SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देश १ प्रत्याख्यानमेवं ज्ञानक्रियासाध्यो मोक्षः ६२-६३ सूत्र જ્ઞાન જ પ્રધાન છે. પણ ચારિત્ર પ્રધાન નથી. અથવા અહિં જ્ઞાન જ મોક્ષનું કારણ છે. પરંતુ ક્રિયા નથી. કેમકે ક્રિયા તો જ્ઞાનનું ફળ છે. જેમ તે ક્રિયા જ્ઞાનનું ફળ છે તેમ બીજું મોક્ષાદિ પણ જ્ઞાનનું ફળ છે. તથા સમ્યક્ત્વ પ્રાપ્તિકાળે તત્ત્વપરિજ્ઞાન અને રાગાદિનો નિગ્રહ જ થાય છે. તે સર્વ જ્ઞાનનું ફળ છે. અને મનોચિન્તિત મંત્રથી પવિત્ર વિષભક્ષણાદિ બહુ પ્રકારનું જે ફળ અહીં પ્રત્યક્ષ જણય છે તે ક્રિયારહિત કેવળજ્ઞાનનું જ ફળ છે. (૨–૩–૪) સમાધાન—જે પહેલાં તમે કહ્યું કે ‘“જ્ઞાન જ પ્રધાન કારણ છે, અથવા જ્ઞાન જ એક કારણ છે; ક્રિયા કારણ નથી, જેથી જ્ઞાનનું ફળ જ ક્રિયા છે’’ તેમ કહેવું અયુક્ત છે; કારણ કે જે જ્ઞાનથી જ ક્રિયા થાય છે તે ક્રિયાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, આ કારણથી જ બન્ને (જ્ઞાન-ક્રિયા) પણ અમે ઈચ્છીએ છીએ. જો એમ નહિ માનો તો જ્ઞાનનું ફળ ક્રિયા (જે તમે કહેલ) છે તે ક્રિયાની કલ્પના નિષ્ફળ થશે. અને ક્રિયા રહિત જ્ઞાન જ કાર્યને સિદ્ધ કરે, પરંતુ ફક્ત જ્ઞાન કાર્યનું સાધક થતું નથી, કારણ કે તમોએ ક્રિયાનો સ્વીકાર કરેલ છે. જ્ઞાન અને ક્રિયાના સ્વીકારમાં જ્ઞાન પરંપરાએ ઉપકાર કરે છે અને ક્રિયા અનંતર ઉપકાર કરે છે. ક્રિયા અનંતર ઉપકાર કરે છે તેથી ક્રિયા પ્રધાનતર કારણ યોગ્ય છે, પણ અપ્રધાન અને અકારણ નથી, અને બન્ને એકી સાથે ઉપકાર કરે છે તેથી બન્ને પ્રધાન કારણ કહેવા યોગ્ય છે. તથા ક્રિયાનું અપ્રધાનપણું અને અકારણપણું કહેવું યોગ્ય નથી. વળી જે વાદી ક્રિયાનું અકારણપણું સ્વીકારે છે તે વાદી પ્રત્યે આ વિશેષપણે કહેવાય છે—ક્રિયા જ સાક્ષાત્ કાર્યની કરનારી હોવાથી અંત્ય કારણ છે, જ્ઞાન તો પરંપરાએ ઉપકારી હોવાથી અનંત્ય કારણ છે. આથી અહિં ક્યો હેતુ છે જે અંત્ય કારણ છોડીને તમે અનંત્ય કારણને ઇચ્છો છો? વળી જો જ્ઞાન-ક્રિયાનું સહચારીપણું અંગીકાર કરો છો તો આ કારણથી પણ જ્ઞાન જ કારણ છે, ક્રિયા નથી આ (કથન)માં હેતુ નથી. વળી જે તમે કહ્યું કે—વોધાતેઽપીત્યાર્િ—તેમાં શેયનું જાણવું તે જ્ઞાન જ, અને જે રાગાદિનો ઉપશમ તે સંયમ ક્રિયા જ છે, અને તે જ્ઞાનરૂપ કારણથી થાય એમ અમો પણ સ્વીકારીએ છીએ, પરંતુ ભવના વિયોગના કથનરૂપ જ્ઞાન–ક્રિયાના ફળમાં આ નીચેનો વિચાર (વિવાદ) પ્રાપ્ત થાય છે કે ભવવિયોગરૂપ ફ્લ તે શું જ્ઞાનનું? ક્રિયાનું? અથવા બન્નેનું છે? તેમાં જ્ઞાનનું જ ફલ નથી, કારણ કે જ્ઞાનનું ફલ ક્રિયા છે. વળી કેવલ ક્રિયાનું પણ ફળ નથી; કારણ કે ગાંડાની ક્રિયા માફક તે ક્રિયા માત્ર છે. આ કારણથી છેવટના પરિણામથી (ત્રીજા પક્ષથી) જ્ઞાન સહિત ક્રિયાનું જ મોક્ષફળ છે એમ કહેવું યોગ્ય છે. જે તમોએ કહેલું કે—મંત્રાદિના સ્મરણાત્મક જ્ઞાનમાત્રથી સાક્ષાત્ ફળ મળે છે તે વિષયમાં અમે કહીએ છીએ—મંત્રોને વિષે પણ વિશેષ જાપ વગેરે ક્રિયાનો સાધનભાવ છે અર્થાત્ મંત્રની સાધના કરવી તે ક્રિયા જ છે, પણ મંત્રના જ્ઞાનનો સાધનભાવ નથી. અહિં કોઈ એમ કહે કે–આ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ છે કારણ કે કોઈક સ્થળે મંત્રના ચિંતનમાત્રના જ્ઞાનથી ઇષ્ટ ફળ જોવાય છે એમ જો તમે કહો, તો અહિં અમે કહીએ છીએ તે ઇષ્ટ,ફળ મંત્રના જ્ઞાનમાત્રથી થયેલું નથી, કારણ કે તે ચિંતનમાત્ર જ્ઞાનને ક્રિયા રહિતપણું છે. અહિં જે (વસ્તુ) ક્રિયારહિત હોય તે આકાશપુષ્પની જેમ કાર્યને ઉત્પન્ન કરનાર જોવાતી નથી. જે કાર્યને ઉત્પન્ન કરનાર છે તે કુંભારની જેમ અક્રિય હોય નહિ (ક્રિયાસહિત જ હોય છે), આ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ નથી, કેમકે જ્ઞાન સાક્ષાત્કલને નજીક લાવનારું દેખાતું નથી. ફરી વાદી શંકા કરે છે કે—જો મંત્રના જ્ઞાન વડે થયેલ ઇષ્ટ ફળ નથી તો કોનાથી મંત્રનું ફળ થાય છે? આ સંબંધમાં અમે કહીએ છીએ—મંત્રજાપના સમયમાં મંત્રના સંકેત પ્રમાણે મંત્રાધીન દેવોથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. દેવોમાં સક્રિયપણું હોવાથી ક્રિયા વડે થયેલું ઇષ્ટફળ છે, પરંતુ કેવલ મંત્રના જ્ઞાન વડે તે સાધ્ય નથી. (ભાષ્યકા૨) કહે છે કે तो तं कत्तो? [आचार्यः] भण्णति, तं समयनिबद्धदेव ओवहियं । किरियाफलं चिय जओ, न मंतणाणोवओगस्स ||५|| [विशेषावश्यक० ११४१ ] તો તે કાર્ય કોનાથી થાય છે? કહીએ છીએ કે તે કાર્ય સંકેત નિબદ્ધ દેવતાઓ કરે છે. તેથી તે ક્રિયાનું જ ફળ છે. મંત્રના જ્ઞાનોપયોગનું નથી.(૫) શંકા—સમ્યવ્ર્શન-જ્ઞાન-ચારિત્રાધિ મોક્ષમાŕઃ [તત્ત્વાર્થં /] કૃતિ બ્રૂયતે-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને 66
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy