SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने मनुष्या ऋत्यनृद्धिमन्त उत्सर्पिणी सुषमसुषमानरोच्चत्वायुषी संहननं संस्थानम् ४९०-४९५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ દ્વીપાના પશ્ચિમાદ્ધમાં ઉત્પન્ન થયેલા ૫, અને અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા ૬. અથવા છ પ્રકારના મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—સંમૂચ્છિક મનુષ્યો ત્રણ પ્રકારે-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૧, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૨, અને અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા ૩, ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારે-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૧, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૨ અને અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા ૩. //૪૯૦ છ પ્રકારના ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—અરહંતો ૧, ચક્રવર્તાઓ ૨, બળદેવો ૩, વાસુદેવો ૪, જંઘાચારણાદિ મનુષ્યો પ, અને વિદ્યાધરો ૬. છ પ્રકારના ઋદ્ધિ રહિત મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—હમવંતક્ષેત્રના ૧, હૈરણ્યવંતક્ષેત્રના ૨, હરિવર્ષક્ષેત્રના ૩, રમ્યકક્ષેત્રના ૪, દેવકુરુ અને ઉત્તરકુરુરૂપ કુરુક્ષેત્રના પ. તથા અંતરદ્વીપોના ૬. આ બધા યુગલિકો ઐશ્વર્યરહિત હોય છે. //૪૯૧// છ પ્રકારે અવસર્પિણી (કાળ) કહેલ છે, તે આ પ્રમાણે–સુષમસુષમા યાવત્ દુષ્યમદુષ્યમા, છ પ્રકારે ઉત્સપ્પિણી (કાળ) કહેલ છે, તે આ પ્રમાણે—દુષ્યમદુષ્યમા યાવતું સુષમસુષમા. //૪૯૨ // જંબૂતીપ નામના દ્વીપમાં ભારત અને ઐરાવતક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામા સમા-આરાને વિષે મનુષ્યો છ હજાર ધનુષ્ય (ત્રણ ગાઉ) ઉંચા હતા. છ અદ્ધ (ત્રણ) પલ્યોપમનું પરમ્ આયુષ્ય ભોગવનાર હતા ૧, જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત તથા ઐરવતક્ષેત્રને વિષે આ અવસર્પિણીમાં સુષમસુષમા નામના આરાને વિષે એમ જ જાણવું ર, જંબૂદ્વીપ નામા દ્વીપમાં ભરત તથા ઔરવતક્ષેત્રને વિષે આવતા ઉત્સર્પિણીને વિષે સુષમસુષમા નામના સમા (આરા) માં એમ જ જાણવું યાવત્ છ અદ્ધ (ત્રણ) પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવશે. ૩. જંબૂદ્વીપ નામના દ્વીપમાં દેવકુરુ તથા ઉત્તરકુરુક્ષેત્રને વિષે મનુષ્યો, છ હજાર ધનુય (૩ કોશ) ઊંચાઈવાળા કહેલા છે અને છે અદ્ધ (૩) પલ્યોપમનું પરમ આયુષ્ય ભોગવે છે ૪, પૂર્વોક્ત રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધમાં ચાર આલાપકો કહેવા થાવત્ ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાદ્ધમાં, પુષ્કરવર દ્વીપાદ્ધના પૂર્વાર્ધમાં પુષ્કરવરદ્વીપના પશ્ચિમાદ્ધમાં ચાર આલાપકો કહેવા. //૪૯૭/. છ પ્રકારે સંઘયણ કહેલ છે, તે આ પ્રમાણે–વજઋષભનારાચ સંઘયણ ૧, ઋષભનારાએ સંઘયણ ૨, નારા સંઘયણ ૩, અદ્ધનારાચ સંઘયણ ૪, કીલિકા સંઘયણ પ, અને સેવાર્તા સંઘયણ ૬, //૪૧૪ll છ પ્રકારે સંસ્થાન કહેલ છે, તે આ પ્રમાણે—સમચતુરસ ૧, ન્યગ્રોધ પરિમંડળ ૨, સાદિ ૩, કુલ્ક ૪, વામન ૫, અને હુંડક ૬. //૪૯૫ll, (ટી.) આ સૂત્ર સ્પષ્ટાર્થવાળું છે. વિશેષ એ કે—'સહવા છવિદે’ તિ અહિં કર્મભૂમિ વગેરે ભેદથી સંમૂચ્છિમ મનુષ્યો ત્રણ પ્રકારે છે તથા ગર્ભજ મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. એવી રીતે છ પ્રકારના મનુષ્યો છે. I૪૯Ol 'સારા' ત્તિ જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ અને વિદ્યાધરો તે વૈતાઢ્ય વગેરેમાં વસનારા મનુષ્યો. //૪૯૧// 'ઇન્દ્રધનુસહસ્સા તિઃ ત્રણ કોશ. 'છત્ત્વ અદ્ધપત્તિવમારૂં' તિઃ ત્રણ પલ્યોપમ. II૪૯૨ી સંહનન-કહેવામાં આવનાર ઉપમાન વડે ઉપમેયરૂપ હાડકાનો સંચય. અન્ય આચાર્યો સંઘયણને શક્તિવિશેષ કહે છે. - વજ-કાલિકા, ઋષભ-ચોતરફથી વીંટવાનું પટ્ટ (પાટો), નારાચ-બન્ને પડખેથી મર્કટબંધ, જેમાં બે અસ્થિ બન્ને પડખેથી મર્કટબંધ વડે બંધાયેલ હોય અને પટ્ટની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે વીંટાયેલ હોય, વળી તેના ઉપર તે ત્રણ હાડકાને ભેદનારું ખીલીના આકારવાળું વજ નામનું હાડકું હોય તે વજઋષભનારા નામનું પ્રથમ સંહની. જેમાં ફક્ત ખીલી નથી તે ઋષભનારાંચ નામનું બીજું સંઘયણ, જેમાં બન્ને પડખાએ મર્કટબંધ હોય પરંતુ પટ્ટ તથા કીલિકા ન હોય) તે ત્રીજું નારાચ, જ્યાં એક પડખાથી મર્કટબંધ અને બીજા પડખામાં ખીલી હોય તે ચોથું અદ્ધનારાચ, ખીલીથી વીંધાયેલ બે હાડકાના સંચયવાળું પાંચમું કીલિકા નામનું અને બે હાડકાના છેડાને સ્પર્શનરૂપ સેવા પ્રત્યે પ્રાપ્ત થયેલું (અર્થાત્ તેલમર્દનાદિ સેવાની આકાંક્ષાવાળું) - 113
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy