SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ७ स्थानकाध्ययने वायुसंस्थानभयानि केवलित्वकेवत्विज्ञानहेतवः ५४७-५५० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કહેલ છે, સાત આકાશાંતરો કહેલા છે. આ સાત આકાશના અંતરોમાં સાત તનુવાતો રહેલા છે, આ સાત તનુવાતોમાં સાત ઘનવાતો રહેલા છે, આ સાત ઘનવાતોને વિષે સાત ઘનોદધિઓ રહેલા છે, આ સાત ઘનોદધિઓને વિષે પટલક પુષ્પભાજન-પુષ્પની છાબડીની માફક સ્થૂલ સંસ્થાન વડે રહેલ સાત પૃથિવીઓ રહેલી છે, તે આ પ્રમાણે— પ્રથમા યાવત્ સપ્તમી. આ સાત પૃથ્વીઓના સાત નામો કહેલા છે, તે આ પ્રમાણે—ઘ, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી. આ સાત પૃથિવીઓના સાત ગોત્રો કહેલા છે, તે આ પ્રમાણે—રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભા. ।।૫૪૬।। (ટી૦) 'અને તોપ' ત્યાદ્રિ અધોલોકના ગ્રહણથી ઊર્ધ્વલોકમાં પણ પૃથ્વીની સત્તા જણાય છે, ત્યાં એક ઈષપ્રાક્ભારા નામની પૃથ્વી છે. અહિં જો કે પ્રથમ પૃથ્વીના ઉપરના નવ સો યોજન તિર્યલોકમાં હોય છે, તો પણ દેશથી ઊણી છતાં પણ પૃથ્વી છે તેથી દોષ નથી. આ સાત પૃથ્વીઓ ક્રમથી જાડાઈથી એક લાખ ને એંશી હજાર યોજન વગેરે પ્રમાણવાળી છે. કહ્યું છે કે पढमा असीइसहस्सा १, बत्तीसा २ अट्ठवीसा ३ वीसा य ४ । †, अट्ठार ५ सौल ६ अट्ठ य ७, सहस्स लक्खोवरिं कुज्जा ॥१५॥ [બૃહત્સં૦ ૨૪૨ રૂતિ] પ્રથમ પૃથ્વી એક લાખને એંશી હજાર, બીજી એક લાખને બત્રીશ હજાર, ત્રીજી એક લાખને અઠ્યાવીશ હજાર, ચોથી એક લાખને વીશ હજાર, પાંચમી એક લાખને અઢાર હજાર, છઠ્ઠી એક લાખને સોળ હજાર તથા સાતમી એક લાખને આઠ હજાર યોજનની જાડાઈવાળી છે. (૧૫) અધોલોકના અધિકારથી અધોલોક સંબંધી વસ્તુના સૂત્રો યાવત્ બાદર સૂત્રથી પહેલાના સૂત્ર પર્યંતના સૂત્રો સુગમ છે. વિશેષ એ કેધનોદધીઓનું બાહલ્ય (જાડાઈપણું) વીશ હજા૨ યોજન છે અને ઘનવાયુઓ, તનુવાયુઓ તથા આકાશાંતરોનું બાહત્ય અસંખ્યાત યોજન છે. કહ્યું છે કે— सव्वे वीससहस्सा, बाहल्लेणं घनोदधी नेया । सेसाणं तु असंखा, अहो अहो जाव सत्तमिया ||१६|| [બૃહત્સં॰ ૨૪૨TM] સર્વ ઘનોદધી જાડાઈમાં વીસ હજાર યોજન છે. અને શેષ ઘનવાયુ આદિ અસંખ્ય યોજન જાડાઈમાં નીચે સાતમી નરક પૃથ્વી સુધી જાણવાં. (૧૬) છત્રને અતિક્રમીને છત્ર તે છત્રાતિચ્છત્ર, તેના જેવું સંસ્થાન-આકાર અર્થાત્ નીચેનું છત્ર મોટું અને ઉપરનું નાનું, એવા આકારે રહેલા તે છત્રાતિચ્છત્ર સંસ્થાનસંસ્થિતા. તાત્પર્ય એ છે કે–સાતમી પૃથ્વી સાત રાજ વિસ્તારવાળી છે. છઠ્ઠી વગેરે તો એકૈક રાજ હીન છે અર્થાત્ છેવટે પહેલી નરક એક રાજની છે. કોઈક પ્રતમાં 'પિંડાળવિદ્યુતસંડાળસંનિયા' આવો પાઠ છે ત્યાં પિંડલગ એટલે પટલક પુષ્પભાનજ (છાબડી) ની માફક પહોળા સંસ્થાન વડે સંસ્થિતા-રહેલ તે પટલકપૃથુલસંસ્થાન– સંસ્થિતા જાણવી. 'પૃથુતપૃથુતસંસ્થાનસંસ્થિતા' એવો પણ કોઈક પ્રતમાં પાઠ છે તે સ્પષ્ટ જ છે. 'નામધેન્ન' ત્તિ નામો. 'મોત્ત' ત્તિ॰ ગોત્રો, તે પણ નામો છે પરંતુ નામ પ્રમાણે ગુણયુક્ત અર્થવાળા ગોત્રો છે અને ઘમ્માદિ નામો તો જુદા છે અર્થાત્ તે સાર્થક નથી, સામાન્યતઃ છે. સાર્થક તો સુખે સમજવા યોગ્ય છે. I૫૪૬॥ સાત અવકાશાંતરો પૂર્વે પ્રરૂપાયા, તેઓને વિષે બાદર વાયુઓ હોય છે માટે તેની પ્રરૂપણાને અર્થે કહે છે— સત્તવિહા વાયરવાડાયા પન્નત્તા, તંનહા-પાતીવાતે, પડીળવાતે, વહિવાતે, વીવાતે, કહેવાતે, અહેવાતે, विदिसिवा ।। सू० ५४७।। સત્ત સંડાળા પન્નત્તા, તંનહા–વીદે, રહસ્તે, વધે, તસે, ત્રણે, વિદ્યુતે, મિંડત્તે । સૂ॰ ૧૪૮।। 165
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy