________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः १ प्रत्यक्ष-परोक्षज्ञानम् ७१ सूत्रम् બહેરા-મુંગાની જેમ તત્કાળ પ્રાપ્ત નહિં થતું હોવાથી તે અજ્ઞાન છે એમ નહિં, પરંતુ તેના પછી, તે વડે નિશ્ચય ઉપલંભ થાય છે તેથી તે જ્ઞાન છે. (૨૧)
વળી વ્યંજનાવગ્રહ કાલમાં પણ જ્ઞાન છે જ, પરંતુ સૂક્ષ્મ હોઇને અવ્યક્ત હોવાથી સૂતેલા માણસના અસ્પષ્ટ જ્ઞાનની માફક સાક્ષાત્ જણાતું નથી. ઈહા વગેરે પણ શ્રુતનિશ્ચિત જ છે છતાં તે કહેલ નથી, કારણ કે દ્રિસ્થાનક-બે સ્થાનકનો અનુરોધ છે (૧૯), 'અસુનિ#િSવિ મેવ'ત્તિ અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહના ભેદ વડે અમૃતનિશ્રિત પણ બે પ્રકારે છે. આ શ્રોત્રંદ્રિય વગેરેથી થયેલું જાણવું. જે ઔત્પત્તિકી આદિ બુદ્ધિ અશ્રુતનિશ્રિત છે તેમાં અર્થાવગ્રહ સંભવે છે. ભાષ્યકાર કહે છેकिह' पडिकुक्कुडहीणो, जुझे बिंबेण उग्गहो [अवग्गहे] ईहा । किं सुसिलिट्ठमवाओ, दप्पणसंकंतबिंब ति ।।२२।।
[વિષાવથ૦ ૦૪] કોઈ રાજાએ નટપુત્ર ભરતની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કહ્યું કે આ મારા કુકડાને બીજા કુકડા સિવાય તું યુદ્ધ કરાવ. આ ઉપરથી નટપુત્રે મનમાં વિચાર્યું કે બીજા કુકડા સિવાય એકલો કુકડો કેવી રીતે યુદ્ધ કરશે? એમ વિચાર કરતાં મનમાં એકદમ ફુરી આવ્યું કે–પોતાનું પ્રતિબિંબ આગળ જોવાથી અભિમાન વડે આ કુકડો યુદ્ધ કરશે. આ પ્રમાણે સામાન્યથી જાણ્યું તે અથવગ્રહ નામનો મતિનો પહેલો ભેદ થયો. તે પછી એવો વિચાર કરે છે કે તલાવના પાણીમાં પડેલું પ્રતિબિંબ યુદ્ધ કરાવવા માટે ઠીક પડશે કે દર્પણમાં પડેલું પ્રતિબિંબ ઠીક પડશે? ઇત્યાદિ પ્રતિબિંબ સંબંધી વિચારણા તે ઈહા. એવી ઇહા થયા બાદ એવો નિશ્ચય કરે છે કે પાણી વગેરેમાં પડેલું પ્રતિબિંબ તો ક્ષણે ક્ષણે દૂર થાય અને અસ્પષ્ટ હોય તેથી યુદ્ધ કરાવવામાં તેવું પ્રતિબિંબ ઠીક નહિં પડે, પણ આરીસામાં પડેલું પ્રતિબિંબ સ્થિર અને સ્પષ્ટ હોવાથી ચરણાઘાત કરવામાં ઠીક પડશે માટે તે જ (દર્પણ જો યોગ્ય થશે. એ પ્રમાણે બિંબવિશેષનો જે નિશ્ચય તે અપાય. (૨૨)
આ રીતે બુદ્ધિના બીજા ઉપાયોમાં પણ અર્થાવગ્રહાદિ વિચારી લેવા. પરંતુ વ્યંજનાગ્રહ થતો નથી, કારણ કે વ્યંજનાવગ્રહને ઇન્દ્રિયાશ્રિતપણું છે. બુદ્ધિઓ (ૌત્પત્તિકી વગેરે)ને તો મનનો સંબંધ હોવાથી બુદ્ધિઓથી ભિન્નમાં–શ્રોત્રાદિથી થયેલમાં વ્યંજનાવગ્રહ માનવા યોગ્ય છે (૨૦), 'સુચનાને'રૂત્યા૦િ પ્રવચનરૂપ પુરુષના અંગોની જેમ અંગો, તેઓમાં પ્રવિખું–તેના મધ્યમાં રહેલું તે અંગપ્રવિષ્ટ, અને તે ગણધરમહારાજા વડે કરાયેલું '૩ખન્નેદ્ વે'ત્યારે ત્રણ માતૃકાપદથી થયેલું, અથવા આચારાદિ ધૃવશ્રુત જાણવું. વળી જે સ્થવિરકૃત અથવા માતૃકાપદ ત્રણથી ભિન્ન વ્યાકરણ(પ્રશ્ન)થી રચેલ તે અધુવકૃત, ઉત્તરાધ્યયન વગેરે અંગબાહ્ય જાણવું. ભાષ્યકાર કહે છે– गणहर १ थेराइकयं(थेरकयं) २, आएसा १ मुक्कवागरणओ वा २। धुव १ चलविसेसणाओ २, अंगाणंगेसु नाणत्तं।।२३।।
[विशेषावश्यक० ५५० त्ति] શ્રી ગૌતમાદિ ગણધરકૃત દ્વાદશાંગીરૂપ શ્રુત તે અંગપ્રવિષ્ટ કહેવાય છે અને સ્થવિરો વગેરેથી રચાયેલું (ભદ્રબાહુસ્વામી વગેરેથી કરાયેલ આવશ્યકનિયંત્યાદિ) તે અંગબાહ્ય કહેવાય છે. વળી ગણધરને તીર્થકર સંબંધી જે આદેશ–ઉત્તર, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક પદ ત્રણથી ઉત્પન્ન થયેલું તે અંગપ્રવિષ્ટ અને પ્રશ્નપૂર્વક-વ્યાકરણ-ઉત્તર તે મુક્ત વ્યાકરણ, તેથી ઉત્પન્ન થયેલું આવશ્યકાદિ શ્રત અંગબાહ્ય કહેવાય છે. વળી સર્વ તીર્થકરોના તીર્થમાં નિયત-નિશ્ચયભાવિ જે શ્રત તે અંગપ્રવિષ્ટ કહેવાય છે અને અનિયત-અનિશ્ચયભાવિ તંદુલવૈયાલિક પ્રકીર્ણકાદિ જે શ્રત તે અંગબાહ્ય કહેવાય છે (૨૧), 'સંવાદ'ત્યાતિ, અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક, તે આવશ્યક સામાયિકાદિ છ પ્રકારે કહ્યું છે– समणेण सावरण य, अवस्स कायव्वयं हवइ जम्हा । अंतो अहो-णिसिस्स य, तम्हा आवस्सयं नामं ।।२४।।
[વિરોલાવવા ૮૭૩] 1. આ હકીકત ભાષ્યની ગાથા ૩૦૦માં કહેલી છે. શિષ્ય શંકા કરેલ છે કે–ત્પત્તિકી વગેરે બદ્ધિતષ્કમાં અવગ્રહાદિ કેવી રીતે સંભવે?
એ સંબંધમાં નટપુત્ર ભરતનું દૃષ્ટાંત આપવામાં આવેલું છે.
76.