SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः १ ज्ञानक्रियारूपधर्मप्राप्तौ ६५-६६ सूत्रे વડે અને ભાવથી કષાયાદિને દૂર કરવા વડે મુંડ થઈને ગૃહથી નીકળીને 'જેવતાં' એ શબ્દનો અહિં સંબંધ હોવાથી કેવલ પરિપૂર્ણ અથવા નિર્મલ પ્રવ્રજ્યાને પામે (૩), એવી રીતે પૂર્વે જેમ જોડેલ છે તેમ પછીના વાક્યમાં 'વો નારૂં' ઇત્યાદિ વાક્ય કહેવું. બ્રહ્મચર્યેણ—અબ્રહ્મના વિરામ વડે વાસ–રાત્રિમાં સૂવું, અથવા બ્રહ્મચર્યમાં વાસ-વસવું તે બ્રહ્મચર્યવાસ, તેને ક૨ે–સેવે (૪), સંયમેન–પૃથિવીકાયિક વગેરેની રક્ષારૂપ લક્ષણ વડે આત્મા પ્રત્યે સંયમ કરે (૫), સંવરેળ–આશ્રવના નિરોધ રૂપ લક્ષણ વડે આશ્રવના દ્વારોને બંધ કરે (૬), જેવાં-પરિપૂર્ણ–પોતાના સર્વ વિષયોને ગ્રહણ કરનાર−1'આમિળિવોહિનાĪ'ત્તિ અર્થને સન્મુખ, અવિપર્યય હોવાથી નિયત, અશંસય હોવાથી બોધ–સ્વભાવરૂપ જાણવું તે અભિનિબોધ, તે જ આભિનિબોધિક. જે આભિનિબોધિકમય જ્ઞાન, તે ઇંદ્રિય અને અનિંદ્રિય (મન) નિમિત્તવાળું છે, અને ઓધ–સામાન્યથી બધા દ્રવ્ય અને અસર્વપર્યાય (પર્યાયોના અનંતમા ભાગના) વિષયવાળું મતિજ્ઞાન ઉત્પન્ન કરે, તથા 'વં' ઇત્યાદિ શબ્દ વડે ઉત્તર પદોમાં 'નો જેવાં ૩૫ાડેમ્ન'ત્તિ જાણવું (૭), 'સૂર્યનાĪ'ત્તિ જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ છે, તે ભાવશ્રુતનું કારણ હોવાથી જ્ઞાન તે શ્રુતજ્ઞાન, તે શ્રુત ગ્રંથને અનુસરનારું છે. ઓઘ-સામાન્યથી સર્વ દ્રવ્ય અને અસર્વપર્યાયને વિષય કરનારું અક્ષરશ્રુત વગેરે ચૌદ ભેદવાળું શ્રુતજ્ઞાન છે (૮), તથા 'ઓહિનાĪ'ત્તિ જેના વડે, જેથી અને જેને વિષે મર્યાદા કરાય છે તે અવિષે અથવા અવધીયતે–નીચે નીચે વિસ્તારતું અને મર્યાદા વડે જે જણાય છે તે અવધિ, તે અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ જ છે; કારણ કે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે. અથવા અવધાન–વિષયનું જાણવું તે અવધિ, અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન, તે દ્રિય અને મનની અપેક્ષા રહિત આત્માથી રૂપી દ્રવ્યનું સાક્ષાત્ કરવું (૯), તથા 'મળવષ્નવનાળ'ત્તિ મનમાં અથવા મનનું પર્યવ–પરિચ્છેદ તે જ જ્ઞાન જાણવું અથવા મનના પર્યવો—પર્યાયો—અથવા પર્યાયો–અવસ્થાવિશેષો, તે મનઃપર્યવ વગેરે, તેઓનું? અથવા તેઓને વિષે જે જ્ઞાન તે મનઃપર્યવજ્ઞાન. એવી રીતે બીજા વિષયમાં પણ જાણવું. આ જ્ઞાન અઢીદ્વીપરૂપ સમયક્ષેત્રમાં રહેલ સંશિ પંચેંદ્રિયો વડે ચિંતન કરાતા મનોદ્રવ્યને પ્રત્યક્ષ કરનારું છે (૧૦), 'વ્હેવતનાĪ'ત્તિ કેવલઅસહાય, મતિ વગેરે જ્ઞાનની અપેક્ષા રહિત હોવાથી એકલું, અથવા આવરણરૂપ મલનાં અભાવથી કલંક રહિત, અથવા સમગ્ર જ્ઞાનાવરણાદિના અભાવથી પ્રથમપણાએ સંપૂર્ણ ઉત્પત્તિ હોવાથી સકલ–સંપૂર્ણ છે, અથવા તેના જેવું બીજું કોઈ ન હોવાથી અસાધારણ છે અથવા જ્ઞેયનું અનંતપણું હોવાથી અનંત છે એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન છે. (બોધિસૂત્રથી કેવલજ્ઞાનના સૂત્ર પર્યંત દશ સૂત્રમાં આરંભ અને પરિગ્રહને જાણ્યા સિવાય અને છોડ્યા સિવાય બોધિ વગેરે પામે નહિ) (૧૧). II૬૪।। જીવ, જ્ઞાનક્રિયારૂપ ધર્મ વગેરેને કેમ પ્રાપ્ત કરે છે તે કહે છે— दो ठाणाई परियादित्ता आया केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणयाए, तंजहा- आरंभे चैव परिग्गहे चेव, एवं जाव केवलनाणमुप्पाडेज्जा ।। सू० ६५ ।। दोहिं ठाणेहिं आया केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणयाए, तंजहा- सोच्च च्चेव अभिसमेच्च च्चेव जाव केवलनाणं उप्पाडेज़्ज़ा ।। सू० ६६ ।। (મૂળ) બે સ્થાનના સ્વરૂપને સારી રીતે સમજીને (ઉપલક્ષણથી છોડીને) આત્મા કેવલીભાષિત ધર્મને શ્રવણપણા વડે પ્રાપ્ત કરે, તે આ પ્રમાણે—આરંભને અને પરિગ્રહને. એવી રીતે યાવત્ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે. II૬૫ બે સ્થાને આત્મા, કેવલીપ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણભાવ વડે પામે તે આ પ્રમાણે—સાંભળીને અને જાણીને. એવી રીતે યાવત્ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે. ॥૬૬।। 1. અભિ=અર્થને સન્મુખ, નિ=નિયત અને બોધ=સંશય રહિત, એને સ્વાર્થમાં ‘ઇક' પ્રત્યય લાગવાથી આભિનિબોધિક શબ્દ થાય છે. અહિં પ્રત્યેક શબ્દનો અર્થ ક૨વાથી વિપર્યય, અનધ્યવસાય (અનિશ્ચિત અને સંશય) દોષનું નિવારણ કરેલ છે. 2. મનોવણાને સર્વથા પ્રકારે જાણે અને મનમાં જે ચિંતન કરે તેને જાણે. 68
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy