SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकी प्रतिमा उपघातविशुद्धी ४२२-४२५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સંયુતના અધિકારથી જ અન્ય બે સૂત્ર કહે છે—'પંચમાપ્તિ' ત્યા॰િ સ્પષ્ટ છે. I૪૨૪॥ વિશેષ એ કે-ઉપઘાત તે અશુદ્ધતા, આધાકર્માદિ સોળ પ્રકારના ઉદ્ગમ દોષો વડે ભાત, પાણી, ઉપકરણ ને સ્થાનની અશુદ્ધતા તે ઉદ્ગમોપઘાત, એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે—ઉત્પાવનયા—પોતાથી ઉત્પન્ન થવા વડે ધાત્રી વગેરે સોળ ઉત્પાદના દોષો વડે, પરિકર્મ– વસ્ત્ર, પાત્રાદિના છેદન અને શીવવા વગેરેથી તેનો ઉપઘાત-અકલ્પનીયપણું. તેમાં વસ્ત્રનો પરિકર્મોપઘાત આ પ્રમાણે જાણવો तिण्हपरि फालियाणं, वत्थं जो फालियं तु संसीवे । पंचण्हं एगतं उर्णिकाद्यन्यतरत्], सो पावइ आणमाईणि ।। १०५ || [निशीथ भाष्य ७८७ त्ति ] ઉત્સર્ગમાર્ગે તો અખંડિત વસ્ત્ર વાપરવું, અપવાદ માર્ગમાં જે સાધુ ત્રણથી અધિક થીગડાં આપે અને ઉન વગેરે પાંચ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ પણ એક પ્રકારના વસ્ત્રને શીવે, તે સાધુ આજ્ઞાભંગાદિ દોષને પામે છે. (૧૦૫) પાત્રનો પરિકર્મોપઘાત આ પ્રમાણે જાણવો— अवलक्खणेगबंधे, दुगतिगअइरेगबंधणं वा वि । जो पायं परिय[ परिभुङ्क्ते], परं दिवड्ढाओ मासाओ || १०६ || [નિશીથ માઘ્ય બ્॰ ત્તિ] ઉત્સર્ગથી બંધ વગરનું સમચોરસ પાત્ર વાપરવું, અપવાદથી અપલક્ષણ-કુંડાદિ દોષવાળું એક, બે અને ત્રણ બંધવાળું વાપરવું. આથી અધિક બંધવાળું વાપરવું નહિ અને વાપરવા યોગ્ય કહેલ બંધવાળું પાત્ર પણ દોઢ માસથી ઉપરાંત જે વાપરે તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે. (૧૦૮) હવે વસતિ સંબંધી કહે છે— दुमिय धूमि वासिय, उज्जोइय बलिकडा अवत्ता य। सित्ता संमट्ठा वि य, विसोहिकोडिं गया वसही ॥ १०७ ॥ [निशीथ भाष्य २०४८ बृहत्कल्प भाष्य ५८४ पञ्चव० ७०९ ति] દૂમિતા–સુકુમા૨ દ્રવ્યના લેપ ક૨વા વડે ભીંતને કોમળ કરેલ, ધૂમિત-ખડી, ચૂનો વગેરેથી ભીંતને સફેદ કરેલ, વાસિતઅગર, શિલારસ, ધૂપ વગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલ, રત્ન, દીપ વગેરેથી ઉદ્યોત કરેલ, ચોખા વગેરેથી બલિનો વિધાન કરેલ, અવ્યક્તા–છાણ અને માટીથી જલ વડે ભૂમિતળને લીંપેલ, સિક્તા–ફક્ત જળ વડે સીંચેલ, સંમૃષ્ટા-સાવરણીથી પ્રમાર્જન કરેલ–આવા પ્રકારની વસતિ (જગ્યા) સાધુને નિમિત્તે નહિ કરેલ હોવાથી વિશુદ્ધ કોટિને પ્રાપ્ત થયેલ છે, શુદ્ધ છે. (૧૦૭) પરન્તુ તેમ જો સાધુના નિમિત્તે કરાય તો દોષવાળી થાય છે. પરિહરણા–આસેવા, તેથી ઉપધિ વગેરેની અશુદ્ધતા છે. તેમાં ઉપધિની અશુદ્ધતા આ પ્રમાણે—એકાકી વિચરનાર સાધુ વડે જે સેવાયેલ ઉ૫ક૨ણ તે હણાયેલું થાય છે—અશુદ્ધ થાય છે. આ આચારની વ્યવસ્થા છે. ''નાળ અપ્પત્તિવાળ, નવિ વિરેનં ન સવહંમે’' ઇતિ વચનાત્–ગચ્છથી ભ્રષ્ટ થયેલ સાધુ એકાકીપણે જો જાગૃત રહે છે–દૂધ વગેરેમાં પ્રતિબંધ કરતો નથી તે જો ઘણે કાળે ગચ્છમાં આવે તો પણ તેની ઉપધિ દોષવાળી થતી નથી; નહિતર તો દોષવાળી થાય છે. વસતિમાં પણ શેષ કાળમાં એક માસ અને ચોમાસામાં ચાર માસથી અધિક રહેવાથી કાલાતિક્રાંતતા થાય છે. બે માસ અને ચતુર્માસને વર્જ્ય સિવાય ફરીથી ત્યાં વસતાં થકાં સાધુઓને વસતિના દોષોના નામથી ઉપસ્થાપના દોષ થાય છે. કહ્યું છે કે— उउवासा समतीता, कालातीता उ सा भवे सेज्जा । सा चेव उवट्ठाणा, दुगुणा दुगुणं अवज्जिता ॥ १०८ ॥ [બૃહત્ત્વ ? fi] ૠતુબદ્ધકાલ અને વર્ષાકાલની સ્થિતિ ઉપરાંત રહે તો કાલાતિક્રાંત વસતિ થાય છે. અને તેજ ૠતુબદ્ધ અને વર્ષાકાલના બેગુણા થઈ ગયા પહેલાં તે સ્થાને આવે તો ઉપસ્થાપના દોષવાળી વસતિ થાય છે. (૧૦૮) આહારની પણ પરિજાપનિકાના કરનાર પ્રત્યે અકલ્પ્યતા છે. કહ્યું છે કે— 53
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy