SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ प्रतिसंलीनसंवरेतराः सामायिकाद्याः एकेंद्रियसंयमेतरी तृणवनस्पतिः ४२७.४३१ सूत्राणि સામાયિક. કહ્યું છે કેअहवा समस्स आओ, गुणाण लाभो त्ति जो समाओ सो । अहवा समाणमाओ, णेओ सामाइयं नाम ॥१२२।। [વિશેષાવશ્ય રૂ૪૮૦ 7િ] અથવા સમનો આય એટલે ગુણોનો જે લાભ તે સમાય, અથવા સમોનો આય તે સામાયિક જાણવું. (૧૨૨) અથવા સાનિ—મૈત્રીને વિષે અથવા મૈત્રી વડે ગમન-વર્તન તે સમાય અથવા મૈત્રી ભાવનાનો આય-લાભ તે સમાય, તે જ સામાયિક. કહ્યું છે કે – अहवा सामं मेत्ती, तत्थ अओ तेण व त्ति सामाओ । अहवा सामस्साओ, लाभो सामाइयं नाम ॥१२३।। [विशेषावश्यक ३४८१ त्ति] અથવા સામ એટલે સર્વ જીવોની મૈત્રીમાં અય એટલે ગમન અથવા તે વડે વર્તન તે સમાય અથવા સામનો આય એટલે લાભ તે સામાયિક છે. (૧૨૩) સાવદ્ય યોગની વિરતિરૂપ સર્વ ચારિત્ર પણ સામાન્યતઃ સામાયિક જ છે અને છેદ વગેરે વિશેષો વડે તો વિશેષણવાળું ચારિત્ર અર્થથી અને શબ્દથી નાનાપણાને ભજે છે. પ્રથમ ચારિત્ર વિશેષણના અભાવથી સામાન્ય શબ્દને વિષે જ સામાયિક નામે રહે છે. તે બે પ્રકારે છે–ઇત્વરકાલિક-થોડા કાળનું અને યાવતુ-જીવપર્યતનું. થોડા કાળનું ચારિત્ર બધાય પ્રથમ અને ચરમ તીર્થકરના તીર્થોને વિષે જે શિષ્યને વ્રતનું આરોષણ નથી કરેલ તેને હોય છે અને માવજીવ પર્યતનું તો મધ્યમ બાવીશ જિનેશ્વર અને મહાવિદેહના તીર્થકરોના તીર્થોને વિષે હોય છે. તેઓને વિષે ઉપસ્થાપનાનો અભાવ હોવાથી સામાયિકરૂપ સંયમ તે સામાયિક સંયમ. આ પ્રમાણે સર્વત્ર વાક્યસમાસ કરવો. અહિં આ સંબંધી ગાથાઓ દર્શાવે છે सव्वमिणं सामाइयं, छेदादिविसेसओ पुण विभिन्नं । अविसेसियमादिमयं, ठियमिह सामन्नसनाए ।।१२४ ।। सावज्जजोगविरइ त्ति, तत्थ सामाइयं दुहा तं च । इत्तरमावकह ति य, पढम पढमंतिमजिणाणं ।।१२५।। तित्थेसु अणारोवियवयस्स सेहस्स थोवकालीयं । सेसाणमावकहियं, तित्थेसु विदेहयाणं च ।।१२६।। [વિરોષાવશ્યક ૨૨૬૨-૬૪ ]િ સર્વ ચારિત્રો સામાયિક છે, માત્ર છેદાદિ વિશેષણોથી ભિન્ન ભિન્ન છે, પહેલું ચારિત્ર વિશેષણ રહિત હોવાથી સામાન્ય સંજ્ઞામાં છે, એટલે સાવદ્ય યોગની વિરતિ તે સામાયિક ચારિત્ર છે. તેના બે ભેદ છે. ૧ ઈત્વરકાલિક અને ૨ યાવસ્કથિક. પહેલાં અને છેલ્લા જિનેશ્વરના તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યને થોડા કાળનું જે ચારિત્ર હોય છે તે પહેલું ઈલ્વર કાલિક સામાયિક અને શેષ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ સાધુઓને યાવત્કથિક સામાયિક હોય છે. (૧૨૪૧૨૫-૧૨૬) પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોને વિષે ઉપસ્થાપન-પુનઃ આરોપણ છે જેને વિષે તે છેદોપસ્થાપન, તે જ છેદોપસ્થાપનિક અથવા છેદ અને ઉપસ્થાપન છે વિદ્યમાન જેમાં તે છેદોપસ્થાપનિક અથવા પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાન કરાય છેઆરોપાય છે જે મહાવૃતલક્ષણ ચારિત્ર તે છેદોપસ્થાપનીય, તે પણ બે પ્રકારે છે-નિરતિચાર અને સાતિચાર. જે નિરતિચાર છે તે ઈત્વરકાલિક સામાયિકવાળા શિષ્યને આરોપાય છે અથવા શ્રી પાર્શ્વનાથ ભગવંતના સાધુને પાંચ મહાવ્રતરૂપ ધર્મના અંગીકારમાં હોય છે અને જે સાધુને મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તેને સાતિચાર હોય છે. આ સંબંધમાં બે ગાથા જણાવે છે परियायस्स उ छेओ, जत्थोवट्ठावणं वएसुं च । छेओवट्ठावणमिह, तमणइयारेतरं दुविहं ॥१२७।। सेहस्स निरइयारं, तित्थंतरसंकमे व तं होज्जा । मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे ।।१२८।। [विशेषावश्यक १२६८-६९ त्ति S8
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy