SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीवभेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८-४६० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ત્રીજો અભિવદ્ધિત સંવત્સર હોય છે, તે પ્રમાણ વડે ત્રણ સો વ્યાશી દિવસ અને બાસઠીયા ચુમ્માલીશ ભાગ ૩૮૩, આ પ્રમાણવાળો પાંચમો અભિવર્તિતસંવત્સર જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સર વડે એક યુગ થાય છે. તે પાંચ સંવત્સરના મળે અભિવદ્વૈિત નામના સંવત્સરને વિષે અધિક માસ પડે છે. (૨) પ્રમાણસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે તેમાં નક્ષત્રસંવત્સર ઉક્ત લક્ષણવાળો છે પરંતુ ત્યાં કેવળ નક્ષત્રમંડળનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહિં તો દિવસ ભાગ વગેરેનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવર્દ્રિતસંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે પરંતુ ત્યાં યુગના વિભાગ કહેલ છે અને અહિ તો દિવસાદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ (ભેદ) છે. '૩'–ઋતુસંવત્સર, ત્રીશ અહોરાત્રના પ્રમાણવાળો ઋતુમાસ, તેવા બાર તુમાસ વડે સાવનમાસ અને કર્મમાસ નામના પર્યાય (અપરનામ) વડે થયેલ ત્રણ સો સાઠ ૩૬૦ અહોરાત્રપ્રમાણવાળો છે. 'અન્વે' ત્તિ આદિત્યસંવત્સર, તે સાડાત્રીસ દિવસનો એક માસ, એવા બાર માસ વડે થયેલ ત્રણ સો છાસઠ (૩૬૬) અહોરાત્રપ્રમાણવાળો હોય છે. (૩) અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર, લક્ષણની પ્રધાનતા વડે લક્ષણસંવત્સર કહેવાય છે. હવે નક્ષત્રને કહે છે—'સમય' હા, સમર્ક-સમાણાએ કૃતિકાદિ નક્ષત્રનો યોગ-કાર્તિક પૂર્ણિમાદિ તિથિઓની સાથે સંબંધ જોડે છે-કરે છે તાત્પર્ય એ છે કે-નક્ષત્રો તિથિઓને વિષે મુખ્યતાથી હોય છે; જેમ કાર્તિકી પૂર્ણિમાને વિષે કૃત્તિકાનક્ષત્ર હોય. કહ્યું છે કેजेट्ठो वच्चइ मूलेण, सावणो (वच्चइ) धणिवाहि । अद्दासु य मग्गसिरो, सेसा नक्खत्तनामिया मासा ।।२२४।। જયેષ્ઠ માસની પૂર્ણિમાને દિવસે મૂળ નક્ષત્ર હોય છે. શ્રાવણની પૂર્ણિમા ધનિષ્ઠા નક્ષત્રની સાથે સંયોગ કરે છે, માર્ગશીર્ષ પૂર્ણિમાનો આદ્ર નક્ષત્ર સાથે યોગ હોય છે, બાકીના મહિનાઓ નક્ષત્રના નામવાળા હોય છે અર્થાત્ પોષની પૂર્ણિમાએ પુષ્પ નક્ષત્ર, માઘમાં મઘા નક્ષત્ર, એમ અન્ય પણ સમજી લેવા. (૨૨૪) - જે વર્ષમાં સમપણાએ ઋતુઓ પરિણમે છે, પરંતુ વિષમપણાએ નહિ અર્થાત્ કાર્તિકી પૂર્ણિમા પછી અંતર રહિત હેમંતઋતુ, પોષ માસની પૂર્ણિમા પછી શિશિરઋતુ જ આવે છે એવી રીતે અન્ય ઋતુઓ પણ આવે છે. જે વર્ષમાં અત્યંત ગરમી નથી અને જેમાં અત્યંત શીત નથી તે નાતિઉણાનાતિશીત.અને જેમાં ઘણું પાણી છે તે બહદક તે લક્ષણથી નક્ષત્ર હોય છે. નક્ષત્રની ગતિરૂપ લક્ષણ વડે લક્ષિત હોવાથી નક્ષત્રસંવત્સર છે. આ ગાળામાં પાંચમો અને આઠમો અંશક (વિભાગ) પંચલ (પાંચ માત્રાવાળો) છે, માટે આ ગાથા વિચિત્ર છે એમ છંદશાસ્ત્રને જાણનારાઓ વડે ઉપદેશાય છે. 'વહુતા વિવિત્ત' ત્તિ બહુલ વિચિત્ર ગાથાના લક્ષણથી પત્તિ-પંચકલ ગણ છે. (૧) 'સ' ગાદી 'સમ' ત્તિ વિભક્તિના લોપથી શશિનાચંદ્ર સાથે સમસ્ત પૂર્ણિમાઓ અર્થાત્ બધી પૂનમની રાત્રિઓ જે વર્ષમાં યોગવાળી હોય છે અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમાઓને જોડે છે-સંબંધ કરે છે, વિષમચારી-યથાયોગ્ય તિથિઓને વિષે નહિ વર્તનાર નક્ષત્રો છે જેમાં તે વિષમચારી નક્ષત્ર, અત્યંત શીત અને ગરમીના સદ્ભાવથી કર્ક તથા બહૂદક-ઘણું પાણી. અહિં પ્રાકૃતપણાથી દીર્ઘત્વ છે, તેને જાણનારા વિદ્વાનો લક્ષણથી ચંદ્રસંવત્સર કહે છે, કેમ કે ચંદ્રની ચાર-ગતિરૂપ લક્ષણ વડે લક્ષિત છે. (૨) 'વિસમ નહીં—વિષમવિષમતાએ પ્રવાલ-પલ્લવાંકુર, તે વિદ્યમાન છે જેને તે પ્રવાલવાળા-વૃક્ષો પરિણમે છે અર્થાત્ પ્રવાલપણાના લક્ષણવાળી અવસ્થા વડે પ્રાપ્ત થાય છે અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે છે એટલે અંકુરનું ઊગવું વગેરે અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયમાં-પોતાના કાળ વિનાના સમયમાં પુષ્પ તથા ફળને આપે છે, જેમ સ્વરૂપ વડે ચૈત્રાદિ માસમાં પુષ્પાદિને દેવાવાળા આમ્રવૃક્ષો માઘાદિ માસમાં પુષ્પાદિને આપે છે. તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને વરસાવતો નથી તેને લક્ષણથી કાર્યણસંવત્સર કહે છે. તેના ઋતુસંવત્સર અને સાવનસંવત્સર એવા બે પર્યાય નામ છે. (૩) પુદ્ધવિ’ માહ–જે વર્ષમાં પૃથ્વીના રસને ઉદકના રસને-માધુર્ય અને ચીકાશના સ્વરૂપવાળા રસને તથા પુષ્પ તેમ જ ફળના રસને પણ તેવા પ્રકારના સ્વભાવથી સૂર્ય આપે છે. મતલબ કે તથાવિધ ઉદકના અભાવમાં પણ આપે છે જેથી થોડા વર્ષાદિ વડે પણ સમ્યગુ-જોઈએ તેટલું સસ્ય (શાલિ વગેરે ધાન્ય) ઉત્પન્ન થાય છે. તે લક્ષણથી આદિત્યસંવત્સર કહેવાય છે. (૪) “બોવ' માહી–સૂર્યના 93
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy