________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देश १ प्रत्याख्यानमेवं ज्ञानक्रियासाध्यो मोक्षः ६२-६३ सूत्रे
(મૂળ) બે પ્રકારે ગર્હા કહેલી છે, તે આ પ્રમાણે—કેટલાએક મન વડે જ ગહ કરે છે અને કેટલાએક વચન વડે ગર્હા કરે છે. અથવા ગર્હા બે પ્રકારે કહેલી છે—કેટલાએક લાંબા કાળ સુધી ગર્હા કરે છે અને કેટલાએક અલ્પ કાલ પર્યંત ગતિ કરે છે. II૬૧
(ટી0) 'યુવિા રહે'ત્યાદ્રિ, વિધાન કરવું તે વિધા—બે પ્રકાર છે જેણીના તે દ્વિવિધા. ગર્હવું તે ગહં-ખરાબ આચરણની નિંદા, તે સ્વ–પરના વિષય વડે બે પ્રકા૨ે છે, તે પણ મિથ્યાદૃષ્ટિ જીવને અને ઉપયોગ રહિત સમ્યગ્દૃષ્ટિ જીવને દ્રવ્ય ગર્હા હોય છે. અર્થાત્ તે અપ્રધાનગર્હ છે કારણ કે દ્રવ્ય શબ્દનો અર્થ અપ્રધાન છે. કહ્યું છે—
अप्पाहन्नेऽवि इहं, कत्थइ दिट्ठो हु दव्वसद्दो त्ति । अंगारमद्दओ जह, दव्वायरिओ सयाऽभव्वो ||१|| [ पञ्चा० ६।१३]
અપ્રધાનપણાના અર્થમાં પણ દ્રવ્યશબ્દ કોઈક સ્થળે દેખાય છે, કારણ કે દ્રવ્ય શબ્દ અનેક અર્થવાળો છે. જેમ અંગારમર્દક નામના આચાર્ય સદા અભવ્ય છે તો પણ અપ્રધાનપણાથી દ્રવ્યાચાર્ય કહેવાય છે. (૧)
ઉપયોગયુક્ત સભ્યદૃષ્ટિ જીવને ભાવગર્હ છે. ચાર પ્રકારની ગર્હ છે, અથવા ગર્હણીય ભેદથી અનેક પ્રકારે છે. તે ગર્હા અહિં કરણની અપેક્ષાએ બે પ્રકારે કહેલી છે, તે કહે છે—'મસા વેશે 'ન્નિ—ચિત્ત વડે, અહિં 'વા' શબ્દ વિકલ્પાર્થ અથવા અવધારણાર્થ (નિશ્ચયાર્થ)માં છે તેથી મન વડે જ ગાઁ કરે છે પણ વાણી વડે નહિં. કાયોત્સર્ગમાં રહેલ, દુર્મુખ અને સુમુખ નામવાળા બે બે માણસ વડે નિંદાયેલ અને સ્તુતિ કરાયેલ, તેઓના વચનોથી જણાયેલ છે.સામંતો વડે પરાભવ પામેલ પોતાના પુત્ર અને રાજ્યની હકીકત જેણે તે, મન વડે આરંભેલ છે પુત્રના પરાભવને ક૨ના૨ા સામંતો સાથે સંગ્રામ જેણે તે, મનથી કલ્પેલ શસ્ત્રોનો ક્ષય થયે છતે પોતાના માથાનો ટોપ લેવા માટે ઊંચે કરાયેલ હાથથી સ્પર્શેલ છે લોચ કરાયેલ મસ્તક જેણે તે, મસ્તકનો સ્પર્શ કરવાથી ઉત્પન્ન થયેલ પશ્ચાત્તાપરૂપી અગ્નિની જ્વાળાના સમૂહ વડે અત્યંત બળેલ છે સર્વ કર્મરૂપી ઇંધન જેણે એવા રાજર્ષિ પ્રસન્નચંદ્રની જેમ કોઈ પણ એક સાધુ નિંદિત કાર્યની નિંદા કરે છે તેમ વચનથી પણ અથવા વાણી વડે જ, પરંતુ મનથી નહિ. મનુષ્યોનું મનરંજન ક૨વા માટે દુષ્ટ આચરણ વગેરેના કહેવાથી ગર્તામાં પ્રવર્તેલ અંગારમર્દક વગેરે સાધુની જેમ પ્રાયઃ કોઈ અન્ય ગર્હા કરે છે, પણ ભાવથી મન વડે ગર્હ ન કરે. અથવા 'માસા વેને'ત્તિ—અહિં 'અવિ' શબ્દ તે સંભાવનાના અર્થમાં છે, તે (પિ શબ્દ) વડે નીચે પ્રમાણે અર્થ સંભવે છે. એક વ્યક્તિ મન વડે પણ ગર્હા કરે છે અને બીજો વાણીથી ગર્હા કરે છે, અથવા એક માત્ર વાણી વડે નહિ પરન્તુ મન વડે જ ગર્હા કરે છે, તેમ કેવલ મન વડે નહિ, વચન વડે પણ ગર્હા કરે છે, તે જ વ્યક્તિ ગર્હા કરે છે અર્થાત્ બન્ને પ્રકારે પણ એક જ વ્યક્તિ ગર્હા કરે છે, એ તાત્પર્ય છે. બીજી રીતે ગહનું દ્વિપણું કહે છે—'અન્નવે'ત્યા—િપૂર્વોક્ત બે પ્રકારની અપેક્ષા વડે પૂર્વની માફક બીજી બે પ્રકારે ગર્હા કહેલી છે. અવિ શબ્દ સંભાવનાના અર્થમાં છે તેથી લાંબા કાલ સુધી પણ કોઈ વ્યક્તિ યાવત્ જીવનપર્યંત ગર્હ કરવા યોગ્ય (પાપ)ની ગહ (નિંદા) કરે છે. અથવા દીર્ઘ અને હ્રસ્વનું આપેક્ષિકપણું હોવાથી બીજી રીતે વિવક્ષા વડે દીર્ધપણું ભાવવા યોગ્ય છે. એવી રીતે અલ્પ કાલ પર્યંત પણ કોઈ એક વ્યક્તિ ગઈ કરે છે, અથવા યાવત્ દીર્ઘ કાલ સુધી જ, તથા ડ્રસ્વ (અલ્પ) કાલ પર્યંત જ યાવત્ (એક વ્યક્તિ ગર્હ કરે છે) કારણ કે અપિ શબ્દ નિશ્ચય અર્થમાં છે. અથવા એક જ વ્યક્તિ બે પ્રકારે કાલભેદ વડે ભાવભેદથી ગર્યા કરે છે અથવા ઘણા કે થોડા કાલ પર્યંત જ ગહ કરે છે. II૬૧||
નિંદા કરવા યોગ્ય ભૂતકાલ સંબંધી કર્મોને વિષે ગ થાય છે અને ભવિષ્યકાલમાં તો પ્રત્યાખ્યાન થાય છે. કહ્યું છે કે'અવૅ નિવામિ પડુપ્પન્ન સંવરેમિ ગાય પથ્વસ્વામી'તિ [પાક્ષિ સૂત્ર]—અતીતકાલ સંબંધી પાપને હું નિંદું છું, વર્તમાનકાલીન પાપને સંવરું છું (અટકાવું છું) અને અનાગતકાલીન પાપના પચ્ચક્ખાણ કરું છું. આ કારણથી હવે પ્રત્યાખ્યાન કહે છે—
दुविहे पच्चक्खाणे पन्नत्ते, तंजहा- मणसा वेगे पच्चक्खाति वयसा वेगे पच्चक्खाति । अहवा पच्चक्खाणे તુવિષે પશત્તે, તંનહારીફ વેશે માં પથ્થવન્ત્રાતિ હસ્તું જેને બદ્ધ પદ્મવલ્રાતિ ।। સૂ॰ ૬૨।!
64