SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ मुण्डाः पञ्चबादरबादरतेजोबादराचित्तवायवः ४४३-४४४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બાકીનું જેમ.અધર્માસ્તિકાયાદિનું કહેવું છે તેમ કહેવું. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય લોકપ્રમાણ છે, કારણ કે તે બન્નેનો લોકને વિષે સદ્ભાવ છે. 'હા'' ૦િ ગ્રહણ-દારિક શરીરાદિપણાએ ગ્રાહ્યતા અથવા ઇન્દ્રિયો વડે ગ્રાહ્યતા છે. અથવા વર્ણાદિમાન્પણાથી પરસ્પર સંબંધલક્ષણ પુદ્ગલનો ગુણધર્મ છે જેનો તે ગ્રહણગુણ. I૪૪૧ અનંતર અસ્તિકાયો કહ્યા, અસ્તિકાયવિશેષ જીવાસ્તિકાયના સંબંધવાળી વસ્તુઓને કહે છે-અધ્યયનની સમાપ્તિ પર્યત થાવતું આવી રીતે મહાસંબંધ છે. તેમાં રે' ત્યાદિ ગતિ-સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-ગમન (જવું) તે ગતિ ૧, અથવા જેમાં જવાય છે તે ગતિ-ક્ષેત્રવિશેષ ૨, અથવા જે કર્મ પુદ્ગલના સમુદાય વડે જવાય છે તે ગતિ અર્થાત્ નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ ૩, અથવા તેના વડે કરાયેલી જીવની અવસ્થા ૪, તેમાં નરકને વિષે ગતિ ', નિરય એવી ગતિ તે નિરયગતિ અથવા નરકને પ્રાપ્ત કરાવનારી ગતિ તે નરકગતિ, એવી રીતે તિર્યંચોને વિષે ', તિર્યંચ સંબંધી ગતિ, અને તિર્યચપણાને પ્રાપ્ત કરાવનારી ગતિ તે તિર્યંચગતિ, એમ મનુષ્યગતિ અને દેવગતિ જાણવી. સિદ્ધિને વિષે ગતિ એટલે જવું અથવા સિદ્ધિ એવી ગતિ તે ઐસિદ્ધિગતિ. અહિં નામકર્મની પ્રકૃતિ નથી. I૪૪૨ // અનંતર સિદ્ધિગતિ કહી તે સિદ્ધિ, ઇન્દ્રિયના વિષયોને અને કષાય વગેરેને આશ્રયીને મુંડિતપણું કર્યું છતે હોય છે માટે ઈન્દ્રિયના વિષયોને તથા ઇન્દ્રિયમુંડ અને કષાયમંડ વગેરેને કહેવા માટે ઇચ્છતા સૂત્રકાર ત્રણ સૂત્ર કહે છે– पंच इंदियत्था पन्नत्ता, तंजहा–सोर्तिदयत्थे जाव फासिंदियत्थे १ । पंच मुंडा पन्नत्ता, तंजहा-सोर्तिदियमुंडे जाव फासिंदियमुंडे. २ । अहवा पंच मुंडा पन्नत्ता, तंजहा–कोहमुंडे, माणमुंडे, मायामुंडे, लोभमुंडे, सिरमुंडे ३ // તૂ૦ ૪૪રૂા .. अहेलोगे णं पंच बायरा पन्नत्ता, तंजहा–पुढविकाइया, आउ[काइया], वाउ[काइया], वणस्सइकाइया], ओराला तसा पाणा १ । उड्डलोगेणं पंच बादरा [पन्नत्ता, तंजहा–एवं] एते चेव २ । तिरियलोगे णं पंच बादरा પત્રા, તંનદા-નિયા નાગ પંવિવિયા પંવિધા વાયરતેડવારૂયા પત્તા, સંગહા–ાને, નાતા, મુમુ, अच्ची, अलाते १ । पंचविधा बादरवाउकाइया पन्नत्ता, तंजहा–पाईणवाते, पडीणवाते, दाहिणवाते, उदीणवाते, विदिसंवाते २ । पंचविधा अचित्ता वाउकाइयां पन्नत्ता, तंजहा–अंक्कते, धंते, पीलिते, सरीराणुगते, संमुच्छिमे ३ //સૂ૦૪૪૪છે. '(મૂળ) પાંચ ઇન્દ્રિયોના વિષયો કહેલા છે, તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિયનો વિષય (શબ્દ) યાવત્ સ્પર્શેન્દ્રિયનો વિષય (સ્પર્શ)૧, પાંચ મુંડ (દૂર કરવું) કહેલા છે, તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયનો મુંડ અર્થાત્ શ્રોત્રેન્દ્રિયને વિષે રાગાદિનું દૂર કરવું થાવત્ સ્પર્શેન્દ્રિય મુંડ ૨, અથવા પાંચ મુંડ કહેલા છે, તે આ પ્રમાણે-ક્રોધમુંડ-ક્રોધને દૂર કરવો, એવી રીતે માનકુંડ, માયામુંડ અને લોભમુંડ, તથા કેશનો લોચ કરવો તે શિરમુંડ ૩. //૪૪૩/l અપોલોકને વિષે પાંચ બાદર કહેલા છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયિકો, અકાયિકો, વાયુકાયિકો, વનસ્પતિકાયિકો અને સ્થૂલ ત્રસ પ્રાણીઓ ૧, ઊર્ધ્વલોકમાં પાંચ બાદર કહેલા છે, તે આ પ્રમાણે–પૂર્વોક્ત પાંચ ભેદો જાણવા ૨, તિલોકમાં પાંચ બાદર કહેલા છે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિયો ૩, પાંચ પ્રકારના બાદર તેજસકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—અંગારા, જવાળા, મુસ્કુરા-રાખ વડે મિશ્રિત અગ્નિ, અશ્ચિ-શિખા સહિત અગ્નિ અને ઉંબાડીયું-સળગતું લાકડું કે છાણું ૧, પાંચ પ્રકારના બાર વાયુકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વ દિશાનો વાયુ, 1. ચાર વ્યુત્પત્તિના ગ્રહણને જણાવવા માટે નો અંક છે. પહેલી વ્યુત્પત્તિના અર્થમાં રત્નપ્રભાદિને આશ્રયીને જીવનું ગમન, દ્વિતીયમાં નરકક્ષેત્રના વિષયમાં, તૃતીયમાં નરક અવસ્થાનું હેતુભૂત કર્મ અને ચોથામાં ઉદયમાં આવેલ નરકભવ. 2. સિદ્ધિગતિમાં પ્રથમની બે વ્યુત્પત્તિ લાગે, પાછલી બે નહિ કારણ કે કર્મનો અભાવ છે. - 75
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy