SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 3, श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीव भेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८ - ४६० सूत्राणि ચંદ્રસંવત્સર અને અભિવર્ધિતસંવત્સર ૨, પ્રમાણસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય (સૂર્ય) અને અભિવિદ્ધિતસંવત્સર ૩, લક્ષણસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—સમાનપણાએ કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમાદિ તિથિઓની સાથે સંબંધ ક૨ે છે. સમપણાએ ઋતુઓ પરિણમે છે, અત્યંત ઉષ્ણ નહિં તેમ શીત નહિં અને બહુ ઉદકવાળો જે હોય છે તે લક્ષથી નક્ષત્રસંવત્સર કહેવાય છે. (૧) જે સંવત્સરમાં ચંદ્રમા તમામ પૂર્ણિમાઓની સાથે સંબંધ કરે છે તથા નક્ષત્રો માસના નામથી વિષમચારી હોય છે અર્થાત્ કાર્તિક પૂર્ણિમાએ કૃત્તિકાને બદલે ભરણી અને રોહિણી હોય, અતિશીત અને અતિતાપ હોય તેમ બહુ પાણી હોય તેને શાસ્ત્રકારો લક્ષણથી ચંદ્રસંવત્સર કહે છે. (૨) વિષમપણાએ વૃક્ષો અંકુરાદિ અવસ્થાને પામે છે, ઋતુ સિવાય પુષ્પ તથા ફળાદિને આપે છે, સારી રીતે વર્ષાદ વરસતો નથી તેને શાસ્ત્રજ્ઞો કર્મસંવત્સર કહે છે અથવા ઋતુ કે સાવનસંવત્સર પણ કહેવાય છે. (૩) જે સંવત્સરમાં પૃથ્વીનો રસ અને ઉદકનો રસ (મધુરપણું અને ચીકાશ) સૂર્ય આપે છે તેને લઈને અલ્પવૃષ્ટિથી પણ સારી રીતે ધાન્યની પેદાશ થાય છે તેને પંડિતો લક્ષણથી સૂર્યસંવત્સર કહે છે. (૪) જે સંવત્સરમાં સૂર્યના તેજથી તપેલ એવા મુહૂર્ત, લવ, દિવસ અને ઋતુઓ પરિણમે છે તથા પવન વડે ઊડેલ ધૂળથી જમીન પૂરાય છે તેને વિદ્વાનો લક્ષણથી અભિવદ્ધિંતસંવત્સર કહે છે. હે શિષ્ય! તું પણ તેમ જ જાણે. ૪૬૦ી (ટી૦) 'પંષવિદે' ત્યાિ સ્ફુટ છે. વિશેષ એ કે–સંસાર સમાપન્નકો–સંસારમાં વર્તનારા જીવો. વિપ્રનઃ—સર્વથા છોડતો થકો. સર્વ જીવો એટલે સંસારી અને સિદ્ધો. અકષાયી તે ઉપશાંતમોહ વગેરે. ૪૫૮॥ જીવોના અધિકારથી વનસ્પતિ જીવોને આશ્રયીને પાંચ સ્થાનકને કહે છે—'ગદ્દે' ત્યાદ્રિ ત્રીજા સ્થાનકની જેમ વ્યાખ્યા કરવી. વિશેષ એ કે-કલા-વટાણા, મસૂર તે ચણકિકા પણ કહેવાય છે, તિલ, મગ અને માત્ર (અડદ) પ્રતીત છે. નિષ્ફાવ–વાલ, કુલત્થ—ચોળા જેવી ચિપટી હોય છે અર્થાત્ કુળથી, આલિસિંદયા-ચોળા, સા—તુવેર અને પતિમાઃ કાળા ચણા. ૪૫૯|| ૬૭ અનંતર સંવત્સરના પ્રમાણ વડે યોનિનો,વ્યતિક્રમ કહ્યો, હવે તે સંવત્સર વિચારાય છે માટે 'પંચ સંવ∞રે' ત્યાવિ સૂત્રચતુષ્ટય છે. 'નવવત્તસંવરે' ત્તિ અહિં ચંદ્રનો નક્ષત્ર મંડળ સંબંધી ભોગકાળ તે નક્ષત્રમાસ, તે સત્યાવીશ દિવસ અને એક દિવસના સડસઠ ભાગ કરીએ તેવા એકવીશ ભાગ ૨૭૧, એવી રીતે બાર માસનો આ નક્ષત્રસંવત્સર છે. તે ત્રણ સો સત્યાવીશ દિવસ અને સડસઠીઆ એકાવન ભાગ ૩૨૭ નો થાય છે ૧, એમ પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવત્સ૨ ૨, પ્રમાણ-દિવસ વગેરેના પરિમાણ વડે ઓળખાતો વક્ષ્યમાણ નક્ષત્રસંવત્સ૨ વગેરે જ પ્રમાણસંવત્સ૨ ૩, તે જ વક્ષ્યમાણસ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણસંવત્સર ૪, અને જેટલા કાળ વડે શનૈશ્વર (ગ્રહ) એક નક્ષત્રને અથવા બારે રાશિઓને ભોગવે તે શનૈશ્વરસંવત્સર કહેવાય છે. શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે"सनिच्छरसंवच्छरे अट्ठाविसविहे पन्नत्ते- अभीई सवणे जाव उत्तरासाढा, जं वा सनिच्छरे महग्गहे तीसाए संवच्छरेहिं સર્વાં નવત્તમંડતા સમાશે'' [ચન્દ્ર૦ ૨૦ાર૦૮ ત્તિ] શનૈશ્વરસંવત્સર અઠ્યાવીશ પ્રકારે કહેલ છે–અભિજિત્, શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા, અથવા શનૈશ્વર મહાગ્રહ, ત્રીશ વર્ષે સમસ્ત નક્ષત્રમંડળને પૂર્ણ કરે છે અર્થાત્ એકેક રાશિને અઢી અઢી વર્ષ ભોગવે છે ૫. યુગસંવત્સર પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—'સઁવે' ત્તિ ઓગળત્રીશ દિવસ અને બાસઠીઆ બત્રીશ ભાગ ૨૯૭૨/ આ પ્રમાણવાળો કૃષ્ણપ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બાર માસના પરિમાણવાળો ચંદ્રસંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે—ત્રણ સો ચોપન દિવસ અને બાસઠીઆ બાર ભાગ ૩૫૪૧૨. આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્રસંવત્સર પણ સમજવો. 'મિવગ્નિ' ત્તિ એકત્રીશ દિવસ અને એક દિવસના એક સો ચોવીશ ભાગ કરીએ તેવા એક સો એકવીશ ભાગપ્રમાણ અભિવર્ધિતમાસ ૩૧૧૨૧,, . આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો 92
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy