________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने भव्याभव्यसम्यग्दृष्टिवर्णनम् ५१ सूत्रम् માત્રથી સંકોચન પામે છે. હે વ્યક્ત! તું જાણ કે વેલડી વગેરે સ્વરક્ષણ માટે વાડ, વૃક્ષ અને કોટડી વગેરે ઉપર આશ્રય લેવાના હેતુથી ચડે છે. (૧૦૫). શમી (ખીજડા) વગેરે વૃક્ષો, મનુષ્યની માફક નિદ્રા, જાગવું અને સંકોચ વગેરેને પામે છે એમ સ્વીકારેલ છે. બકુલ, ચંપક વગેરે વૃક્ષો વિષયોના—સંગીત, મદિરાનો ગંડૂષ (કોગળો), સુંદર સ્ત્રીના ચરણ વડે તાડનાદિનો, વસંતાદિ ઋતુમાં ઉપભોગનો સાક્ષાત્કાર કરાવે છે, માટે વનસ્પતિ સચેતન છે. (૧૦૬).
'ના મવસિદ્ધિયે'ત્યાતિ ભવિષ્યતીતિ મવાઃ—ભવિષ્યકાળમાં થનારી સિદ્ધિ-નિવૃત્તિ છે જેઓને તે ભવસિદ્ધિકો— ભવ્યો, તેનાથી વિપરીત તે અભવસિદ્ધિકો—અભવ્યો જાણવા. શંકા—જીવપણું સમાન છતે ભવ્ય અને અભવ્યમાં વિશેષ ભેદ શો છે? સમાધાન—સ્વભાવથી ભેદ થયેલ છે. દ્રવ્યત્વની અપેક્ષાએ જીવ અને આકાશની સમાનતા છે તો પણ સ્વભાવથી ભેદ છે.
જ્વાત્તે તુì, નીવ-નમાં સમાવઓ મેડો । નીવાડનીવાળો, નહ તદ્દ મન્દ્રેયવિસેસો ।।૧૦Įા [વિ૦ ૨૮૨૩]
જીવ અને આકાશનું દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વાદિપણાએ તુલ્ય રૂપ હોવા છતાં પણ સ્વભાવથી ભેદ છે, એટલે જેમ આકાશ અજીવ છે અને ચેતન સજીવ છે તેમ ભવ્ય અને અભવ્યનો પણ ભેદ સ્વભાવથી જાણવો. (૧૦૭)
ભવ્ય અને અભવ્ય વડે વિશેષિત—ભિન્ન અન્ય દંડક કહ્યો. 'ા સમવિક્રિયાળ' મિત્યાવિ સયંગ-યથાર્થ દૃષ્ટિ (દર્શન), તત્ત્વો પ્રત્યે રુચિ છે જેઓને તે સમ્યગ્દૃષ્ટિ જીવો, મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી થાય છે. તથા મિથ્યા–વિપર્યાસવાળી, તીર્થંકરો વડે કહેવાયેલ પદાર્થસમૂહની શ્રદ્ધા રહિત દૃષ્ટિ-દર્શન (શ્રદ્ધાન) છે જેઓને તે મિથ્યાદૃષ્ટિ જીવો, મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી જિનવચનની અરુચિવાળા હોય છે. કહ્યું છે કે—
सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः । मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाभिहितम् ॥१०८।।
‘‘સૂત્રોક્ત એક અક્ષરને પણ ન રુચવાથી મનુષ્ય મિથ્યાદૃષ્ટિ થાય છે. તીર્થંકરોએ કહેલું સૂત્ર તેઓને તો ચોક્કસ અપ્રમાણ છે.’’ (૧૦૮)
તથા કંઈક યથાર્થ અને કંઈક મિથ્યા છે દૃષ્ટિ જેઓની તે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ (મિશ્રદૃષ્ટિ) જીવો, જિનોક્ત ભાવો પ્રત્યે ઉદાસીન હોય છે. આ ગંભીર સંસારરૂપી સમુદ્રના મધ્યમાં વર્તતો જીવ, અનાભોગ (સ્વભાવતઃ) થયેલ પર્વત સંબંધીના પત્થર ઘોલન' સમાન યથાપ્રવૃત્તિકરણ વડે પ્રાપ્ત થયેલા અંતઃ કોડાકોડી સાગરોપમ સ્થિતિવિશિષ્ટ વેદવા યોગ્ય મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિમાંથી, ઉદયકાલના ક્ષણથી આરંભીને અંતર્મુહૂર્ત સુધી (ભોગવવા યોગ્ય સ્થિતિને) ઓલંઘીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સંજ્ઞાવાળા વિશુદ્ધ વિશેષો વડે અંતર્મુહૂર્ત કાળપ્રમાણ ‘અંતરક૨ણ’ કરે છે, ને તે અંતરક૨ણ કર્યો છતે મિથ્યાત્વમોહનીય કર્મની બે સ્થિતિ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્તમાત્ર સ્થિતિ તે પ્રથમ સ્થિતિ અને તે અંતરકરણથી જ ઉપરની બાકીની જે સ્થિતિ તે બીજી સ્થિતિ. ત્યાં પ્રથમ સ્થિતિમાં મિથ્યાત્વના દલિકોના વેદન–ભોગવવાથી આ જીવ મિથ્યાષ્ટિ હોય છે. તે જીવ અંતર્મુહૂર્ત વડે તો તે પ્રથમ સ્થિતિનો નાશ થયે છતે મિથ્યાત્વના દલિકોના વેદનનો અભાવ હોવાથી અંતરકરણના પ્રથમ સમયમાં જ ઔપશમિક સમ્યક્ત્વને પામે છે. જેમ દાવાનળ, પૂર્વે બાળેલ લાકડાવાળા સ્થળને અથવા ખારી જમીનને પ્રાપ્ત થઈને ઠરી જાય છે—નષ્ટ થાય છે તેમ મિથ્યાત્વમોહનીય કર્મના વેદનરૂપ અગ્નિ, અંતકરણને પ્રાપ્ત થઈને ઠરી જાય છે. ઔષધ વિશેષ સમાન તે ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને મદનકોદ્રવ સમાન દર્શનમોહનીયરૂપ અશુદ્ધ કર્મ ત્રણ પ્રકારે થાય છે—૧ અશુદ્ધ, ૨ અર્ધવિશુદ્ધ અને ૩ વિશુદ્ધ. તે ત્રણ પુંજો (ઢગલા)ના મધ્યે “જ્યારે અવિશુદ્ધ
1. નદીના પાણીમાં પત્થર આડોઅવળો ભટકાવાથી ઘસાય છે તે નદીઘોલનં ન્યાય કહેવાય છે.
2. અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ કાલ પ્રમાણવાળો. 3. પ્રથમ સ્થિતિ પૂર્ણ થયા પછી જીવ અંતરકરણમાં પ્રવેશ કરે છે. 4. અંતરકરણનો કાલ પૂર્ણ થયે છતે ઔપશમિક સમ્યક્ત્વનો કાલ પણ પૂર્ણ થાય છે. પછી અવશ્ય તે જીવ ત્રણ પુંજમાંથી કોઈપણ એક પુંજમાં જાય છે, જેથી જે પુંજનો ઉદય થાય તેવી દૃષ્ટિવાળો થાય છે.
46