SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने अजीवबन्धादिक्रियाणां द्वैविध्यम् ५८- ६० सूत्राणि ૧૦, પ્રાણાતિપાત ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—સ્વહસ્તપ્રાણાતિપાત ક્રિયા અને પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા ૧૧, અપ્રત્યાખ્યાન ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા અને અજીવઅપ્રત્યાખ્યાન ક્રિયા ૧૨, બે ક્રિયા કહેલી છે—આરંભિકી અને પારિગ્રહિકી ૧૩, આરંભિકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—જીવ આરંભિકી અને અજીવઆરંભિકી ૧૪, એવી રીતે પારિગ્રહિકી ક્રિયા પણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે—જીવપારિગ્રહિકી અને અજીવપારિગ્રહિકી ૧૫, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શનપ્રત્યયિકી ૧૬, માયાપ્રત્યયિકી બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—આત્મભાવવંકનતા (ઠગવારૂપ) અને પરભાવવંકનતા ૧૭, મિથ્યાદર્શનપ્રત્યયિકી બે પ્રકારે છે, તે આ પ્રમાણે—ઊનાતિરિક્તિ (ઓછું અને અધિક કહેવારૂપ) મિથ્યાદર્શનપ્રત્યયિકી અને તદ્બતિરિક્ત (વિપરીત–આત્માદિ નથી એમ કહેવારૂપ) મિથ્યાદર્શનપ્રત્યયિકી ૧૮, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—દૃષ્ટિકી અને પૃષ્ટિકી ૧૯, દૃષ્ટિકી બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—જીવદૃષ્ટિકી અને અજીવદૃષ્ટિકી ૨૦, એવી રીતે પૃષ્ટિકી બે પ્રકારે છે, તે આ પ્રમાણે—જીવસૃષ્ટિકી (સ્પર્શ કરવારૂપ) અને અજીવસૃષ્ટિકી ૨૧, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાતીત્યિકી (બાહ્ય વસ્તુને આશ્રયીને થયેલી) અને સામંતોપનિપાતિકી (ઘણા મનુષ્યોની પ્રશંસા વગેરેથી થયેલી) ૨૨, પ્રાતીત્યિકી ક્રિયા બે પ્રકારે છે, તે આ પ્રમાણે– –જીવપ્રાતીત્યિકી અને અજીવપ્રાતીત્યિકી ૨૩, એવી રીતે સામંતોષનિપાતિકી ક્રિયા બે પ્રકારે છે, તે આ પ્રમાણે— જીવસામંતોષનિપાતિકી અને અજીવસામંતોષનિપાતિકી ૨૪, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—સ્વહસ્તિકી અને નૈસૃષ્ટિકી (ફેંકવાથી થયેલી) ૨૫, સ્વહસ્તિકી ક્રિયા બે પ્રકારે છે, તે આ પ્રમાણે—જીવસ્વહસ્તિકી અને અજીવસ્વસ્તિકી ૨૬, એવી રીતે નૈસૃષ્ટિકી પણ બે પ્રકારે છે ૨૭, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—આજ્ઞાપનિકી (હુકમ કરવાથી થયેલી) અને વૈદારિણી (ચીરવાથી થયેલી) ક્રિયા ૨૮, આ બન્ને ક્રિયાના બબ્બે,ભેદ નૈસૃષ્ટિકી ક્રિયાની માફક જાણવા ૨૯-૩૦, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—અનાભોગ પ્રત્યયિકી (અનુપયોગથી થયેલી) અને અનવકાંક્ષાપ્રત્યયિકી (બેદરકારીથી થયેલી) ૩૧, અનાભોગપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે છે, તે આ પ્રમાણે—અનુપયુક્ત(થી) આદાનતા (ગ્રહણ કરવાપણું) અને અનુપયુક્ત(થી) પ્રમાર્જનતા ૩૨, અનવકાંક્ષાપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે છે, તે આ પ્રમાણે-આત્મ(સ્વ) શરીરઅનવકાંક્ષાપ્રત્યયિકી અને પરશરીરઅનવકાંક્ષાપ્રત્યયિકી ૩૩, બે.ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે–પ્રેમપ્રત્યયિકી અને દ્વેષપ્રત્યયિકી ૩૪, પ્રેમપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—માયાપ્રત્યયિકી અને લોભપ્રત્યયિકી ૩૫, દ્વેષપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—ક્રોધપ્રત્યયિકી અને માનપ્રયિકી ૩૬. IIFON (ટી૦) 'આસે'ત્યાર્િ—આકાશ-વ્યોમ અને નોઆકાશ તે આકાશથી અન્ય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો. ધર્માસ્તિકાય તે ગતિમાં મદદ કરવાના ગુણવાળો અને તેથી જુદો અધર્માસ્તિકાય તે સ્થિતિમાં મદદ કરવાના ગુણવાળો જાણવો. I૫૮॥ વિપક્ષ સહિત બંધાદિ તત્ત્વના ચાર સૂત્રો પૂર્વની માફક જાણી લેવા. INI ક્રિયા થયે છતે બંધાદિ આત્માને હોય છે, માટે હવે ક્રિયાનું નિરૂપણ કરે છે—'તો િિરયે'ત્યાવિ ૩૬ સૂત્રો. કરવું તે ક્રિયા અથવા કરાય છે તે ક્રિયા. તે ક્રિયા બે પ્રકારે જિનેશ્વરોએ પ્રરૂપેલી છે. તેમાં જીવનો જે વ્યાપાર તે જીવ ક્રિયા, તથા પુદ્ગલસમુદાયરૂપ જે અજીવ તેનું જે કર્મપણાએ પરિણમન થવું તે અજીવ ક્રિયા છે (૧). અહિં 'ન્વિય' શબ્દ અને 'નેવ' શબ્દનો પાઠાંતરમાં પ્રાકૃતશૈલીથી દ્વિત્વ થયેલ છે. 'અપિ =' ઇત્યાદિ શબ્દની માફક 'વૈવ' એ શબ્દ સમુચ્ચય માત્રમાં જ પ્રતીત થાય છે. 'નીવવિવેિ'ત્યાવિ—તત્ત્વશ્રદ્ધાનરૂપ જે સમ્યક્ત્વ તે જ જીવના વ્યાપારરૂપ હોવાથી જે ક્રિયા તે સમ્યક્ત્વ ક્રિયા, એમ જ મિથ્યાત્વ ક્રિયા પણ જાણવી. વળી વિશેષ કહે છે—મિથ્યાત્વ એટલે તત્ત્વનું અશ્રદ્ધાન તે પણ જીવનો વ્યાપાર 60
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy