________________
१ स्थानाध्ययने स्कंधविशेषस्य एकत्वम् ५२-५६ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તથા પ્રકારના પ્રયોજનોમાં અમુક નક્ષત્ર સહિત તિથિવિશેષનું અશુભપણાનું સૂચન કરવા મતાંતરભૂત હોવાથી ઉક્ત બે ગાથાને બાધક નથી. પપી.
તારો પુદ્ગલરૂપ છે માટે પુદ્ગલનું સ્વરૂપ કહે છે—'પપ્પો છે' ઇત્યાદિ સુગમ છે. વિશેષ હવે કહે છે–એકત્ર પ્રદેશ ક્ષેત્રના અંશવિશેષમાં જે આશ્રિત થયેલા તે એકપ્રદેશાવગાઢો છે, તે પરમાણુરૂપે અને સ્કંધરૂપે છે. એવી રીતે ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શના ભેદ વિશિષ્ટ પુદ્ગલો કહેવા. આથી જ કહ્યું છે—'નવ ગુIgવે' ઇત્યાદિ. પ૬ll.
આવી રીતે અનુગમ કહેવાયો. હવે કંઈક પ્રત્યવસ્થાન (સમાધાન)ના પ્રસ્તાવમાં મયદ્વાર કહેલું છે તો પણ અનુયોગદ્વારના ક્રમ વડે આવેલું નયદ્વાર ફરીથી વિશેષ સ્વરૂપે કહેવાય છે. તેમાં નેગમ વગેરે સાત નો છે અને તે જ્ઞાનનય અને ક્રિયાનમાં અંતર્ભાવ થાય છે. તે જ્ઞાન અને ક્રિયાનયથી આ અધ્યયનનો વિચાર કરાય છે. તેમાં જ્ઞાનક્રિયાત્મક આ અધ્યયનમાં, જ્ઞાનનય જ્ઞાનને જ મુખ્ય (શ્રેષ્ઠ) ઇચ્છે છે, કારણ કે સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ જ્ઞાનના આધીનપણાથી થાય છે. કહ્યું છે કેविज्ञप्तिः फलदा पुंसाम्, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फल प्राप्तेरसम्भवाद् ।।१३०।।
વિજ્ઞપ્તિ-વિશેષ જ્ઞાન પુરુષોને ફલ દેનાર છે, પણ ક્રિયા ફલની દેનારી ઈષ્ટ નથી, કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલ પુરુષને ફળની પ્રાપ્તિનો અસંભવ છે. (૧૩૦) :
આ કારણથી આ લોક અને પરલોકના ફળને ઇચ્છનારે જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો જોઈએ. ક્રિયાનય તો ક્રિયાને જ ઇચ્છે છે; કારણ કે પુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયાનું જ પ્રયોજનપણું છે. વળી કહ્યું છે કે–
क्रियैव फलदा पुंसाम्, न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत् ।।१३१।। - ‘ક્રિયા જ પુરુષોને ફલ દેનારી છે, પણ જ્ઞાન ફલને દેનારું ઈષ્ટ નથી, તેથી સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર , જ્ઞાનમાત્રથી સુખી થતો નથી.” (૧૩૧) •
આ કારણથી ઐહિક અને પારલૌકિક ફલના ચાહકોએ ક્રિયા જ કરવા યોગ્ય છે. જૈનદર્શનમાં તો જ્ઞાન અને ક્રિયા બંને પૈકી કોઈ એકને પુરુષાર્થનું સાધનપણું કહ્યું નથી. જેથી કહ્યું છે કે हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो य अंधओ ॥१३२।। [आ.नि. १०१] - ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલું (લ રહિત) છે અને અજ્ઞાનથી કરાયેલી ક્રિયા નિષ્ફળ છે. દેખતો થકો પાંગળો માણસ અને દોડતો થકો આંધળો માણસ બન્ને બળી જાય છે, અર્થાત્ જ્ઞાન પાંગળું છે અને ક્રિયા આંધળી છે. (૧૩૨)
જ્ઞાન અને ક્રિયાનો સંયોગ જ ફલનો સાધક છે. કહ્યું છે કેसंजोगसिद्धीए फलं वयंति, नहु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ।।१३३।।
[મા.નિ. ૦૨] તીર્થકરો જ્ઞાન-ક્રિયાના સંયોગની સિદ્ધિથી ફળ-મોક્ષને કહે છે. જેમ રથ એક પૈડા વડે ચાલતો નથી તેમ માત્ર જ્ઞાન કે ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થતું નથી. આંધળો અને પાંગળો બન્ને વનમાં આવીને સાથે જોડાયા ત્યારપછી જ નગરમાં પ્રવેશ્યા (૧૩૩). વળી ભાષ્યકારે કહેલું છે કે'नाणाहीणं सव्वं, नाणणओ भणति किं च [थ] किरियाए? । किरियाए करणनओ, तदुभयगाहो य सम्मत्तं ॥१३४॥
[વિશેષાવથ૦ રૂ૫૬૨ તિ]. જ્ઞાનનય, સર્વ સુખ જ્ઞાનને જ આધીન કહે છે, પરંતુ ક્રિયા વડે શું? અર્થાત્ ક્રિયાથી શું થવાનું છે? ક્રિયાનય, ક્રિયાથી જ સુખ કહે છે. સત્ય તો જ્ઞાન અને ક્રિયા એ બન્ને નય ગ્રહણ કરનારને સમ્યકત્વ છે–પથાર્થપણું છે. (૧૩૪).
અથવા નૈગમાદિ સાત નો પણ સામાન્યનયમાં અને વિશેષનયમ અંતર્ભત થાય છે. તેમાં સામાન્ય નય, પ્રસ્તુત અધ્યયનમાં કહેલા આત્માદિ પદાર્થોનું એકપણું જ માને છે, કારણ કે સામાન્યનયનું સામાન્યવાદપણું છે. સામાન્યવાદી કહે
-
55