SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने स्कंधविशेषस्य एकत्वम् ५२-५६ सूत्राणि તે વીર (૧૨૫). જે વિશેષે કરીને કર્મ ખપાવે અથવા મોક્ષ પમાડે, અને પોતે મોક્ષે જાય, તેથી તે વીર, એવા મહાન્ વીર તે મહાવી૨ (૧૨૬).1 આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થંકરોને વિષે છેલ્લા તીર્થંકર, સિદ્ધ-કૃતાર્થ થયા, બુદ્ધ–કેવલજ્ઞાન વડે જાણવા યોગ્ય (પદાર્થ)ને જાણનાર, મુક્ત-કર્મથી મુકાયેલા, ‘યાવત્’ શબ્દથી 'અંતર્તે' જેણે ભવનો અંત કર્યો છે તે અંતકૃત, 'પરિનિબુડે'—પરિનિવૃત-કર્મકૃત વિકારના વિરહથી શાંત થયેલા, શું કહેલું (પ્રાપ્ત) થાય છે? 'સવુવપદીને'શરીરાદિના સર્વે દુઃખો જેના નાશ થયા છે તે સર્વદુઃખપ્રક્ષીણ અથવા પ્રહીણ. સર્વ ઠેકાણે બહુવ્રીહી સમાસમાં ક્યાંતનો જે પરિનિપાત છે તે અહિતાન્યાદિ ગણથી થાય છે. અહિં તીર્થંકરોને વિશે મહાવીરનું જ મોક્ષગમનમાં એકપણું છે પણ ૠષભાદિ જિનોનું એકપણું નથી, કારણ કે દશ હજાર વગેરે મુનિઓના પરિવાર વડે તેઓનું સિદ્ધપણું થયેલું છે. કહ્યું છે કેएगो भगवंवीरो, तेत्तीसाएँ सह निव्वुओ पासो । छत्तीसएहिं पंचहिं, सएहिं नेमी उसिद्धिगओ ।।१२७|| [ઞા.નિ. ૨૦૮ ફત્યાવિ] એકાકી ભગવાન્ મહાવીર. તેત્રીશ મુનિઓની સાથે પાર્શ્વનાથ સિદ્ધ થયા અને પાંચસો છત્રીસ મુનિઓની સાથે નેમીશ્વર ભગવાન્ મોક્ષે ગયા (૧૨૭) ઇત્યાદિ. ||૫૩|| વીર એકાકી મોક્ષ પામ્યા એ કહ્યું. સિદ્ધક્ષેત્રની નજીકમાં અનુત્તર વિમાનો છે માટે તેમાં વસનારા દેવોનું માન કહે છે'અનુત્તરે’ત્યાવિ, જેથી અન્ય વિમાનો પ્રધાન ન હોવાથી અનુત્તર વિજયાદિ વિમાનો, તેઓને વિષે જે ઉપપાત-જન્મ, તે છે વિદ્યમાન જેઓને તે અનુત્તરોપપાતિક દેવો. બે 'ર' વાક્યાલંકારમાં છે. દેવો એક રત્નિ–હાથ પર્યંતની અવગાહનાવાળા છે. ઋોશ ૌટિલ્યેન નવીવત્. અહિં દ્વિતીયા વિભક્તિ લેવી. '૩, ૩જ્વત્તેĪ'તિ વસ્તુનું અનેક પ્રકારે ઉચ્ચપણું છે. એક ઊભા રહેલનું ઊંચપણું, બીજું તિર્યક્સ્થિત (સૂતેલ વગેરે)નું અને ત્રીજું ગુણો વડે ઉચ્ચપણું છે. ત્રણમાં બીજા અને ત્રીજાને છોડીને ઊસ્થિત (ઊભા રહેલા)નું જે ઊંચપણું તે ઊર્ધ્વ ઉચ્ચત્વ આગમમાં રૂઢ થયેલ છે. તે ઊર્ધ્વ ઉચ્ચત્વ વડે સર્વજ્ઞોએ પ્રરૂપણા કરેલ છે. અહીં મૂલમાં અનુસ્વાર છે તે પ્રાકૃત શૈલીથી જાણવું. અનુત્તરોપપાતિક દેવોનું ઉર્ધ્વ ઊચ્ચપણાએ એક હાથનું પ્રમાણ જાણવું. ૫૪॥ દેવના અધિકરાથી નક્ષત્ર દેવોનું—'અદ્દાનવત્તે' ઇત્યાદિ ત્રણ સુગમ સૂત્ર વડે તારાનું એકપણું કહ્યું. તારા જ્યોતિષ્ઠોના વિમાનરૂપ છે. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાનું પ્રમાણ નીચે પ્રમાણે છે— 'छ ६ `प्पंच ५ `तिन्नि ३ 'एगं १ 'चउ ४ 'तिग ३ 'रस ६ 'वेय ४ 'जुयल २ "जुयलं २ च। 'કૃતિય ૧ માં ૨ શમાં ૧, 'વિસય હું ૫ રૂ 'Çમુદ્દે ૪ વારસાં ૧૨ ।।૨૮।। " चउरो ४ तिन्नि य ३ तिय ३ तिय ३ पंच ५ सत्त ७ २४ बे २ २५बे २ २६ २७ २८ भवे तिया तिन्नि ३-३-३। रिक्खे तारपमाणं, जइ तिहितुल्लं हयं कज्जं ॥ १२९ ॥ ઉપરના અંક પ્રમાણે કૃતિકાથી આરંભીને ભરણી સુધી નક્ષત્રો ગણવા અને કૃતિકાના ૬, રોહિણીના ૫, મૃગશરના ૩ યાવત્ ભરણી સુધીના નક્ષત્રોના તારા શ્લોકમાં જણાવેલા બાજુના અંક પ્રમાણે જાણવા. બીજી ગાથાનાં ઉત્તરાર્ધમાં તારાનું ફળ કહે છે. જ્યારે જે નક્ષત્રમાં તારાની સંખ્યાનું જે પ્રમાણ છે તે પ્રમાણે જ તિથિ હોય ત્યારે કાર્યની સિદ્ધિ ન થાય; નુકશાની થાય (૧૨૮–૧૨૯). પ્રસ્તુત સૂત્રમાં એક સ્થાનકના અનુરોધથી ત્રણ નક્ષત્રના તારાનું પ્રમાણ કહ્યું. બાકીના નક્ષત્રોનું તો જે તારાનું પ્રમાણ છે તે પ્રાયઃ આગળના અધ્યયનોમાં સૂત્રકાર સ્વયં કહેશે. તારાના પ્રમાણનો જે કોઈ સ્થળે વિસંવાદ-મતભેદ છે તે 1. ટીકામાં ‘ત્તિ' શબ્દ લેવાથી અહિં ભાષ્યમાં આ પ્રમાણે સંબંધ છે. 2, બાકીના તીર્થંકરોનું વૃત્તાંત આવશ્યકનિર્યુક્તિ વગેરે શાસ્ત્રથી જાણી લેવું. 3. દેવ-દેહમાન પ્રત્યંતરમાં છે. 4. દા.ત. કૃતિકા નક્ષત્રના છ તારા છે, માટે છઠ તિથિમાં કૃતિકા આવે તો કાર્યસિદ્ધિ ન થાય. રોહિણીમાં પાંચ તારા છે માટે પંચમી તિથિમાં રોહિણી આવે તો કાર્યસિદ્ધિ ન થાય એમ ૨૮ નક્ષત્રોનું ફળ જાણવું. 54
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy