદિના અનુભવરૂપ પરિણામ સાથે અર્થાત્ જ્યારે આત્મા; વેદનીયાદિના અનુભવરૂપ જ્ઞાન વડે પરિણત થાય છે ત્યારે અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. પ્રશ્ન-પ્રબળતાથી ઘાત કેવી રીતે? ઉત્તર-જે હેતુથી વેદનીયાદિ સમુદ્દાત વડે પરિણત (જીવ) કાલાંતરમાં અનુભવવા યોગ્ય, ઘણા વેદનીયાદિ કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષીને (ખેંચીને) ઉદયમાં પ્રક્ષેપી, અનુભવીને નિર્ભર છે. અર્થાત્ આત્માના પ્રદેશોની સાથે મળી ગયેલ કર્મપ્રદેશોને સાડે છે-દૂર કરે છે. કહ્યું છે કે—''પુણ્વયમ્મસાડvi તુ નિન્ના'' મૂતાવારે ૪૪૫ 7િ] પૂર્વે કરેલ કર્મનું શાટન-નાશ તે નિર્જરા છે. તે વેદનાદિ ભેદ વડે સાત પ્રકારે થાય છે. તેથી કહે છે-સાત સમુદ્ધાતો પ્રરૂપેલા છે, તે આ પ્રમાણેવેદનાસમુદ્યાત ઇત્યાદિ. તેમાં વેદના સમુદ્ધાત અસતાવેદનીય કર્મના આશ્રયવાળો છે. કષાય સમુદ્ધાત, કષાયનામના ચારિત્રમોહનીય કર્મના આશ્રયવાળો છે. મારણાંતિક સમુદ્ધાત, અંતર્મુહૂર્ત શેષ આયુષ્ક કર્મના આશ્રયવાળો છે. વૈકુર્વિક, તૈજસ અને આહારક આ ત્રણ સમુદ્ધાત, શરીરનામકર્મના આશ્રયવાળા છે. કેવલી મુદ્દાત તો સાતા અને અસાતવેદનીય શુભ, અશુભ નામ, તથા ઉચ્ચ, નીચ ગોત્ર, આ ત્રણ કર્મના આશ્રયવાળો છે તેમાં વેદનીય કર્મના સમુદ્દાત વડે જોડાયેલ આત્મા, કષાયપુદ્ગલનું શાટન કરે છે. મારણાંતિક સમુદ્યત વડે જોડાયેલ આત્મા, આયુષ્ક કર્મના પુદ્ગલોનો ઘાત કરે છે. વૈક્રિયસમુદ્યાત વડે જોડાયેલ આત્મા તો જીવના પ્રદેશોને શરીરથી બહાર કાઢીને શરીરના વિધ્વંભ (પહોળાઈ) જેટલો પહોળો અને લંબાઈથી સંખ્યાત યોજનના દંડને કરે છે, કરીને પૂર્વે બાંધેલ વૈક્રિય શરીરનામકર્મના યથાસ્થૂલ પુગલોને શાટન કરે છે. यथोक्तम् "वेउव्वियसमुग्घाएणं समोहणइ समोहणित्ता संखेज्जाइं जोयणाई.दंडं निसरइ २ ता अहाबायरे पोग्गले પરિસાડે' [ vસૂત્ર 7િ] વૈક્રિયસમુદ્ધાત વડે સમવહે છે, સમવહીને સંખ્યાત યોજન પ્રમાણ દંડને કરે છે, કરીને પૂર્વે બાંધેલા યથા બાદર પુદ્ગલોને (આત્મપ્રદેશથી) દૂર કરે છે. એવી રીતે તૈજસ અને આહારકસમુદ્ધાત, પણ વ્યાખ્યા કરવા યોગ્ય છે. કેવલીસમુદ્દાત વડે જોડાયેલ કેવલી, વેદનીયાદિ કર્મના પુગલોનો નાશ કરે છે. અહિં છેલ્લો (કેવલી) સમુદ્યાત આઠ સમયનો છે અને શેષ છ સમુદ્ધાતો તો અસંખ્યાત સમયના છે. ચોવીશ દંડકની વિચારણામાં સાતે સમુદ્યાતો મનુષ્યોને જ હોય છે, માટે કહે છે—'મનુસ્સામાં સત્ત' 1. અન્ય નવીન કષાયમોહનીયના ઘણા પુદ્ગલોને કષાયપ્રત્યયથી બાંધે છે. 2. 'वेउव्विअसमुग्घाएणं समोहणिता संखिज्जाइं जोअणाई दंडं निसिरइ-तंजहा-रयणाणं वइराणं वेरुलिआणं लोहिअक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं जोईरसाणं अंजणाणं अंजणपुलयाणं जायरुवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पुग्गले परिसाडेइ' इति पर्युषणा कल्पसूत्रे महावीर चरिते पाठः । (मु. श्री जंबुविजयजी सं०) 202
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy