SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देश १ प्रत्याख्यानमेवं ज्ञानक्रियासाध्यो मोक्षः ६२-६३ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ दोहिं ठाणेहिं अणगारे संपन्ने अणादीयं अणवयग्गंदीहमद्धं चाउरंतसंसारकतारं वीतिवतेज्जा, तंजहा–विज्जाए चेव चरणेण चेव ।। सू०६३।। (મૂળ) બે પ્રકારે પચ્ચખાણ કહેલ છે, તે આ પ્રમાણે–એક મન વડે પણ પચ્ચખાણ કરે છે, એક વચન વડે પણ પચ્ચખાણ કરે છે. અથવા પચ્ચકખાણ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—એક દીર્ઘ (લાંબા) કાલ પર્યત પણ પચ્ચક્કાણ કરે છે, એક અલ્પ કાલ પર્યત પણ પચ્ચકખાણ કરે છે. //૬૨// બે સ્થાનક (ગુણ) વડે યુક્ત અનગાર અનાદિકાલવિશિષ્ટ, અંત રહિત દીર્ઘકાલ નરકાદિ ચાર ગતિરૂપ સંસાર અરણ્ય (જંગલ)નું ઉલ્લંઘન કરે તે આ પ્રમાણે—વિદ્યા (જ્ઞાન) વડે અને ચારિત્ર વડે જ. //૬all (ટી૦) વિહે પવૂવાને'ત્યારિપ્રમાદના પ્રતિકૂલપણાએ (પ્રમાદ છોડીને) મર્યાદા વડે ખ્યાન-કથન કરવું તે પ્રત્યાખ્યાન, વિધિ અને નિષેધસ્વરૂપ પ્રતિજ્ઞા ઇત્યર્થ. દ્રવ્યથી પ્રત્યાખ્યાન મિથ્યાદૃષ્ટિને અને કરેલ છે ચાતુર્માસમાં માંસનું પચ્ચક્ખાણ જેણીએ તેવી અને પારણાને દિવસે માંસના દાનમાં પ્રવર્તેલી રાજપુત્રીની જેમ અને ઉપયોગ રહિત સમ્યગુદુષ્ટિ જીવને દ્રવ્ય પ્રત્યાખ્યાન હોય છે, ભાવપ્રત્યાખ્યાન ઉપયોગ સહિત સમ્યગદૃષ્ટિ જીવને હોય છે. તે પ્રત્યાખ્યાન દેશથી અને સર્વથી તથા મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી અનેક પ્રકારે છે, તો પણ કરણ ભેદથી બે પ્રકારે કહે છે—મન વડે પણ એક વ્યક્તિ) પ્રત્યાખ્યાન કરે છે અર્થાત્ વધ વગેરેનો નિવૃત્તિવિષય (ત્યાગ) કરે છે. શેષ–બાકી પૂર્વની જેમ જાણવું. પ્રકારમંતર વડે પણ પ્રત્યાખ્યાન કહે છે–'હવે'ત્યાદિ સુગમ છે'. N૬૨ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન વગેરે મોક્ષનું લ (આપનાર) છે આ કારણથી કહે છે—'રોહિં હાર્દિ' ત્યારિ—બે સ્થાન (ગુણ) યુક્ત અનગાર-(જેને ઘર નથી તે) સાધુ, જેની આદિ નથી તે અનાદિ, અનવદગ્ર–સામાન્ય જીવની અપેક્ષાએ જેનો અંત નથી તે, લાંબો છે કાલ જેનો તે દીર્વાદ્ધ, દીર્ધ શબ્દમાં મકાર આગમિક છે, અથવા દીર્ઘ છે માર્ગ જેને વિષે તે દીર્વાધ્વ, ચતુરંત-નરકાદિ ગતિના વિભાગ વડે ચાર ભાગ રૂપે (અહિં ચારિત શબ્દમાં દીર્ઘપણું પ્રકટાદિગણના નિયમથી છે) એવા ભયારણ્યને ઉલ્લંઘે. તે આ પ્રમાણે છે–વિદ્યા (જ્ઞાન) વડે જ અને ચારિત્ર વડે જ અહિં સંસારરૂપ કાંતારનો પાર પામવામાં જ્ઞાન અને ચારિત્રનું એકી સાથે જ–યુગપ વડે. કારણપણે જાણવું; કારણ કે જ્ઞાન અને ચારિત્રમાં એકૈકથી (માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી) આ લોક સંબંધી કાર્યોમાં પણ અકારણપણું છે. શંકા–જ્ઞાન અને ચરણમાં કારણપણાએ સામાન્ય કથન કીધે છતે પણ જ્ઞાન જ પ્રધાન છે, ક્રિયા નહિં; અથવા જ્ઞાન જ એક કારણ છે, ક્રિયા કારણ નથી. જે કારણથી જ્ઞાનનું ફળ જ ક્રિયા છે, વળી વાદી ફરી કહે છે–જેમ જ્ઞાનનું ફળ ક્રિયા તેમ બીજું પણ ક્રિયા પછી પ્રાપ્ત થાય છે. બોધ કાલમાં પણ જે શેયનું નિર્ણયાત્મક અને રાગાદિનાં વિજયરૂપ આ સર્વનું સામાન્યપણે જ્ઞાન કારણ છે. જેમ માટી ઘડાનું કારણ થતી છતી ઘટ કાર્યના વચ્ચમાં થનારા પિંડશિવક-સ્થાસ-કોશ અને કુશૂલ વગેરે પર્યાયોના પણ કારણપણાને પામે છે, તેમ અહિં જ્ઞાન, સંસારના અભાવ (મોક્ષ)નું અને મોક્ષ થવા પહેલાં તત્ત્વનું જ્ઞાન અને યોગ, સમાધિ વગેરેનું પણ કારણ થાય છે. વળી સ્મરણ માત્રથી પવિત્ર થયેલ વિષનું ભક્ષણ, આકાશગમન વગેરે જે અનેકવિધ ફલ સાક્ષાત્ પ્રાપ્ત થાય છે તે પણ ક્રિયાશૂન્ય (રહિત) જ્ઞાનનું ફળ છે. જેમ આ પ્રત્યક્ષ ફળ દેખાય છે તેમ અદૃષ્ટ-પરોક્ષ ફળ પણ અનુમાન કરાય છે. ભાષ્યકારે કહ્યું છે– आह पहाणं नाणं, न चरित्तं नाणमेव वा सुद्धं । कारणमिह न उ किरिया, साऽवि हु नाणप्फलं जम्हा ।।२।। जह सा नाणस्स फलं, तह सेसं पि तह बोहकाले वि । नेयपरिच्छेयमयं, रागादिविणिग्गहो जो य ॥३॥ जंच मणोचिंतियमंतपूयविसभक्खणादि बहुभेयं । फलमिह तं पच्चक्खं, किरियारहियस्स नाणस्स ॥४॥ [વિશેષાવથ૦ ૨૨૨૩-૨૪૩૧] , 1, દીર્ધકાલ અને અલ્પકાલના પચ્ચખાણનું સ્વરૂપ ગર્તાની જેમ જાણવું. 2. પ્રવિણ તીર્ધત્વતિ પતિઃ | 65
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy