SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने आरंभपरिग्रहात्यागेन धर्मश्रवणादिज्ञानान्तं ६४ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ સભ્યશ્ચારિત્ર એ રત્નત્રય મોક્ષનો માર્ગ છે, એમ (શાસ્ત્રમાં) સંભળાય છે. અહિં તો જ્ઞાન ને ક્રિયા વડે મોક્ષમાર્ગ કહ્યો છે તો વિરોધ કેમ ન થાય? બે સ્થાનકના અનુરોધથી આવી રીતે કથન કર્યો છતે પણ વિરોધ નથી એમ કહેવું પણ યોગ્ય નથી; કારણ કે 'વિન્નાર્ વેવ વરોળ રેવ' આ નિર્દેશ (કથન) નિશ્ચયગર્ભિત છે. સમાધાન—વિદ્યા-જ્ઞાનના ગ્રહણ વડે દર્શનસમ્યક્ત્વ પણ અવિરુદ્ધ જાણવું, કારણ કે જ્ઞાનનો ભેદ હોવાથી સમ્યગ્દર્શનનું પણ ગ્રહણ સમજવું. જેવી રીતે અવબોધાત્મક જ્ઞાન છતે મતિને આકારરહિતપણું હોવાથી અવગ્રહ અને ઇહા એ બન્ને દર્શન છે, તથા મતિને સાકારપણું હોવાથી અપાય અને ધારણા એ બન્નેને જ્ઞાન કહેલ છે. એવી રીતે વ્યાપારવાળું જ્ઞાન છતે જે અપાયનો રુચિરૂપ અંશ સમ્યગ્દર્શન છે તે અવગમજ્ઞાનનો બોધરૂપ અંશ તે અવાય જ છે માટે વિરોધ નથી. સૂત્રમાં અવધારણાત્મક (એવ શબ્દ) તો જ્ઞાનદર્શનચારિત્ર સિવાય ભવના વ્યવચ્છેદ (નાશ)નો અન્ય કોઈ ઉપાય નથી એમ બતાવવા માટે છે. II૬૩॥ જ્ઞાન અને ચારિત્રને આત્મા કેમ પ્રાપ્ત નથી કરતો, આ હેતુથી 'તો દારૂ'નિત્યા‹િ અગિયાર સૂત્રો કહે છે— दो ठाणाई अपरियाणित्ता आया णो केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणयाए, तंजहा- आरंभे चेव परिग्गहे चेव १ । दो ठाणाई अपरियादित्ता आया णो केवलं बोधिं बुज्झेज्जा तंजहा- आरंभे चेव परिग्गहे चेव २ । दो ठाणाई . अपरियाइत्ता आया नो केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, तंजहा- आरंभे चेव परिग्गहे चेव ३। एवं णो केवलं बंभचेरवासमावसेज्जा ४, णो केवलेणं संजमेणं संजमेज्जा ५, नो केवलेणं संवरेणं संवरेज्जा ६, नो केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा ७, एवं सुयनाणं ८, ओहिनाणं ९, मणपज्जवनाणं १०, केवलनाणं †† || R॰ ૬૪॥ (મૂ0) બે સ્થાનને જ્ઞપરિજ્ઞાએ જાણ્યા સિવાય અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ છોડ્યા સિવાય આત્મા, કેવલીએ પ્રરૂપેલ ધર્મને શ્રવણપણાએ (સાંભળવા વડે) પામે નહિં તે આ પ્રમાણે—આરંભ અને પરિગ્રહ છોડ્યા સિવાય ૧, બે સ્થાનને જાણ્યા સિવાય અને છોડ્યા સિવાય આત્મા, શુદ્ધ બોધિ (સમ્યક્ત્વ) ને અનુભવે નહિં (પામે નહિ), તે આ પ્રમાણે– –આરંભને અને પરિગ્રહને છોડ્યા સિવાય ૨, બે સ્થાનને જાણ્યા સિવાય અને છોડ્યા સિવાય આત્મા, દ્રવ્યભાવથી મુંડ થઈને ગૃહથી નીકળીને વિશુદ્ધ પ્રવ્રજ્યા [દીક્ષા]ને પામે નહિં તે આ પ્રમાણે—આરંભને અને પરિગ્રહને ૩, એવી રીતે આરંભ અને પરિગ્રહને જાણ્યા સિવાય અને છોડ્યા સિવાય શુદ્ધ બ્રહ્મચર્યવાસમાં વસે નહિં ૪, તે શુદ્ધ સંયમ વડે આત્માનો સંયમ કરે નહિં (આત્માને કાબૂમાં રાખે નહિં) ૫, શુદ્ધ સંવર વડે આશ્રવ દ્વારોને સંવરે નહિ ૬, પરિપૂર્ણ આભિનિબોધિક (મતિ) જ્ઞાનને ઉત્પન્ન કરે નહિં ૭, એમ શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરે નહિં ૮, એમ અવિધિજ્ઞાનને ૯, એમ મન:પર્યવજ્ઞાનને ૧૦ અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે નહિં ૧૧. ll૬૪॥ (ટી૦) વો સારૂં ઇત્યાદિ અગ્યાર સૂત્રો સુગમ છે. II૬૪ બે સ્થાન–બે વસ્તુને જ્ઞપરિક્ષા વડે જાણ્યા સિવાય—જો આ બે આરંભ અને પરિગ્રહ અનર્થને માટે છે તો મને આ આરંભ અને પરિગ્રહ વડે સર્યું, એવી રીતે ત્યાગવાના સન્મુખ દ્વારે કરી પ્રત્યાખ્યાન પરિક્ષા વડે પચ્ચક્ખાણ ન કરીને બ્રહ્મદત્ત ચક્રીની જેમ, આરંભ અને પરિગ્રહથી વિરક્ત ન થયો. 'અપરિયાજ્ઞત્તિ' એવો પાઠ ક્યાંક છે ત્યાં સ્વરૂપથી તે બેને ગ્રહણ ન કરીને [અર્થાત્ તેનું સ્વરૂપ ન સમજીને] આત્મા, જિનેશ્વરકથિત ધર્મને સાંભળવાની ઇચ્છા વડે સાંભળવાનો લાભ પ્રાપ્ત કરે નહિં. તે આ પ્રમાણે—ગારમાઃ—ખેતી વગેરે દ્વારા પૃથ્વી વગેરેના જીવોના ઉપમર્દનરૂપ આરંભોને અને 'પરિગ્રહાઃ '—ધર્મના સાધન સિવાય ધન, ધાન્ય વગેરે પરિગ્રહોને, અહિં એકવચન પ્રકમ (નિયમ) છતે પણ વ્યક્તિની અપેક્ષાએ બહુવચન કરેલ છે. સૂત્રમાં 'વેવ' શબ્દ નિશ્ચયાત્મક અને સમુચ્ચયાર્થમાં પોતાની બુદ્ધિ વડે જાણવા (૧), કેવલાં–શુદ્ધ સમ્યક્ત્વને અનુભવે, અથવા વિભક્તિના પરિણામથી શુદ્ધ બોધિ વડે બોધ્ય–જાણવા યોગ્ય જીવાદિ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા કરે (૨), દ્રવ્યથી મસ્તકના લોચ 67
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy