SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અન્ય સાધ્વીઓના વિરહમાં એકાકી સાધ્વીએ અનશન કરેલ હોય તે સાધ્વીની આગળ પ્રયોજનને અથવા હેતને ' કહેવાવાળા સાધુને, જો મૂચ્છ વડે સાધ્વી પડતી હોય તો તેણીનું ગ્રહણ અથવા અવલંબન કરવું કહ્યું. (૧૪૯) अट्ठो त्ति जीए कज्ज, संजायं एस अट्ठजाया उ । तं पुण संजमभावा, चालिज्जती समवलंबे ।।१५०।। વૃિદ૧૦ ૬૨૮૬ ત્તિ પિિત્ત દીક્ષાથી ભ્રષ્ટ કરાવનાર પોતાના પતિ વગેરેથી નાત–ઉત્પન્ન થયેલ [કાર્ય] જેણી વડે તે અર્થજાતા અર્થાત્ પતિ કે ચોરાદિ વડે સંયમથી ચલાયમાન કરાતી સાધ્વી પ્રત્યે ગ્રહણ અથવા અવલંબન કરવું કલ્પ. (૧૫) * આ પાંચમું કારણ. I૪૩૭ી. અનંતર જે સ્થાનોને વિષે વર્તતો થકો નિગ્રંથ ધર્મ પ્રત્યે ઉલ્લંઘતો નથી તે સ્થાનો કહ્યા. હવે તે નિર્ગથવિશેષ આચાર્ય, જે અતિશયોને વિષે વર્તતો થકો ધર્મને ઉલ્લંઘતો નથી તે અતિશયોને કહે છે. आयरियउवज्झायस्स णं गणंसि-पंच अतिसेसा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए अंतो उवस्सगस्स पाए निगिज्झिय निगिज्झिय, पप्फोडेमाणे वा पमज्जेमाणे वा णातिक्कमति १, आयरियउवज्झाए अंतो उवस्सगस्स उच्चारपासवणं विगिंचमाणे वा विसोहमाणे वा णातिक्कमति २, आयरियउवज्झाए पभू इच्छा वेयावडियं करेज्जा इच्छा णो करेज्जा ३, आयरियउवज्झाए अंतो उवस्सगस्स एगरायं वा दुरातं वा [एगागी] वसमाणे णाइक्कमइ ४, आयरियउवज्झाए बाहिं उवस्सगस्स एगरातं वा दुरातं वा वसमाणे णातिक्कमति ५ ।। सू० ४३८।। (મૂળ) આચાર્ય, ઉપાધ્યાયના ગચ્છને વિષે પાંચ અતિશયો કહેલા છે, તે આ પ્રમાણે–આચાર્ય ઉપાધ્યાય, બહારથી આવીને ઉપાશ્રયની અંદર પ્રવેશ કરે ત્યારે પગને યત્નો વડે રજોરહણાદિથી બીજા સાધુઓદ્વારા ઝટકાવતો થકો અથવા હળવે હળવે લુંછાવતો થકી આજ્ઞાનું ઉલ્લંઘે નહિં ૧, આચાર્ય, ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર ઉચ્ચાર, પ્રશ્રવણને પરિઝાપન કરાવતો થકો, પગ વગેરેની વિશુદ્ધિને કરાવતો થકી આજ્ઞાનું ઉલ્લંઘે નહિ ૨, આચાર્ય, ઉપાધ્યાય સમર્થ છે-જો ઈચ્છા થાય તો વૈયાવૃત્ય-આહારાદિનું સાધુઓને દેવું કરે-આપે અને જો ઈચ્છા ન થાય તો વૈયાવૃજ્યને ન કરે, પરંતુ આચાર્યને ભિક્ષા માટે ભ્રમણ કરવું કહ્યું નહિ ૩, આચાર્ય, ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર એક રાત્રિ અથવા આ બે રાત્રિ પર્વત એકલા વસતા થકા આજ્ઞાનું ઉલ્લંઘે નહિ ૪, આચાર્ય, ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર એક રાત્રિ અથવા '. બે રાત્રિ પર્યત એકાકી વસતા થકા આજ્ઞાનું ઉલ્લંઘે નહિ. //૪૩૮II (ટી' 'આયરિ' ચારિ. આચાર્ય એ જ ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય, તે કેટલાએકને અર્થનો દાયક હોવાથી આચાર્ય અને બીજાઓને સૂત્રપાઠના દાયક હોવાથી ઉપાધ્યાય, તેના અથવા આચાર્ય અને ઉપાધ્યાયના પરંતુ શેષ સાધુઓના નહિં. 'ને' સાધુના સમુદાયમાં વર્તનારના અથવા વર્તનાર બન્નેના અથવા ગણના વિષયમાં અર્થાત્ શેષ સાધુઓના સમુદાયની અપેક્ષાએ અતિશેષ-પાંચ અતિશયો કહેલા છે, તે આ પ્રમાણે–ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં આચાર્ય, ઉપાધ્યાય બન્ને પગને ગ્રહણ કરી કરીને ખંખેરાતી ધૂલિથી, જેમ બીજા સાધુઓ ધૂળ વડે ન ભરાય તેમ વચનદ્વારા શિક્ષા આપીને “આભિગ્રહિક મુનિદ્વારા અથવા અન્ય સાધુદ્વારા પોતાના રજોહરણથી અથવા ઉનના પાદપ્રોંચ્છનથી ઝટકાવતો થકો અથવા પ્રમાર્જન કરાવતો થકોધીમે ધીમે સાફ કરાવતો થકો (આજ્ઞાને) ઉલ્લંઘતો નથી. અહિં આ ભાવાર્થ છે–અહિં રહેલ આચાર્ય, કુલ, ગણ વગેરેના કાર્ય પ્રસંગે બહાર નીકળેલ, તે પાછા આવેલ તે ઉત્સર્ગમા પ્રથમ વસતિથી બહાર બન્ને પગને ટકાવે છે. જો ત્યાં સાગારિક ગૃહસ્થ હોય તો વસતિની અંદર ઝટકાવે. પ્રસ્ફોટન-ઝટકાવવું તે પણ પ્રમાર્જનવિશેષ છે. તે દૃષ્ટિના વ્યાપારરૂપ પ્રત્યુપેક્ષણપૂર્વક 1, બીજા સામાન્ય સાધુઓને ન હોય તેથી એમની વિશેષતા હોય. 2. આચાર્ય એ જ ઉપાધ્યાય, 3. આચાર્ય અને બીજા ઉપાધ્યાય, ' 4. જે મુનિએ અભિગ્રહ લીધો હોય કે આચાર્ય મહારાજ બહારથી આવે ત્યારે તેમનું પાદપ્રૉપ્શન મારે કરવું તે આભિગ્રહિક મુનિ. 67
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy