________________
२ स्थानकाध्ययने उद्देशः १ पृथव्यादिनां परिणामेतरौ ७३ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તે આ પ્રમાણે—ગતિસમાપન્નક અને અગતિસમાપક્ષક (૧૭), એવી રીતે અકાયિકથી યાવત્ વનસ્પતિકાયિકના બબ્બે ભેદ જાણવા (૧૮-૨૧), બે પ્રકારે દ્રવ્યો કહ્યા છે, તે આ પ્રમાણે—ગતિસમાપક્ષક (વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા) અને અગતિસમાપન્નક (પોતાના સ્થાનમાં રહેલા) (૨૨), બે પ્રકારે પૃથ્વીકાયિકો કહ્યા છે, તે આ પ્રમાણે—અનંતરાવગાઢ અને ૫રં૫રાવગાઢ (૨૩), એવી રીતે અાયિક, તેજોકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને દ્રવ્યો બબ્બે પ્રકારે જાણવા (૨૪-૨૮). ll૭૩॥
(ટી૦) પૃથ્વી એ જ કાય છે જેઓને તે પૃથિવીયિન. અહિં સમાસાંતવિધિમાં સ્વાર્થિક પ્રત્યય હોવાથી પૃથિવીકાયિક, અથવા પૃથ્વી એ જ શરીર છે જેઓને તે પૃથ્વીકાયિક. (અહિં તદ્વિત ઠક્ પ્રત્યયનો ઇક થયેલ છે). જે સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ જીવો છે તે સર્વલોકમાં વ્યાપક છે અને બાદ૨નામકર્મના ઉદયથી વર્તનાર બાદ૨ જીવો, પૃથ્વી અને પર્વત વગેરેમાં જ છે. પૃથ્વીકાયિકોનું સૂક્ષ્મ અને બાદરપણું આપેક્ષિક' નથી (૧), 'વ'મિતિ॰ એવી રીતે પૃથ્વીકાયિકના સૂત્રની માફક અકાય, તેજસૂકાય, વાયુકાય અને વનસ્પતિકાયાદિના સૂત્રો કહેવા. આ કારણથી કહે છે—'નાવે'ત્યાદ્રિ (૨-૫), 'દુવિદે’ત્યાદ્િ પાંચ સૂત્રો—પર્યાપ્તનામકર્મના ઉદયમાં વર્તનારા જીવો, જે ચા૨ પર્યાપ્તિને પૂર્ણ કરે છે તે પર્યાપ્તા છે અને અપર્યાપ્તનામકર્મના ઉદયથી જે પોતાની (ચાર) પર્યાપ્તિઓને પૂર્ણ ન કરે તે અપર્યાપ્તા2 છે. અહિં પર્યાપ્તિ એટલે શક્તિસામર્થ્યવિશેષ જાણવું. તે શક્તિ, પુદ્ગલદ્રવ્યના ઉપચયથી ઉત્પન્ન થાય છે. પર્યાપ્તિ છ પ્રકા૨ે છે, તે આ પ્રમાણે—
आहारसरि दियपज्जत्ती - आणुपाणुभासणे । चत्तारि पंच छप्पिय, एगिंयिविगलसन्नीणं ॥ २७॥
[નીવસમાસ ૨૫ ત્તિ] ૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા અને ૬ મન—એ છ પર્યામિ છે. તેમાં એકેંદ્રિયને ચાર, વિકલેંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેંદ્રિયને છ પર્યાપ્તિ હોય છે. (૨૭)
૧ આહા૨૫ર્યાપ્તિ નામ-ખલ (નકામો ભાગ) અને રસની પરિણમનશક્તિરૂપ છે, ૨ શ૨ી૨૫ર્યાપ્તિ—સાત ધાતુપણે રસની પરિણમનશક્તિરૂપ છે, ૩ પાંચ ઇંદ્રિયોને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને અનાભોગ (ઈચ્છા રહિત)થી થયેલ વીર્ય વડે ઇંદ્રિયને તૈયા૨ ક૨વાની શક્તિરૂપ ઇંદ્રિયપર્યાપ્તિ, ૪ ઉચ્છવાસ અને નિઃશ્વાસને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છ્વાસનિઃશ્વાસરૂપે પરિણમાવીને આન-પ્રાણપણે નીકળવા (મૂકવા)ની શક્તિરૂપ આનપ્રાણપર્યાપ્તિ, પ વચનને યોગ્ય ભાષાવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરીને, ભાષાપણે પરિણમાવીને વચનયોગપણે મૂકવાની શક્તિરૂપ ભાષાપર્યાપ્તિ, ૬ મનને યોગ્ય મનોવર્ગણાના પુદ્ગલોને લઈને, મનપણે પરિણમાવીને મનયોગપણે મૂકવાની શક્તિરૂપ મનપર્યાપ્તિ. આ છ પર્યાપ્તિઓ, પર્યાપ્તનામકર્મના ઉદય વડે પૂર્ણ કરાય છે. જે જીવો તે પૂર્ણ કરે છે તે જીવો પર્યાપ્તક અને અપર્યાપ્તનામકર્મના ઉદય વડે જે જીવો તે પૂરી કરતા નથી તે અપર્યાપ્તક કહેવાય છે. આ છ પર્યાપ્તિઓનો એકી સાથે આરંભ કરાય છે અને અંતર્મુહૂર્ત વડે પૂર્ણ થાય છે. તેમાં આહા૨પર્યાપ્તિને પૂર્ણ કરવાનો કાળ એક સમય જ છે. તે કેવી રીતે થાય? તે સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રમાં નીચેનો પાઠ જણાવે छे- ' आहारपज्जत्तीए अपज्जत्तए णं भंते! जीवे किं आहारए अणाहारए ?, गोयमा ! नो आहारए अणाहारए 'त्ति [પ્રજ્ઞાપના] ‘હે ભગવન્! આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્ત જીવ, શું આહારક છે કે અનાહારક છે? ઉત્તર—હે ગૌતમ! આહા૨ક નથી, અનાહા૨ક છે.’ તે આહા૨૫ર્યાપ્તિ વડે અપર્યાપ્ત વિગ્રહગતિમાં મળે છે-હોય છે. જો વળી ઉત્પત્તિના ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલ પણ આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્તક થાય તો આ પ્રમાણે ઉત્તર હોવો જોઈએ—'ગોયમા! સિય આહાર સિય ઞળાહાર'ત્તિ–ક્યારેક આહાર હોય અને ક્યારેક અનાહારક હોય. જેમ શરીર વગેરે પર્યાપ્તિઓના વિષયમાં કહેલું છે કે—'સિય આહારદ્ સિય અળાહાર 'ત્તિા[પ્રજ્ઞાવના ૧૦ગ્ધ ત્તિ] (અર્થાત્ આહા૨૫ર્યાપ્તિના વિષયમાં 'સિય' શબ્દ ન હોવાથી આહા૨૫ર્યાપ્તિને 1. જેમ નાળીયેરની અપેક્ષાએ નારંગી નાની છે, અને નારંગીની અપેક્ષાએ ચીકુ નાના છે, તેમ પૃથ્વીકાયિક જીવોમાં નથી પરંતુ સૂક્ષ્મબાદરપણું વાસ્તવિક છે. 2. અહિં લબ્ધિઅપર્યાપ્તની અપેક્ષાએ આ હકીકત જણાવેલ છે.
81